________________
૧૪૮ | પડિલેહા
ધનવાન બની ગયા હતા.*
છ ઢાલમાં લખાયેલ આ રાસ આરંભ કવિ કરે છે મુક્તિરૂપી સરોવરમાં જેનાં ચરણરૂપી કમળને વાસ છે એવા શ્રી મહાવીર જિનેશ્વરને પ્રણામ કરીને.
વીર જિણેસર ચરણકમલા કમલાકર વાસે, પણુમવિ પણિ સામિ સાલ ગેયમ ગુરુ પાસે.
ગૌતમસ્વામી જન્મે બ્રાહ્મણ હતા અને તેમનું નામ ઇન્દ્રભૂતિ હતું, પરંતુ તેઓ ગૌતમગેત્રીય હતા અને તેથી ગૌતમ'ના નામથી વિશેષ પ્રસિદ્ધ હતા, ભગવાન મહાવીર તેમને હમેશાં “યમ” (ગૌતમ) કહીને સંબોધતા.
રાસની પહેલી ઢાલમાં કવિ ઇન્દ્રભૂતિને પરિચય કરાવે છે. જ્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા તે મગધ દેશના ગુબ્બર નામના ગામમાં વસુભૂતિ નામે બ્રાહ્મણની પુહી (પૃથ્વી) નામની પત્નીની કૂખે ઇન્દ્રભૂતિ ગૌતમને જન્મ થયો હતો. આ પ્રાથમિક માહિતી સાથે કવિએ ઇન્દ્રભૂતિની તેજસ્વિતાનું વ્યતિરેકથી સંક્ષિપ્ત અને મનહર કરેલું આલેખન જુઓઃ નયણુ વયણ કરચરણ જિવિ
પંકજ જલ પાડિય, તેજે તારા ચંદ સુર
આકાશ માડિયા, રૂ મયણ અનંગ કરવિ
મેલ્યો નિરધાડિય; ધીરમેં મેરૂ ગંભીર સિંધુ
ચંગિમ ચયચાડિય. • જુઓ જૈન ગુર્જર કવિઓ' – ભાગ ૧, પૃ. ૧૫૧૬