________________
યશવિજ્યજી / ૧૨૫ પાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે. જે બૂસ્વામી રાસ એમના જીવનની ઉત્તરાવસ્થાની, સં. ૧૭૩૯ માં રચાયેલી કૃતિ છે. આ રાસ એમની સમગ્ર ગુજરાતી કૃતિઓમાં કદની દષ્ટિએ મેટામાં મોટી કૃતિ છે. આ પૂર્વે એમણે ગુજરાતીમાં બીજી ઘણી નાનીમોટી કૃતિઓની રચના કરેલી છે. એટલે જ બૂસ્વામી, રાસમાં એમનું ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ ઘણું સારું જોઈ શકાય છે.
' જંબુસ્વામી રાસ પૂર્વે શ્રી યશોવિજ્યજીએ સ્તવન, સજઝાય, સંવાદ વગેરે પ્રકારની કેટલીયે રચનાઓ જુદીજુદી દેશીઓમાં કે રાગરાગિણીઓમાં લખાયેલી ઢાળમાં કરી હતી. તદુપરાંત, એમણે શ્રી વિવિજ્યજીના અપૂર્ણ “શ્રીપાલ રાસ’ના ઉત્તર ભાગની રચના કરેલી હતી અને દ્રવ્ય ગુણપર્યાય રાસ’માં તથા “ષટ્રસ્થાનક પાઈ'માં ત્તત્ત્વજ્ઞાન જેવા કઠિન વિષયને કવિતામાં–રાસના પ્રકારની રચનામાં ઉતારવાને પ્રયત્ન કર્યો હતો. એટલે જ બુસ્વામી રાસની રચના એમને માટે હસ્તામલક જેવી વાત હતી. દ્રવ્યગુણપર્યાય રાસની રચના માત્ર ઢાળામાં થઈ છે અને તેનું વસ્તુ પણ માત્ર તત્વજ્ઞાનનું છે. જ્યારે જબૂસ્વામી, રાસ પ્રાચીન જૈન રાસાપદ્ધતિએ ઢાળ અને દૂહાની કડીઓમાં લખાયેલું છે અને એમાં વસ્તુ તરીકે શ્રી જબૂસ્વામીની કથા લેવામાં આવી છે.
સં. ૧૭૩૮-૩૯માં શ્રી ઉપાધ્યાયજી મહારાજ ખંભાતમાં ચોમાસું રહ્યા હતા. એ અરસામાં સં. ૧૭૩૮માં એમણે “શ્રી જંબૂ સ્વામી બ્રહ્મગીતા' નામની એક નાની કૃતિની રચના કરી હતી. * અને ત્યાર પછી એ જ ચોમાસા દરમિયાન એમણે, આ જંબુસ્વામી રાસની રચના એમના ગુરુ શ્રી નવિજ્યજીના સાનિધ્યમાં રહીને જ ખંભ નયરે પુણ્ય ચિત્તિ હર્ષે જંબૂ વસુદ, ભુવન, મુનિ, ચંદવર્ષે : , શ્રી નયવિજય બુધ સુગુરુ સીસ, કહે અધિક પૂરો મન જમીસ.