________________
૧૫ર | પડિલેહા રચાતું ત્યાં ત્યાં ગૌતમસ્વામી અવધિજ્ઞાનથી લોકોનાં મનની શંકાએ જાણુને તે પ્રમાણે ભગવાનને પ્રશ્નો પૂછતા અને ભગવાનના ઉત્તર દ્વારા લેકની શંકાઓનું નિરાકરણ કરાવતા. કવિ લખે છેઃ
સમવસરણ મોઝાર જે જે સંસા ઉપજે એ, તે તે પરઉપગાર કારણ પૂછે મુનિપવરો.
ગૌતમસ્વામીને પોતાના ગુરુ ભગવાન મહાવીર પ્રત્યે દઢ અનુરાગ-ભક્તિ થઈ હતી પરંતુ તે જ તેમની કેવળજ્ઞાન પ્રાપ્તિમાં અંતરાયરૂપ બની હતી. એટલે એમના જીવનને મોટો વિરોધાભાસ એ હતું કે તેઓ જેને જેને દીક્ષા આપતા તેને તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હતું. પરંતુ ખુદ પિતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નહોતું,
જિહાં જિહાં દીજે દિખ તિહાં તિહાં કેવલ ઉપજે એ, આપ કહે અણુહુત ગાયમ દીજે દાન ઈમ. ગુરુ ઉપરે ગુરુભત્તિ સામી ગયમ ઉપનીય, ઈણ છલ કેવલનાણ,
રાગ જ રાખે રંગ ભરે. ભગવાનની દેશના સાંભળીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ અર્થે ગૌતમસ્વામી અષ્ટાપદગિરિની તીર્થયાત્રાએ જાય છે. ત્યાં તળેટીમાં પંદર તાપસે હતા જેઓ ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં પણ એ ઉત્તગ ગિરિ પર જઈ શક્યા નહોતા. એમણે ભારે શરીરવાળા ગૌતમસ્વામીને જોયા. ગિરિ ઉપર ગૌતમસ્વામી કેવી રીતે ચઢી શકશે એવી શંકા તેઓ કરવા લાગ્યા. ત્યાં તે સૂર્યનાં કિરણની સહાય વડે ગૌતમ
સ્વામી અષ્ટાપદ પર્વત ઉપર ચઢી ગયા અને ત્યાં જિનેશ્વર ભગવાનેની પ્રતિમાઓની પૂજા કરી. પાછા ફરતાં એમણે પંદરસો તાપસને