________________
નળાખ્યાનનું પગેરું / ૯ સ્વ. રામલાલ સેદીએ વ્યક્ત કરેલી આ શંકાને ત્યાર પછી કંઈ વેગ મળ્યું નથી. એટલું જ નહિ, ઈ. સ. ૧૯૩૮માં શ્રી કે. કા -શાસ્ત્રી તરફથી “કવિચરિત ભાગ -૧ માં એને સ્વીકાર પણ થયે છે. શ્રી. કે. કા. શાસ્ત્રીએ ભાલણને કહેવાતા આ નળાખ્યાનમાંથી અવતરણ આપી તેમાં મધ્યકાલીન ભાષાની પ્રથમ અને દ્વિતીય ભૂમિકાને અંશે અત્રતત્ર છૂટાછવાયા હોવાનું પણ બતાવ્યું.
આમ, ૧૯૨૪માં સ્વ. રામલાલ મોદીએ આ નળાખ્યાન વિશે -શંકા વ્યક્ત કરી, ત્યાર પછી એ શંકાને દઢ કરે એવાં કઈ વધુ પ્રમાણે હજુ રજૂ થયાં નથી. પરંતુ શ્રી કે. કા. શાસ્ત્રીએ ભાલણના સમય અંગે અને એના આ નળાખ્યાનના અનુસંધાનમાં કર્તવ અંગે પિતાને અભિપ્રાય હવે બદલ્યું છે. તેઓ લખે છે, “મૃદુ પ્રકૃતિના સ્વ. મેદી આમ શંકાની નજરે જુએ એ જ આ કૃતિનું ભાલણનું કર્તવ નથી એ પુરવાર કરવા પૂરતું છે. વસ્તુસ્થિતિએ એની કોઈ હાથપ્રત મળી જ નથી અને મજા તે એ છે કે સાલવાળી કડી માત્ર પ્રા. કા. માળાની વાચનામાં જ છે. જ્યારે ગુજરાતી પ્રેસની બુ. કા. ની વાચનામાં નથી.આ પરિસ્થિતિમાં નરસિંહ મહેતાને નામે ચઢાવેલાં “સુરતસંગ્રામ' અને ગોવિંદગમન ની ભાષામાં તે ભળતાં, અને કેટલીક વાર ખેટાં મધ્યકાલીન શબ્દસ્વરૂપ દાખલ કરી એ બેઉ કાવ્યને જુનવાણું હેવાનું કહેવામાં આવ્યું છે તેવું જ આ બીજા નળાખાનના વિષયમાં પણ બન્યું હોવા વિશે મને તે શંકા હવે રહી નથી.”
આમ શ્રી કે. કા. શાસ્ત્રીને અભિપ્રાય હવે બદલાય છે. પરંતુ તેમણે આ બીજા નળાખ્યાનના કર્તુત્વ વિશે વિશેષ કંઈ સ્વતંત્ર વિચાર કર્યો નથી. ભાલણના પહેલા નળાખ્યાન સાથે એમણે આ બીજુ -નળાખ્યાન સરખાવી જોયું નથી અને સ્વ. રામલાલ મોદીએ વ્યક્ત કરેલી શંકા ઉપરાંત તેમણે એક પણ નવું પ્રમાણ પોતાના અભિપ્રાયના