________________
૪૦ / પડિલેહા
શેભાવાળા, સ્ફટિક હાય તેવો, શરદકાળ ચંદ્રની જયેાસ્ના, ખીલેલાં પુષ્પાની સુગ ંધ, નવપલ્લવિત લીમડા, ઊગેલા અનાજના છેાડ, બળદોના અવાજ વગેરે વડે મનેાહર લાગે છે. કવિએ સમાસયુક્ત ભાષામાં રચેલી ચાર કડીમાં આ શરદઋતુનું વર્ણન કર્યું છે,
દ કલિહની કથામાં કવિએ વર્ષાઋતુનું વર્ણન કર્યું છે. ઉપમા અલંકાર વડે કરાયેલ! આ વનમાં કવિ લખે છે કે કાઈક જગ્યાએ સરાવરનાં કાદવ અને ઘાસ શરીરે ચાંટેલાં હેાય તેવા, વનની ભેંસા જેવા મેઘ ઉતાવળથી વિચરતા હેાય તેમ જણાતા હતા. ભયંકર અને ભમરાના અંગ જેવી કાંતિવાળા મેઘ કામી અસુરની જેમ વિચરતા હતા. વળી નવીન પાકતા આંબાની ગંધવાળા ફેલાતા પવન ધમધમ કરતા વનમાં વાઈ રહ્યો હતા. પ્રથમ વર્ષા થવાના યોગે પૃથ્વી અને જળના સંગમ થવાથી માટીની સૌરભવાળા અને ભેંસાને મદ કરાવનાર સુગંધી પવન વાઈ રહ્યો હતા. તે વખતે નવીન કામળ અંકુરા જમીનમાંથી બહાર ફૂટવા લાગ્યા. પર્વતનાં શિખર અને ગુફાઓમાં માર નૃત્ય કરવા લાગ્યા. પતિ પરદેશ ગયા હોય તેવી ગૃહિણીએ દીન અને ઉદાસીન રહેવા લાગી. નવા ઊગેલા અંકુરાથી પૃથ્વી શોભવા લાગી. લૈકા આકુળવ્યાકુળ બનવા લાગ્યા. પાણીની પરખેાના મંડપા છેડાવા લાગ્યા. ખેડૂતા હળ અને ખેતીનાં સાધના તૈયાર કરવા લાગ્યા. મુસાફરી ઘેર પાછા ફરવા લાગ્યા. ગામેામાં ઘરનાં છાપરાં સરખાં કરાવા લાગ્યાં.'
વર્ષાનું આ વન કવિએ અત્યંત મનેાહર કર્યું છે. તેમાંનું કેટલુંક પદ્યમાં સમાસયુક્ત શૈલીથી કરેલુ છે અને કેટલુંક ગદ્યમાં લયયુક્ત નાની નાની ગદ્યપ તિથી કરેલું છે. વર્ષાના વનમાં કવિની અવલોકનક્તા આપણુંને સરસ પરિચય થાય છે.
માનભટ્ટની કથામાં કવિએ કરેલુ. વસંતઋતુનું વન વર્ષાઋતુના વનની અપેક્ષાએ ટૂંકું છે, ભ્રાકિલાના મધુર શબ્દોવાળુ, ભમરાના