________________
યશેાવિ૭ / ૧૦૩
તેમને મળવા ઉત્સુક હતા. એક દિવસ શ્રી યશવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તે સાંભળવા માટે આસપાસના પ્રદેશમાંથી આવીને ખેડેલા ખીજા યતિએ સાથે આન ધનજી પણ આવીને બેસી ગયા હતા. શ્રી યશેોવિજયજીનું અધ્યાત્મ વિશેનું વ્યાખ્યાન સાંભળીને સૌ પ્રસન્ન બન્યા હતા ત્યારે એક જીર્ણવેધારી સાધુના ચહેરા પર એટલા હર્ષ જણાતા નહાતા. શ્રી યોવિજયજીએ એમને પૂછ્યું, “ અરે વૃદ્ધ સાધુ ! તમને વ્યાખ્યાનમાં ખરાબર સમજણુ પડી કે નહીં ? ' તેમનો સાથે વાતચીત કરતાં શ્રી યશોવિજયજીને જાણવા મળ્યું કે તેઓ તે આન ધનજી છે. પછી ઉપાધ્યાયજીએ પેાતે જે ક્લાક પર વિવેચન કરતું વ્યાખ્યાન આપ્યું હતુ. તે લેાક પર વ્યાખ્યાન આપવા માટે આન ધનજીને આગ્રહ કર્યો. આન ધનજીએ એ એક શ્લાક પર ત્રણ કલાક વ્યાખ્યાન આપ્યું. એ સાંભળી સૌ શ્વેતાજનેા ડેાલવા લાગ્યા, અને શ્રી યશોવિજયજીએ પશુ એચિત્તથી એ વ્યાખ્યાન સાંભળી અત્યંત હર્ષ અનુભવ્યા, અને આ પ્રસંગથી શ્રી આન દઘનજી પ્રત્યે તેમને ઘણા પૂજ્યભાવ થયા.
આ પછી, દંતકથા પ્રમાણે, ખીજી એક વાર શ્રી યશેાવિજયજીને શ્રી આનંદઘનજીને મળવાની ઇચ્છા થઈ. બાવાઓને પૂછતા પૂછતા આજી પરની એક ગુફા પાસે તેઓ આવી પહેાંચ્યા. તે સમયે આનંદઘનજી ધ્યાનમાંથી ઊઠીને બહાર નીકળ્યા હતા અને સ્વરચિત આધ્યાત્મિક રચના ગાતા હતા. શ્રી યશેોવિજયજીને જોતાં જ તે સામા જઈ તેમને ભેટચા હતા. કહેવાય છે કે આ પ્રસંગ પછી શ્રી યશોવિજયજીએ શ્રી આન ધનજીની સ્તુતિરૂપ અષ્ટપદી બનાવી હતી.
શ્રી યશોવિજયજીના સ્વવાસ ડભાઈમાં થયેા હતેા તે નિર્વિવાદ હકીકત છે. પરંતુ તેમના જન્મવર્ષની જેમ તેમના સ્વવાસના સમય પણ આપણને સુનિશ્ચિતપણે જાણવા મળતા નથી. તેમ છતાં, તેમના જન્મવર્ષ વિશેની જુદીજુદી શકયતાએ વચ્ચેના ગાળા જેટલે