________________
૧૨૮/ પડિલેહા સ્વીકારે છે, કારણ કે તેમને વિવાહ આઠ શ્રેષ્ઠીઓની કન્યાઓ સાથે તે પહેલાં કરવામાં આવ્યા હતા. આ જંબૂ કુમારનાં લગ્ન થાય છે. લગ્નને દિવસે સાંજે ભોજન પછી જ બકુમાર આઠ પત્નીઓ સાથે વાસઘરમાં જાય છે, તે સમયે પ્રભાવ નામને ચેર પોતાના સાથીઓ સાથે ત્યાં આવી, પિતાની અવસ્થાપિની વિદ્યા વડે બધાને ઉઘાંડી વસ્ત્રાભરણ ચોરી જવા પ્રયત્ન કરે છે. તે સમયે જંબૂ કુમાર જાગ્રત હોય છે અને એમના શબ્દોથી તે ચરે 'નિશ્રેષ્ટ થઈ જાય છે. પ્રભવ ચેર આથી આશ્ચર્ય પામી આવી ‘સ્તભિની અને મેચની' વિદ્યા પિતાની અવસ્થાપિની વિદ્યાના બદલામાં આપવા માટે જબ કુમારને કહે છે. પરંતુ જે બૂકુમાર પ્રભવને જણાવે છે કે પોતે સંસારને ત્યાગ કરી આવતી કાલે શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાના છે. પ્રભવ તેમને દીક્ષા ન લેવા માટે કહે છે. તેના જવાબમાં જંબૂકુમાર તેને મધુબિંદુની કથા કહે છે અને પ્રભવની બીજી દલીલના ઉત્તરમાં લલિતાંગકુમારની, કુબેરદત્તની, ગેપ યુવકની, મહેશ્વરદત્તની અને વણિકની કથા કહે છે.
ત્યાર પછી જંબૂ કુમારે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. તેમની સાથે તેમનાં માતાપિતા, પનીઓ અને પ્રભવે પણ દીક્ષા લીધી. ગુરુ સાથે વિહાર કરતા જંબુસ્વામી ચંપાનગરીમાં પધાર્યા તે સમયે શ્રેણિક રાજાના પુત્ર કેણિકે સુધર્માસ્વામીને જંબુસ્વામી વિશે પૂછયું, ભગવાન ! આ સાધુ આટલા બધા તેજસંપત્તિવાળા દેખાય છે તે તેમણે કેવા પ્રકારનું તપ કર્યું હતું?” ગુરુએ કહ્યું, “હે રાજન !
જ્યારે તારા પિતાએ શ્રી મહાવીર પ્રભુને પૂછયું ત્યારે તેમણે જે કહ્યું હતું તે સાંભળ.” એમ કહી ગુરુએ શ્રી મહાવીર પ્રભુએ કહેલી પ્રસન્નચન્દ્ર અને વકલચીરીની કથા કહી. ત્યાર પછી જંબુસ્વામીની પૂર્વભવની કથામાં શ્રી મહાવીર પ્રભુએ કહેલી ભવદેવ અને ભવદત્તના સંબંધની તથા સાગરદન અને શિવકુમારના સંબંધની અને અનાઢિય