________________
૧૦૦ | પડિલેહા ' ' આશ્ચર્ય થયું. તેમણે તે વ્યક્તિને વંદન કર્યું. એથી સૌ તે વૃદ તરફ જોવા લાગ્યા, અને તે વ્યક્તિ કેણ હશે એ વિશે તર્ક કરવા લાગ્યા. તે સમયે ઉપાધ્યાયજીએ કહ્યું કે “આ એ વ્યક્તિ છે કે જેની પાસે કાશીમાં મેં નવ્ય ન્યાયનું અધ્યયન કર્યું છે. મારા એ વિદ્યાગુરુ પ્રત્યે હું અત્યંત ઋણી છું. તમારે એમને યોગ્ય સત્કાર કરે. જોઈએ.” એ સાંભળી ખંભાતના શ્રી સંઘે તરત રૂપિયા સત્તર: હજારની રકમ એકઠી કરી અને તે બ્રાહ્મણ પંડિતને ગુરુદક્ષિણમાં આપી. પોતાના શિષ્યને આ પ્રભાવ જોઈ હર્ષ પામી વિદ્યાગુરુએ વિદાય લીધી.
- શ્રી યશોવિજયજીએ પ્રતિમાશતક' નામની પોતાની કૃતિ ઉપર પિતે જ રચેલી વૃત્તિમાં પિતાની ગુરુપરંપરાને પરિચય આપે છે. તેમાં તેમણે અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિથી શરૂઆત કરી છે.. તેમાં તેમણે શ્રી હીરવિજયસૂરિના શિષ્ય શ્રી કલ્યાણવિજય, તેમના શિષ્ય શ્રી લાભવિજય અને તેમના બે શિષ્યો તે શ્રી જીતવિજય અને શ્રી નયવિજયનો ઉલ્લેખ કર્યો છે. શ્રી નયવિજય ગણિ શ્રી યશોવિજયના દીક્ષાગુરુ હતા. શ્રી યશોવિજયના ભાઈએ પણ શ્રી નયવિજય પાસે જ દીક્ષા લીધી હતી. આ રીતે શ્રી યશોવિજયજીની ગુરુપરંપરા નીચે પ્રમાણે દર્શાવી શકાય?