________________
૬૦ | પડિલેહ પતિ તે સમયે બહારગામ વેપારાર્થે ગયો હતો એટલે એને પૂછ્યા વિના પુત્ર કેવી રીતે આપી શકાય? દેવચન્દ્રસૂરિએ ચાહિણીને ખૂબ સમજાવી અને કહ્યું કે પતિ બહારગામ છે એ કદાચ ઈશ્વરી સંકેત હશે. અંતે ચાહિણીએ પોતાને પુત્ર દીક્ષાથે દેવચન્દ્રસૂરિને સોંપી દીધો, અને દેવચંદ્રસૂરિ વિહાર કરતા ખંભાત પહોંચ્યા. દરમ્યાન ચાચ બહારગામથી પાછા આવ્યા. પુત્રને ન જોતાં તુરત ગુસ્સે થઈ, ખાધાપીધા વિના પગપાળા ખંભાત આવી પડે અને મેલાઘેલા વેશે ઉદયન મંત્રી પાસે જઈ એણે ફરિયાદ કરી. ઉદયન મંત્રીએ દેવચન્દ્રસૂરિ પાસેથી એનો પુત્ર મંગાવી એને પાછો સોંપ્યો, અને પછી સમજાવ્યું કે “આ પુત્ર તમારી પાસે રાખશો તે બહુ બહુ તે એ ધંધૂકાને નગરશેઠ બનશે અને દેવચન્દ્રસૂરિને સોંપશે તે એક મહાન આચાર્ય થશે અને આખી દુનિયામાં નામ કાઢશે.” ઘણું સમજાવ્યા પછી ચાચે પિતાને પુત્ર દેવચન્દ્રસૂરિને પાછા સાં.
ત્યાર પછી નવમે વર્ષે ચ ગને દીક્ષા આપવામાં આવી અને એનું નામ પાડવામાં આવ્યું સેમચન્દ્ર નાના સમચન્દ્ર ત્યાર પછી સંસ્કૃત, પાકૃત અને અપભ્રંશ ભાષાને અભ્યાસ કર્યો. સાથે સાથે વ્યાકરણ, કાવ્યાલંકાર, યોગ, ન્યાય, ઈતિહાસ, પુરાણ, તત્ત્વજ્ઞાન વગેરે ભિન્ન ભિન્ન શાખાઓને પણ ઊંડો અભ્યાસ કર્યો. વિદ્યામાં પારંગત બનતાં આ સંયમ, અલ્પભાષી, તેજસ્વી યુવાન સાધુને વધુ અભ્યાસાથે કાશ્મીર જવાની ઈચ્છા થઈ. ગુરુએ એને સમજાવ્યું કે તારું સ્થાન ગુજરાતમાં છે, ગુજરાત બહાર જવાનાં સ્વપ્ન સેવવાની જરૂર નથી. ઉત્તરોત્તર ગુરુને પણ પ્રતીતિ થતી જાય છે કે સેમચન્દ્રની દૃષ્ટિને ઘણે વિકાસ થયો છે, એની પ્રજ્ઞા પરિણુત બનવા લાગી છે, એની તેજસ્વિતા વધતી જ ચાલી છે. એટલે એમણે પોતાની પાટે આચાર્યપદે સેમચન્દ્રને સ્થાપવાનો નિશ્ચય કર્યો. અને વિ. સં. ૧૧૬માં સેમચન્દ્રને એકવીસમે વર્ષે દેવચન્દ્રસૂરિએ ખંભાતમાં