________________
૬ / પડિલેહા
સુણી નળરાય બેલીઓ, હાથ જોડી ત્યાંહિ; વાંછના જે દેવ ધરતા, તે છિ મમ મનમાંહિ. ૯-૧૪ વળી જે નારીતણું ઇચ્છા કરે પુરુષ જાત; ત્યાગ તિને કિમ કરે ? એહ વિપરીત વાત. ૯-૧૬ વળી દૂત થઈ અવરને, કિમ કહે જઈ કુણ; અપરાધ ક્ષમા કીજિયે, હે ઇન્દ્રરાય સુખદેણ, ૯-૧૭
(નળાખ્યાન) (१) य ईमां पृथिवीं कृत्स्नां संक्षिप्य ग्रसते पुनः ।
हुताशमीशं देवानां का तं न वरयेत् पतिम् ॥ ५६-९ यस्य दण्ड्भयात् सर्वे भूतग्रामाः समागताः । धर्ममेवानुरुध्यन्ति का त न वरयेत् पतिम् ॥ ५६-१० धर्मात्मानं महात्मानं दैत्यदानवमर्दनम् । महेन्द्रं सर्वदेवानां का तं न वरयेत पतिम् ॥ ५७-११ क्रियतामविशंङकेन मनसा यदि मन्यसे । वरुणं लोकपालानां सुहृद्वाक्यमिदं शृणु ॥ ५७-१२
(મહાભારત)
જે સર્વ પૃથ્વીને ગ્રાસ કરવા સમર્થ છે એવા અગ્નિને તથા જેને દંડના ભયે કરીને મળેલા સર્વ ભૂતપ્રાણી પોતપોતાના ધર્મમાં રહે છે એવા યમરાજાને અને ધર્મયુક્ત અંતઃકરણવાળા મહાત્મા, દૈ તથા રાક્ષસોને નાશ કરનાર અને દેવતાઓના રાજા ઇન્દ્રને તથા લેકપાલમાં મુખ્ય વરણને પતિરૂપે ન વરે એવી કઈ કન્યા છે? હે દમયંતી ! તું મનથી શંકારહિત થઈ મને કરીને મારા પ્રમાણે કર.'
(ભાષાંતર)