________________
૯૮ | કિલેહ
વિદ્યાભ્યાસ કરાવવા માટે રોજ એક રૂપિયા આપવામાં આવત
તેમણે ચિંતામણિ જે ન્યાયગ્રંથને અભ્યાસ કરી વાદીઓના : સમૂહથી ન જીતી શકાય એવા.પંડિતમાં શિરેમણિનું સ્થાન મેળવ્યું,
તે વખતે કાશીમાં આવેલા એક સંન્યાસીએ શ્રી યશોવિજયજી સાથે વાદ-શાસ્ત્રાર્થ શરૂ કર્યો. પરંતુ શ્રી યશોવિજ્યજીનું અદ્દભુત જ્ઞાન - જોઈને તે સંન્યાસી પિતાનું અભિમાન છેડી ચાલ્યા ગયા. શ્રી યશોવિજ્યજીએ, મેળવેલી આ જીતને પ્રસંગ ત્યાં વાજતેગાજતે ઊજવવામાં આવ્યા હતા, અને ભારે સત્કાર સાથે તેમને પિતાના સ્થાને
લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગથી શ્રી યશોવિજયજીની “ન્યાય- વિશારદ' તરીકે ગણના થવા લાગી. એમણે કાશીમાં ત્રણ વર્ષ રહી
અભ્યાસ કર્યો, ત્યારથી તેઓ “તાકિક શિરોમણિ'ના નામથી પણ ઓળખાવા લાગ્યા હતા. આ છે કાશીમાં અભ્યાસ પૂરો કરી તેઓ પોતાના ગુરુ મહારાજ સાથે આગ્રામાં આવ્યા. તેમની વિદ્વત્તાથી આકર્ષાઈ આગ્રાના જૈન સંઘે તેમની આગળ સાતસે રૂપિયા સદુપયોગ માટે ભેટ ધર્યા. તેમણે તેને 'ઉગ ગ્રંથો લેવા-લખાવવામાં કરાવ્યું અને પછી તે ગ્રંથ વિદ્યાભ્યાસીઓને આપવામાં આવ્યા.
ત્યાર પછી આગ્રાથી વિહાર કરી, સ્થળે સ્થળે વાદ કરી, વાદીઓને પરાજિત કરી, તેઓ ગુજરાતના રાજનગર અમદાવાદમાં પધાર્યા. " એ સમયે અમદાવાદમાં મહોબતખાન નામનો મુસલમાન સૂબો રહેતા હતા. તે સગુણની કદર કરનાર ઉદાર દિલને હતે. એની રાજસભામાં એક વખત શ્રી યશોવિજયજીનાં અગાધ જ્ઞાન, ઊંચી બુદ્ધિપ્રતિભા તથા અદ્ભુત સ્મરણશકિતની પ્રશંસા થઈ. તે સાંભળીને મહેબતખાનને આવા મુનિ મહારાજને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ. તેણે શ્રાવકો મારફત શ્રી યશોવિજયજીને પોતાની સભામાં પધારવાની