________________
૧૦૬ / પરિવહા .
'
આદેશ મળતાં સજ્ઝાય ખાલવી તેમણે શરૂ કરી, સજ્ઝાય ઘણી લાંખ હતી એટલે શ્રાવકા પૂછવા લાગ્યા, હવે કેટલી બાકી રહી?' ઘાસ કાપ વાનું કહેનાર તે શ્રાવકે પણ અધીરા બની એમ પૂછ્યું. એટલે મહેાપાધ્યાયજીએ કશું, ‘બાર વરસ ઘાસ કાપ્યું તેના આજે પૂળા છ્યુંધાય છે, એટલે વધારે સમય લાગે એમાં નવાઈ શી ?' શ્રાવક તરત વાત સમજી ગયા અને પોતે કહેલ વચન માટે માફી માગવા લાગ્યા.
મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજીએ પ્રાચીન તથા નવ્યન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યાગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાંત ઇત્યાદિ ઘણા વિષયેા પર સંસ્કૃત પ્રાકૃત, અને ગુજરાતી તથા હિંદી. અને મારવાડી ભાષામાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમની કૃતિમાં નાનું ખાળક પણ સમજી શકે એટલી સફ્ળ કૃતિ છે અને પ્રખર વિદ્વાન પણ સહેલાઈથી ન સમજી શકે એટલી ગૂઢ રહસ્યવાળી કૃતિ પણ છે. એમણે રચેલી સાંસ્કૃત પ્રાકૃત કૃતિઓમાંથી અત્યારે ઉપલબ્ધ કૃતિઓ નીચે પ્રમાણે છે. એમાંની કેટલીક કૃતિઓ છપાયેલી પશુ છે.
૧. અધ્યાત્મ મતપરીક્ષા : આ ગ્રંથનું ખીજું નામ ‘અધ્યાત્મ મતખ ડન ' છે. કર્તાએ મૂળગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાના લખ્યા છે અને તેના ઉપર પાતે જ ૪૦૦૦ શ્લાકમાં ટીકા રચેલી છે. આ ગ્રંથ અને એની ટીકામાં કર્તાએ કેવલી ભગવાને કવલાહાર હાય જ નહિ એ દિગબર માન્યતાનું ખંડન કર્યું' છે અને કેવલીને કવલાહાર હેાઈ શકે એમ સાબિત કર્યુ છે. ગિ ખરાની ખીજી માન્યતા કે પ્રભુને ધાતુરહિત પરમૌદારિક શરીર હાય છે, તેનું પણ આ ગ્રંથમાં ખંડને કરવામાં આવ્યું છે.
૨. અધ્યાત્મસાર : સાત મુખ્ય પ્રબંધમાં વહેંચાયેલા, ૧૩૦૩ શ્લોકેાપ્રમાણુ આ ગ્રંથમાં કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, દંભત્યાગ,