________________
૧૨૪ | પડિલેહા છે, “આ મહાત્મા પ્રતિભામાં જાણે સિદ્ધસેન દિવાકરના પુનરવતાર હાય, દાર્શનિક અભ્યાસમાં જાણે લઘુ હરિભદ્ર હાય, શ્રુતજ્ઞાનમાં જાણે બીજા હેમાચાર્ય હાય, અધ્યાત્મવિદ્યામાં જાણે આનંદઘનજીના અનુગામી હેય એમ આપણને સહેજે પ્રતિભાસે છે. * શ્રી ભયંકરવિજયજી ગણિ લખે છે, વાચક યશોવિજયમાં હરિભદ્રાચાર્ય જેવી મધ્યસ્થ બુદ્ધિ અને પરીક્ષક શક્તિ તથા હેમચન્દ્રાચાર્ય જેવી સન્માર્ગ દેશક અને સન્માર્ગ રક્ષક વૃત્તિ તરી આવે છે. તદુપરાંત, પૂર્વના મહાન આચાર્યોની જેમ ગુરુભક્તિ, તીર્થભક્તિ, સંઘભક્તિ, શાસનપ્રેમ, ધર્મપ્રેમ, સંસારજુગુપ્સા, સંગરસ, નમ્રતા, લઘુતા, સરળતા, દઢતા, ઉદારતા, ધીરતા, ગંભીરતા, પરોપકારરસિકતા ઇત્યાદિ અગણિત ગુણે જણાઈ આવે છે. અને એ બધા અપૂર્વ ગુણના કારણે તેમની કૃતિઓ એક નાનું બાળક પણ સમજી શકે એટલી હદ સુધીની સરળ અને એક પ્રૌઢતમ વિદ્વાન પણ ન સમજી શકે એટલી હદ સુધીની ગંભીર મળી શકે છે.*
આમ, અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રમાં પોતાનું મૂલ્યવાન અર્પણ કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આપણું મહાન
જ્યોતિર્ધર છે. તાકિકશિરોમણિ, સ્મારિત શ્રુતકેવલી, લઘુ હરિભદ્ર, દ્વિતીય હેમચન્દ્ર, યોગવિશારદ, સત્યગષક, સમયવિચારક, જૈ બીજમંત્ર પદના પ્રસ્થાપક, “કુલી શારદ' (પુરુષરૂપે અવતરેલ મૂછવાળી સરસ્વતી)નું વિરલ બિરુદ પામેલા, મહાન સમન્વયકાર, પ્રખર તૈયાયિક, વાદીમદભંજક, શુદ્ધાચાર ક્રિયાપાલક, દ્રવ્યાનુયેગને દરિયે ઉલ્લંઘી જનાર ઇત્યાદિ શબ્દ વડે જેમને બિરદાવવામાં આવે છે એવા મહાન જ્યોતિર્ધર શ્રી યશોવિજયજીને આપણું કોટિશ વંદન હે!
(૨) જબૂસ્વામી રાસ સંસ્કૃત અને પ્રાકૃતિમાં અનેક ગ્રંથની રચના કરનાર મહો
. * શ્રી યશોવિજેય સ્મૃતિગ્રંથે પૃ. ૭ * શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ ૫. ૨૬