________________
વિનયપ્રભરચિત ગૌતમસ્વામીને રાસ
શસકૃતિઓના સર્જન માટે જૈન સાધુકવિઓએ જે ભિન્નભિન્ન એતિહાસિક કે કાલ્પનિક કથાનકે પસંદ કર્યા છે તેમાં ગૌતમસ્વામીનું અતિહાસિક કથાનક પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ગૌતમસ્વામી વિશે જૂની ગુજરાતીમાં લખાયેલી રાસકૃતિઓમાં આરંભના સમયની જે એક રાસકૃતિ આપણને સાંપડે છે તે પરંપરાની દષ્ટિએ તેમજ તેની સર્જનાત્મક મૂલ્યવત્તાની દૃષ્ટિએ સવિશેષ નોંધપાત્ર છે. આ કૃતિની રચના ખરતરગચ્છીય શ્રી જિનકુશલસૂરિના શિષ્ય ઉપધ્યાય શ્રી વિનયપ્રભ સં. ૧૯૧૨માં ખંભાતમાં કરી હતી.
અન્ય રાસકૃતિઓ કરતાં આ રાસકૃતિ જેમાં વધુ પ્રચલિત છે એની એક પરંપરાને કારણે જેનેના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના પહેલા ગણધર તે શ્રી ગૌતમસ્વામી, મહાવીર સ્વામી દિવાળીને દિવસે રાતને સમયે નિર્વાણ પામ્યા અને નવા વર્ષના દિવસે પરોઢિયે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એ રીતે, એ -બે મહત્વની ઘટનાઓને કારણે દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર દિવો સાથે અનુક્રમે ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીનું નામ