________________
....નળાખ્યાનનું પગેરું / ૭૪
*
પુત્રીની વિરહવ્યથાની વાત ભીમરાજાને કાને આવી, એને બદલે આ ખીજ નળાખ્યાનમાં લખ્યું છે કે દમયંતીની વિરહવ્યથા જોઈ દાસી– એ ભીમરાજાને કહ્યુ` કે દમયંતીને નળ પ્રત્યે પ્રેમ થયા છે. માટે એને એની સાથે પરણાવા ! ’
ભાલણે પેાતાના નળાખ્યાનમાં દેવાની વાત આવતાં બે ત્રણ સ્થળ રંભા, ઉશી, મેનકા, ધૃનાચી, પુલેમિ, પદ્મદ્રારા વગેરે અપ્સરાઓના ઉલ્લેખ કર્યા છે. આ ખીજા નળાખ્યાનમાં તેના કયાંયે ઉલ્લેખ નથી.
'
ભાલણુના ‘નળાખ્યાન’માં દેવાના દૂત તરીકે નળ જાય છે એ પ્રસંગનું મૌલિક નિરૂપણ થયું છે. આ ખીન્ન · નળાખ્યાન ' માં તે મહાભારતને અનુસરીને આપવામાં આવ્યું છે. ભાલણના નળાખ્યાનમાં નળ પેાતાનું કે પેાતાના પિતાનું નામ તરત આપતા નથી. આ નળાખ્યાન'માં તે મહાભારત પ્રમાણે તરત નામ આપે છે.
ભાલણના ‘નળાખ્યાન'માં સ્વયંવરમાં દમયંતીને રાજાના પરિચય એની સખી આપે છે. આ નળાખ્યાન'માં ભાટ આપે છે. ભાલણુના ' નળાખ્યાન'માં કિલ નળની વાડીમાં આવેલા એક -મેહેડાના વૃક્ષમાં આશ્રય લે છે. આ નળાખ્યાન'માં તે પ્રમાણે નથી. ભાલણના નળાખ્યાન 'માં પુષ્કરને દ્યુતમાં રાજેરાજ જીતેલું ધન લઈને રાતના પોતાના આશ્રમે જતા બતાવ્યા છે. આ ખીન્ન નળાખ્યાન 'માં તે પ્રમાણે બતાવ્યું નથી.
'
ભાલણના - નળાખ્યાન 'માં
6
ઋતુપર્ણ જે ફળ અને પત્રની સંખ્યા બતાવે છે તેના કરતાં આ નળાખ્યાન 'માં બતાવેલી સા -જુદી છે.
ભાલણના ‘નળાખ્યાન 'માં પુનર્મિલન પછી નળ ભીમ રાજાને ત્યાં એક સ ંવત્સર રહે છે, આ ‘નળાખ્યાન' પ્રમાણે તે ઘણાં વ રહે છે.