________________
ચશેવિજયજી | ૯ વિનંતી કરી. ગુરુ મહારાજની આન મળતાં શ્રી યશોવિજયજીએ ને વિનંતીને સ્વીકાર કર્યો; એથી મહોબતખાનને ઘણે આનંદ થયે. તેણે રાજસભામાં જૈન મુનિ મહારાજ માટે બેસવાની યોગ્ય સગવડ કરી. નિશ્ચિત કરેલા દિવસે અને સમયે શ્રી યશોવિજયજી મહારાજ -અગ્રગણ્ય શ્રાવકે સાથે મહોબતખાનની સભામાં ગયા અને ત્યાં -સભાજને સમક્ષ ૧૮ અવધાનને પ્રયોગ કરી બતાવ્યો. તેમની આવી -શક્તિ અને વિદ્વત્તાથી મહોબતખાન પ્રભાવિત અને આનંદિત થશે. તેણે ઉત્સાહપૂર્વક અને ઉત્સવપૂર્વક શ્રી યશોવિજયજી મહારાજનું ઘણું મોટું સન્માન કર્યું. જૈન ધર્મમાં પણ આવા મહાન વિદ્વાન મુનિઓ છે એની તેને ખાતરી થઈ.
આ પ્રસંગ પછી અમદાવાદના શ્રી સંઘે તે સમયના ગરછનાયક આચાર્ય શ્રી વિજયદેવસૂરિ આગળ એવી વિનંતી કરી કે, “મુનિ શ્રી જસવિજયજીએ જૈન ધર્મની જે સેવા બજાવી છે અને બહુશ્રતતા પ્રાપ્ત કરી છે તે માટે તેમને ઉપાધ્યાયની પદવી આપવામાં આવે.શ્રી સંઘની વિનંતીને માન આપી, અને શ્રી યશોવિજયજીની તે માટેની યોગ્યતા જાણ આચાર્ય મહારાજે તેમને ઉપાધ્યાયની પદવી આપવાનું નક્કી કર્યું. તે પછી શ્રી યશોવિજયજીએ “વસ
સ્થાન'ના તપની આરાધના કરી. તપને અંતે શ્રી વિજયદેવસૂરિની -આજ્ઞાથી તેમના શિષ્ય શ્રી વિજયપ્રભસૂરિએ શ્રી સંઘના મોટા ઉત્સવ સાથે વિ.સં. ૧૭૧૮માં અમદાવાદમાં ઉપાધ્યાયની પદવી આપી. ત્યારથી શ્રી યશોવિજયજી મહારાજ “ઉપાધ્યાય શ્રી યશોવિજયજી' બન્યા.
શ્રી યશોવિજયજીના વિદ્યાગુરુ વિશે આ પ્રમાણે એક દંતકથા છે : એક વખત શ્રી યશોવિજયજી મહારાજ ખંભાતમાં પધાર્યા હતા. એક દિવસ તેઓ વ્યાખ્યાન આપી રહ્યા હતા તે વખતે ત્યાં ઉપાશ્રયમાં કઈ એક વયેવૃદ્ધ માણસ આબે અને વ્યાખ્યાન સાંભળવા બેસી ગયે, મહારાજની તરત તેના પર નજર કરી અને તેમને ઘણું