________________
૧૩૨ / પબ્લેિહા
જંબુસ્વામીની કથાનું સ્વરૂપ એવું છે કે તેમાં એક સળંગ કથામાં નાનીનાની કથાઓની હારમાળા સમાવી લેવામાં આવી છે. આ નાનીનાની કથાઓ મુખ્ય કથામાં પ્રયોજન આવે છે. જંબુસ્વામીએ દીક્ષા લેવી. કે ન લેવી એ વિશે બંને પક્ષની દલીલેના સમર્થનમાં દષ્ટાંતકથાઓ. રજૂ થાય છે. એમાં એક પક્ષે જંબુસ્વામી છે અને બીજે પક્ષે એમનાં માતાપિતા, પ્રભવ ચેર અને જબૂસ્વામીની આઠ પત્નીઓ છે. આટલી બધી વ્યક્તિઓ સાથેના વિવાદમાં બંને પક્ષ તરફથી રજૂ થયેલી. કથાઓની સંખ્યા ઠીકઠીક હોય એ સ્વાભાવિક છે. આવી કથાઓથી. મુખ્ય કથાને પ્રવાહી સ્થગિત થઈ જવાને કદાચ ભય રહે, પરંતુ અહીં તે મુખ્ય કથાનું સ્વરૂપ જ એવું છે કે જેથી આ ભય રહે. નથી; એટલું જ નહિ, બંને પક્ષમાંથી કયો પક્ષ વધુ સબળ રીતે રજૂ થાય છે અને બંને પક્ષ તરફથી પોતપોતાની દલીલેના સમર્થન-- માં કેવી કથા રજૂ થાય છે, અને અંતે કેને વિજય થાય છે એ વિશે રસિક કુતૂહલ જાગે છે. સચોટ કથાથી પિતાની દલીલ સચોટ રીતે સમજાવી શકાય છે અને પરસ્પર વિરુદ્ધ એવાં કોઈ પણ વસ્તુ કે વિચાર માટે એને અનુરૂપ કંઈક ને કંઈક કથા મળી આવે છે. એ બંને વસ્તુ અહીં આપણે જોઈ શકીએ છીએ.
આ રાસમાં એક બાજુ ભેગવિલાસની અને બીજી બાજુ સંયમ-- ઉપશમની કથાઓ જોવા મળે છે. આથી શૃંગાર અને શાંત એ બે રસેના આલેખનને, અને તેમાંયે અંતે વૈરાગ્ય અને સંયમને વિજય બતાવ્યો હોવાથી તેના આલેખનને વધુ અવકાશ રહે એ સ્વાભાવિક છે. તેમ છતાં, કવિએ પિતાની ઉચ્ચ કવિત્વશક્તિ વડે, પિતાના કલ્પનાવૈભવ અને અલંકારસમૃદ્ધિ વડે આ રાસને ઊંચી કક્ષાની કૃતિ બનાવ્યું છે. અલબત્ત, કેટલેક પ્રસંગે માત્ર કથા જ નિરૂપાતી હાય. એવું પણ લાગશે, કારણ કે નાનીનાની કથાઓ આમાં ઘણું આવતી હેવાથી કથાતત્ત્વનું પ્રમાણ થોડું વધે એ સ્વાભાવિક છે. પરંતુ એકંદરે