________________
૧૮ | પડિલેહા
ગાંધીને કેવું મરી માટે, મૂર્ણ જાણે નહિ મરીની ખેટ, ગુરુકૃપાએ કવિતાસાગરમાં, આ ગ્રંથરૂપી ભરતીઓટછે.”
પ્રાચીન કાવ્યમાળા 'માં આ નળાખ્યાન પાયા પછી ઈ. સ૧૮૯૫ માં તે “બૃહતકાવ્યદેહન”ના ગ્રંથ પમાં છપાયું. પરંતુ “પ્રાચીન કાવ્યમાળા' કરતાં તેમાં સ્થળે સ્થળે પાઠફેર જોવા મળે છે. અને કેટલીક કડીઓ ઓછી જોવા મળે છે. આમ, આ બે ગ્રંથમાં આ નળાખ્યાન' છપાયા પછી પાંત્રીસેક વરસ સુધી તે ભાલણની. કૃતિ તરીકે જ સ્વીકારાયું અને આપણું સાહિત્યના ઈતિહાસમાં. અને અન્ય ગ્રંથમાં ભાલણની અસંદિગ્ધ કૃતિ તરીકે જ તે ઉલ્લેખ પામ્યું. આ સમય દરમિયાન ભાલણનું કહેવાતું પહેલું નળાખ્યાન અનુપલબ્ધ હેવાનું જ મનાતું હતું.
ભાલણના આ બીજા કહેવાતા નળાખ્યાનનું સંપાદન સ્વ. રામલાલ મોદીએ હાથ ધર્યું ત્યારે કેવી આકસ્મિક રીતે એમને ભાલણનું પહેલું નળાખ્યાન મળી આવ્યું તે એમણે બે “નળાખ્યાને 'ની. પ્રસ્તાવનામાં બતાવ્યું છે. વળી, આ કહેવાતા બીજા “નળાખ્યાન'ની એક પણ હસ્તપ્રત એમને મળી નહિ એ પણ એમણે નોંધ્યું છે. ઈ. સ. ૧૯૨૪માં આ બંને નળાખ્યાને તેમણે પ્રગટ કર્યા ત્યારે આ બીજા નળાખ્યાન વિશે તેમણે થોડીક શંકા વ્યક્ત કરી અને તે માટે કેટલાંક કારણો આપ્યાં. * બીજી બાજુ, એમણે ભાલણની ઉતાવળમાં લખાયેલી એ કૃતિ હેવા વિશે શક્યતા પણ વિચારી જોઈ છે. ભાલણની. આ કૃતિ નથી એ બેધડક અભિપ્રાય એમણે આપ્યો નથી. વળી, આ અર્વાચીન કૃતિ છે એ પણ સ્પષ્ટ અને નિશ્ચિત અભિપ્રાય એમણે આપ્યું નથી કારણ કે આ કૃતિ પ્રાચીન કાળના કેઈ કવિએ રચીને ભાલણના નામે ચઢાવી હેવાને સંભવ પણ તેઓ વિચારે છે. કે “ બે નળાખ્યાન” પ્રસ્તાવના, ૫. ર૨ "