________________
યશવિજયજી | ક૭
એણે કંઠસ્થ કરી લીધું હતું. બાળકની આવી અદભુત સ્મરણશક્તિ જોઈ માતાને સાનંદાશ્ચર્ય થયું અને એ વાત ગુરુ મહારાજે જ્યારે જાણું ત્યારે તેમને પણ તે પ્રમાણે સાનંદાશ્ચર્ય થયું.
દીક્ષા પછી ગુરુ શ્રી નયવિજય ગણિ સાથે વિહાર કરતા કરતા શ્રી યશોવિજયજી અમદાવાદ નગરમાં પધાર્યા હતા. તે સમય દરમિયાન તેમણે અમદાવાદમાં ગુરુમહારાજની હાજરીમાં આઠ અવધાનને પ્રવેગ કરી બતાવ્યું. એમના આ પ્રગથી ઉપસ્થિત જનસમુદાય આશ્ચર્યમુગ્ધ બની ગયે. એમની આવી બુદ્ધિ અને સ્મરણશક્તિની પ્રશંસા થવા લાગી. એમાંના એક શ્રેષ્ઠી ધનજી સૂરાને શ્રી યશેવિજયની આવી અદ્દભુત સ્મરણશકિત પ્રત્યે આદર થશે અને તેમણે ગુરુમહારાજ શ્રી નવિજયજીને વિનંતી કરી કે “આ શ્રી યશોવિજયજી વિદ્યાજ્ઞાન મેળવવા માટે યોગ્ય પાત્ર છે. એમને જે ભણાવવામાં આવે તે તે બીજા હેમચન્દ્રાચાર્ય થાય. જે કાશી જઈ બીજાં છ દર્શનેને અભ્યાસ કરે છે તે વડે જૈન દર્શનને તેઓ વધારે ઉજજવળ બનાવે.” ગુરુમહારાજે કહ્યું, “કાશી જઈ અભ્યાસ કરવામાં લક્ષ્મીની જરૂર પડે એમ છે, કારણ કે કાશીના પંડિત પૈસા વગર શીખવતા નથી ” ધનજી સૂરાએ ઉત્સાહપૂર્વક કહ્યું,
બે હજાર દીનારનું ખર્ચ હું આપીશ અને પંડિતને પણ યથાયોગ્ય વારંવાર સત્કાર કરીશ."
આમ ખર્ચની બાબતમાં શેઠ ધનજી સૂરા તરફથી સંમતિ મળતાં ગુરુએ કાશી તરફ વિહાર કર્યો. ધનજી સૂરએ ખર્ચ માટે દંડી લખી આપી જે કાશી એકલવામાં આવી કાશીમાં વડું દર્શનેના રહસ્યના જ્ઞાતા એવા એક ભટ્ટાચાર્ય હતા. એમની પાસે કહેવાય છે કે સાતસે શિષ્ય દર્શનેને અભ્યાસ કરતા હતા. તેમની પાસે ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક ઇત્યાદિને ત્રણ વર્ષ સુધી સતત પરિશ્રમપૂર્વક શ્રી યશોવિજ્યજીએ અભ્યાસ કર્યો. તેમની તરફથી ભટ્ટાચાર્યને