________________
હેમચના | જ નિહાળતા હશે તેને પણ ખ્યાલ આપે છે.
આ ઉપરાંત, એમણે અનેકાર્થ સંગ્રહ, અભિધાનચિંતામણિ અને દેશીનામમાલા જેવા શબ્દસંગ્રહે તૈયાર કર્યા. એ જમાનામાં એમણે એક નહિ, પણ ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુથી ત્રણ ત્રણ શબ્દકેક તૈયાર કર્યા સિદ્ધહેમશબ્દાનુશાસન પછી એમણે લિંગાનુશાસન, છંદાનુશાસન અને કાવ્યાનુશાસન એમ ત્રણ બીજાં શાસનની રચના કરી. વ્યાકરણના નિયમના ઉદાહરણ તરીકે પણ રજૂ થઈ શકે એવા શ્લોકની રચના વડે એમણે સંસ્કૃત અને પ્રાકૃતમાં “યાશ્રય” નામનું મહાકાવ્ય લખ્યું. “ગશાસ્ત્ર', “મહાવીરચરિત્ર અને પુરાણોની તેલ મૂકી શકાય એવા “ત્રિપછી શલાકાપુરુષચરિત્ર” જેવા મહાન ગ્રંથ લખ્યા. એટલે સાહિત્યના ક્ષેત્રે પણ ભિન્નભિન્ન શાખાઓમાં એમણે પિતાને વિશિષ્ટ મૂલ્યવાન ફાળે નેધાવ્યો. હેમચન્દ્રાચાર્ય મહાન વિદ્વાન હતા, મહાન છેષકાર હતા, મહાન કવિ હતા અને મહાન વૈયાકરણ પણ હતા. એમની અજોડ પ્રતિભા વ્યાકરણ જેવા શુષ્ક ગણાતા વિષયમાં અને કવિતા જેવા રસિક ગણુતા વિષયમાં એકસરખી આસાનીથી વિહરતી. જ્ઞાનની ઉપાસનામાં એમણે પોતાની જિંદગીનાં લગભગ ૬૪ જેટલાં વર્ષ આપ્યાં. એમણે પોતાના સમયમાં સાહિત્યને એક વિશિષ્ટ યુગ પ્રવર્તા. લેકાએ એમને “કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ આપ્યું. | હેમચન્દ્રાચાર્ય એક જૈનાચાર્ય અને પ્રખર સાહિત્યકાર તરીકે તે મહાન હતા, પણ માનવ તરીકે પણ તેઓ મહાન હતા. તેઓ અત્યંત તેજસ્વી અને વિનમ્ર હતા. હૃદયની વિશાળતા અને ઉદારતા વડે એમણે દેવબંધ કે શ્રીપાલ જેવા વિરોધી કે પ્રતિસ્પધીને છતી લીધા હતા. તેઓ સાધુ હતા, તેમનું સમગ્ર જીવન સાધુતાથી સભર હતું. સંસારના રંગથી રંગાયા વિના તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને પિતાને સાધુત્વના રંગથી રંગી દેતા. તેઓ હમેશાં સંપ્રદાયથી પર જ રહ્યા હતા. પિતાના જીવન દરમ્યાન એક નહિ પણ બે રાજાઓને