________________
૯૪ / પડિલેહા
મહેાપાધ્યાય શ્રી યશોવિજયજીના જન્મવર્ષની વિચારણા × માટે પરસ્પર ભિન્ન એવાં બે અત્યંત મહત્ત્વનાં પ્રમાણેા મળે છે અને એથી એમના જન્મસમય વિશે હજુ છેવટને સમાન્ય નિશ્ચિત નિર્ણય થઈ શકયો નથી. આ એ પ્રમાણો તે ( ૧ ) વિ.સ’. ૧૯૬૩ માં વસ્ત્ર પર આલેખાયેલા મેરુ પર્વતને ચિત્રપટ, અને (૨) ઉપા૦ શ્રી યશેાવિજયજીના સમકાલીન મુનિ શ્રી કાંતિવિજયજીકૃત ‘સુજસવેલી ભાસ'. આ બંનેમાં અલબત્ત, એમના જન્મ-સમય વિશે કશે ચાક્કસ નિર્દેશ નથી, પરંતુ તેમાં આપેલી માહિતી પરથી જન્મ-સમય વિશે કેટલુંક અનુમાન કરી શકાય છે.
વિ. સં. ૧૬૬૩માં શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજીએ તે વસ્ત્રપટ પર મેરુ પર્વતનું આલેખન કર્યું... હતું. આ ચિત્રપટ આજ દિન સુધી સચવાઈ રહ્યો છે. એની પુષ્ટિકામાં આપેલી માહિતી પ્રમાણે શ્રી નયવિજયજીએ આચાર્ય શ્રી વિયસેનસૂરિના સમયમાં કણસાગર નામના ગામડામાં રહીને સં. ૧૬૬૩માં પેાતાના શિષ્ય શ્રી જસવિજયજી માટે આ પટ આલેખવાના પ્રયાસ કર્યા છે. પુપિકા પ્રમાણે શ્રી નયવિજયજી તે સમયે ગણુ અને પન્યાસનું પદ ધરાવતા હતા. તે શ્રી કલ્યાણુવિજયજીના શિષ્ય હતા અને જેમને માટે આ પટ બનાવવામાં આવ્યા તે શ્રી જસવિજયજી પણુ · ગણુિ' નું પદ ધરાવતા હતા.
હવે આ ચિત્રપટની માહિતી પ્રમાણે વિચાર કરીએ તેા સ ૧૬૬૩માં શ્રી યશેાવિજયજી fળ હતા. સામાન્ય રીતે દીક્ષા પછી આછામાં ઓછાં દસ વર્ષ પછી ગણિપદ આપવામાં આવે છે. (ક્રાઈ
:
× એ વિશે જુએ શ્રી યશોવિજયજી સ્મૃતિગ્રંથ'માં મુનિશ્રી પુણ્યવિજયજીના આમુખ તથા વિદ્યમાન મુનિ શ્રી ચાવિજયકૃત લેખ, ઐતિહાસિક ચિત્રપટનો પરિચય અને મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજીની સાલમીમાંસા’( જૈનયુમ, જાન્યુઆરી, ૧૯૫૯ ).