________________
૧૩૦ | પડિલેહ જંબુસ્વામી વિવુમાલીની કથા કહે છે; કનકસેના શંખધમકની ક્યા કહે છે, જવાબમાં જંબુસ્વામી વાનરની કથા કહે છે; નભસેના બુદ્ધિસિદ્ધિની કથા કહે છે, જવાબમાં જંબુસ્વામી જાતિવંત ઘોડાની કથા કહે છે; કનકશ્રી મુખીના પુત્રની કથા કહે છે, જવાબમાં જંબૂસ્વામી સોલ્વકની કથા કહે છે; કમલવતી “મા સાહસ” પક્ષીની કથા કહે છે, જવાબમાં જંબુસ્વામી ત્રણ મિત્રોની કથા કહે છે; જયશ્રી “નાગશ્રીની કથા” કહે છે, જવાબમાં જંબુસ્વામી લલિતાંગકુમારની કથા કહે છે.
આમ, “વસુદેવહિંડીમાં ગણિકા અને ઈભ્યપુત્રની કથા તથા દુર્લભ ધનપ્રાપ્તિના વિષયમાં મિત્રોની કથા જે જંબુસ્વામી પિતાના માતાપિતાને કહે છે તે, તથા પ્રભવની સાથે દલીલમાં જંબુસ્વામી ગેપ યુવકની કથા અને વણિકની કથા કહે છે તે કથા “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં નથી. ત્રિષષ્ટિશલાકા'માં માતાપિતાને સમજાવવા માટે જંબુસ્વામી તરફથી કઈ કથા રજૂ થતી નથી એ નેધપાત્ર છે. પ્રસન્નચન્દ્ર અને વરકલચીરીની કથા વસુદેવહિંડીમાં જંબૂસ્વામીની દીક્ષા પછી, આગળ બની ગયેલી ઘટનારૂપે કહેવામાં આવી છે, ત્યારે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં એ કથા આરંભમાં મુકવામાં આવી છે અને ત્યાર પછી જ બુસ્વામીની કથા કહેવામાં આવી છે.
આમ, “વસુદેવહિંડી'ની જંબુસ્વામીની કથા પછીના સમયમાં વિકાસ પામે છે અને તેમાં નવી દષ્ટાન્ત-કથા પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષરૂપે ઉમેરાતી જાય છે. હેમચન્દ્રાચાર્યના “ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર'માં આપણને તેનું નવું વિકસેલું સ્વરૂપ જોવા મળે છે. એમાં વસુદેવહિડીની કેટલીક દષ્ટાન્ત-કથાઓ છોડી દેવામાં આવી છે અને બીજી ઘણી નવી દૃષ્ટાન્ત-કથાઓ ઉમેરવામાં આવી છે. વસુદેવહિંડીમાં - જંબૂ સ્વામી અને આઠ કન્યાઓ વચ્ચે દલીલેરૂપે દૃષ્ટાન્ત-કથાઓ આપવામાં આવી નથી. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં એવી કથાઓ આપવામાં આવી છે અને એ રીતે આઠ કથાઓ આઠ કન્યાઓ તરફથી