________________
યશોવિજયજી | ૧૨૧ વિનિશ્ચય ગ્રંથને અંતિમભાગ ૧૪ ન રહસ્ય ૧૫. ભાષારહસ્ય ૧૬. વાદમાલ (અપૂર્ણ) ૧૭. સ્યાદવાદરહસ્ય ૧૮. માર્ગ પરિશુદ્ધિ ૧૯. વૈરાગ્યકલ્પલતા ૨૦. યોગબિંદુ અવચૂરી ૨૧. યોગદષ્ટિ સમુરચય અવચૂરી (અપૂર્ણ) ૨૨. સ્વાદ્વાદરહસ્ય બહદુ (અપૂર્ણ) ૨૩. તત્વાર્થવૃતિ ૨૪, વૈરાગ્યરતિ (અપૂર્ણ) ૨૫. સ્તોત્રત્રિક ૨૬. ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ ટીકા (અપૂર્ણ) ૨૭. ન્યાયાલેક ૨૮.ગવિશિંકાવૃત્તિ ૧૯. વિષયતાવાદ ૩૦. તેત્રાવલી-તેત્રત્રિક ૩૧. અષ્ટસહસ્ત્રી ૩૨. કાવ્યપ્રકાશટીકા (અપૂર્ણ).
આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથ પણ એમના હસ્તાક્ષરમાં મળી આવે એવો સંભવ છે. એમના કેટલાક ગ્રંથોનાં પાનાં વેરવિખેર, છૂટાંછવાયાં થઈ નષ્ટ પામ્યાં છે. કચરા તરીકે માની સાબરમતી નદીમાં પધરાવવા માટે લઈ જવાતાં પાનાંના સંગ્રહમાંથી “ગવિંશિકાવૃતિ' જેવા ગ્રંથે મળી આવ્યા છે.
શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરમાં એમણે બીજા ગ્રંથકારના ગ્રંથની પિતાના ઉપયોગ માટે કરેલી નકલ પણ ઠીકઠીક સંખ્યામાં મળે છે. બીજી બાજુ, એમણે પોતે રચેલા ગ્રંથોને એમના ગુરુ શ્રી નયવિજયગણિએ કરી આપેલી નકલે પણ આપણને મળે છે એ પણ એક આનંદગૌરવની વાત છે.
પંડિત સુખલાલજીને અભિપ્રાય શ્રી યશોવિજયજી મહારાજે મહાન જૈન પર્વાચાર્યોની ઘણી કૃતિ ને, મહત્ત્વની ઉપલબ્ધ લગભગ બધી જ કૃતિઓને, ઊંડો અભ્યાસ કર્યો હતે. તદુપરાંત, એમણે અન્ય દર્શને પણ ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. એમના જેટલી અને જેવી બહુશ્રુતતા બહુ જ વિરલ વ્યક્તિઓમાં આપણને જોવા મળે છે. પૂ. પંડિત સુખલાલજીએ શ્રી યશોવિજયજીકૃત પાત-જલ ગદર્શનવૃત્તિ', તથા હારિભળી યોગ