________________
નળાખ્યાનનું પગેરું / ૮૭ સુધી નળ રાજા આવે ત્યાં સુધી વૃક્ષની પેઠે સ્થિર રહીશ. જ્યારે તને ઉપાડીને અહીંથી બીજે ઠેકાણે લઈ જશે ત્યારે મારા શાપથી મુકાઈશ. એવી રીતે મને નારદજીએ શાપ આપે છે માટે હું એક પગલું પણ ચાલવા સમર્થ નથી. વાસ્તે તમે આ અગ્નિથી મારી રક્ષા, કરો. હે નળરાજા હું તમને તમારું શ્રેય થાય એવો ઉપદેશ કરીશ, તથા સખા થઈશ. મારા સરખે કેઈ પણ સપ નથી. માટે હું તમારાથી ઊપડી શકે એવું નાનું સ્વરૂપ ધારણ કરીશ. વાતે મને જલદીથી આ અગ્નિની બહાર લઈ જાઓ, હે યુધિષ્ઠિર, એ પ્રમાણે કહી કટક નાગે અંગૂઠાના પ્રવર જેવડું નાનું સ્વરૂપ ધારણ કર્યું.. નળ રાજા તેને લઈ ત્યાંથી અગ્નિ વગરના સ્થાનક પ્રત્યે ગયો. પછી
જ્યારે તેણે અગ્નિથી મુકાવેલા નાગને ત્યાગ કરવાની અરજી કરી ત્યારે કકોટ ફરીથી બે કે હે નિષધ દેશના રાજા નળ, તું પૃથ્વી ઉપર થોડેક સુધી પોતાનાં પગલાં ગણતાં ગણિત કર જેથી હું તારું શ્રેય થાય એમ કરીશ.”
(ભાષાંતર)
સુણ યુધિષ્ઠિર મહારાજ છે, કહે નળરાજાનું કાજ છે, કાજ કહું નળ પતણું સુણે છે ભૂપાળ; તજી વનમાં તાણી ગયો ક્યાંહી નૃપાળ. ઈક વનમાં ગયે રાજા, દવ બળને ત્યાંહી; ‘નળદેડ' એવો શબ્દ સુણિયો ભય પામીશ નહિ મનમાંહિ એમ કહીને અગ્નિમાં પડ્યો નળ ભૂપાળ; ફણાવાળો નાગ કંપે કહે કાઢ હે દયાળ. કર્કોટક છે નામ મારું મેં છ નારદ મુન્ય; શાપ દીધે તેમણે હયું મારું સુખ પુણ્ય. સ્થિર રહીશ એમ ભાખિયા, અટકે તળને હાથ;