________________
૧૨૦ | પંડિલેહા વગેરે વિષયે લેવામાં આવ્યા છે. કવિની ઘણીખરી આ રચનાઓ વ્રજભાષામાં કે વ્રજભાષાની છાંટવાળી છે અને કવિતાની ઊંચી કોટિએ પહેચે એવી છે.
આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ સહિત્ય આપણને આપ્યું છે, જે વડે આપણું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમના તમામ સાહિત્ય માટે એમણે પોતે “શ્રીપાળ રાસની બારમી ઢાળમાં કહ્યું છે તે પ્રમાણે અવશ્ય કહી શકીએ,
“વાણુ વાચક જસ તણું કેઈ નયે ન અધૂરી છે.'
મહેપાધ્યાયજી મહારાજે પોતે જે જે ગ્રંથની રચના કરી તેમાંના કેટલાક ગ્રંથની પ્રતિએ તેમના પિતાના હસ્તાક્ષરમાં મળે છે. એમાંની કેટલીક પ્રતિએ મૂળ ખરડારૂપે પણ છે. આવી પાંત્રીસેક જેટલી હસ્તપ્રતે આપણને જુદાજુદા ભંડારોમાં મળી આવી છે. પ્રાચીન સમયના એક જ લેખકની આટલી બધી હસ્તપ્રત એને પિતાના હસ્તાક્ષરમાં મળી આવે એ ઘટના અત્યંત વિરલ અને ગૌરવપૂર્ણ છે. આવી હસ્તપ્રતિ મેળવવામાં સૌથી વધુ ફાળે મુનિ શ્રી પુણ્યવિજયજીને છે; તથા સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા તેમના પરિવારને ફાળે તથા વિદ્યમાન મુનિ શ્રી યશોવિજયજીને ફાળે પણ પ્રશંસાપાત્ર છે. મહાપાધ્યાયજીના નીચે મુજબ ગ્રંથે એમના પિતાના હસ્તાક્ષરમાં લખાયેલા મળી આવ્યા છે:
૧. આભીય મહાકાવ્ય (અપૂર્ણ) ૨. તિડન્વયેક્તિ (અપૂર્ણ) ૩. નિશામુક્તિપ્રકરણ ૪. વિજયપ્રભસૂરિ ક્ષામણુક વિજ્ઞપ્તિપત્ર, પ. સિદ્ધાંતમંજરી શબ્દખંડ ટીકા (અપૂર્ણ) ૬. જંબુસ્વામી રાસ ૭. આરાધક-વિરાધક ચતુર્ભગ-પ૪ ટીકા સહ ૮. અધ્યાત્મસાર ૯. પ્રમેયમાલા (અપૂર્ણ) ૧૦. દ્રવ્યગુણપર્યાય રાસ બાલાવબોધ ૧૧. ધર્મપરીક્ષા પજ્ઞ ટીકામાં ઉમેરણ ૧૨. આત્મખ્યાતિ ૧૩. ગુરુતત્વ