________________
૭૪ | પડિલેહા
ભાલણનું “નળાખ્યાન ત્રીસ કડવાંનું છે. આ ઉતાવળે લખાયેલું કહેવાતું નળાખ્યાન ૨૮ કડવાંનું છે. એમાં ખરેખર જે ક્યાંય ઉતાવળ કરવામાં આવી હોય તે ૨૬માં કડવાને અંતે : અને ૨૭મા. કડવામાં. ૨૮મા કડવામાં નહીં. ઋતુપર્ણની ગણિતવિદ્યાના પ્રસંગ પછી ત્યાંથી આગળની કથાનું નિરૂપણ ભાલણે ૧૧૫ જેટલી કડીમાં કર્યું છે તે આ બીજા નળાખ્યાનના કવિએ માત્ર દસ કડીમાં કર્યું છે.
આખ્યાનના સ્વરૂપની દૃષ્ટિએ વિચારીએ તે એક મહત્વને તફાવત એ જણાય છે કે ભાલણના પિતાના “નળાખ્યાનમાં કે એના બીજા કેઈ આખ્યાનમાં આખું કડવું સળંગ દેહરામાં લખાયેલું નથી. આ બીજા “નળાખ્યાન માં ૨૬મું આખું કડવું દેહરામાં લખાયેલું છે. વળી, ભાલણ પિતાનાં આખ્યામાં ક્યાંય રયાસંવતઃ આપતા નથી. આ બીજા “ નળાખ્યાન'ની પ્રા.ક. માળાની વાચનામાં. તેની સાલ આપી છે.
આમ, આ બંને “નળાખ્યાન' જો ભાલણે જ રયાં હયા તે આટલા મોટા પ્રમાણમાં ભાષાફેર, શૈલીફેર, વિગતફેર, વસ્તુફેર અને સ્વરૂપફેર કઈ રીતે હોઈ શકે? અને ગમે તેટલી ઉતાવળમાં. લખ્યું હોય તે પણે બંને કૃતિઓની ગુણવત્તામાં આટલે બધે ફેર કઈ રીતે પડે કે જેથી પ્રથમની કૃતિને જરા સરખોયે કાવ્યગુણા બીજી કૃતિમાં આવે જ નહિ? આ પરથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે આ બંને “નળાખ્યાને'નું કર્તવ ભિન્ન ભિન્ન વ્યક્તિઓનું છે એટલે કે બીજ “નળાખ્યાન'નું કર્તવ ભાલણનું નથી જ,
તે આ બીજું “નળાખ્યાન' મધ્યકાલીન કેઈ કવિએ પોતે રચીને ભાલણને નામે ચડાવી દીધું કે અર્વાચીન સમયની કઈ બનાવટ છે? નીચે આપેલા એક વિશેષ નવા પુરાવાથી પુરવાર થાય છે કે ભાલણનું કહેવાતું આ બીજું નળાખ્યાન એ અર્વાચીન સમયની એક બનાવટ છે.