________________
૪૬ | પડિલેહા ગ્રંથમાં એમણે શંગાર, વીર, કરુણ, હાસ્ય, બીભત્સ, શાંત વગેરે રસોનું આલેખન કરેલું છે. અહીં શંગારરસનું જે આલેખન કરવામાં આવ્યું છે તે જોઈ કેઈકને પ્રશ્ન થાય છે કે એક જૈનાચાર્યે કરેલી આ ધર્મકથાની રચનામાં શંગારસને સ્થાન કેમ હોઈ શકે? આ દષ્ટિબિંદુથી જોતાં કેઈકને કદાચ આ કથામાં નિરૂપાયેલ શંગારરસ ટીકારૂપ પણ લાગે પરંતુ લેખક પોતે આ વસ્તુસ્થિતિથી અનભિજ્ઞ નથી. તેમણે શૃંગારરસનું જે આલેખન કર્યું છે તે સપ્રયજન છે અને પિતાને માથે આ અપવાદ કદાચ આવે એમ સમજીને તેમણે ગ્રંથને અંતે એ બાબતને ખુલાસો પણ કરેલું છે. ,
ગ્રંથના આરંભમાં તેમણે બતાવ્યું છે કે જુદા જુદા પ્રકારના જીવ, પરિણામ ભાવ જાણવા માટે સર્વ ઉપાય કરવામાં નિપુણ જિનેશ્વર ભગવંતે ચાર પ્રકારની કથા કહી છે, જેમકે ૧. આક્ષેપણું, ૨. વિક્ષેપણ, ૩. સંવેગજનની, ૪. નિર્વેદજનની. આક્ષેપણ કથા તે વાચકને પ્રથમ શ્રવણ તરફ આકર્ષી અને અંતે ધર્મ તરફ આકર્ષનાર બને છે. વિક્ષેપણ કથા તેને સંસારથી દૂર લઈ જનાર બને છે. સંવેગજનની કથા વાચકને મોક્ષાભિલાષી બનાવે છે અને નિર્વેદજનની કથા તેનામાં સંસાર પ્રત્યે નિવેદ જન્માવે છે. આ કથાપ્રકાર જણાવ્યા પછી કવિ કહે છે એમ અહીં પણ ચાર પ્રકારની ધર્મકથા શરૂ કરી છે, તેમાં કઈ કઈ કામશાસ્ત્રને સંબંધ પણ કહેવાશે માટે તેને નિરર્થક ન ગણશો, પરંતુ ધર્મપ્રાપ્તિ કરાવવામાં તે આકર્ષણ કરનાર છે એમ ગણીને તેનું બહુમાન કરશે. ગ્રંથના અંતે પણ કવિ કહે છે કે અમારા પર ઈર્ષા કરનાર ખલ, પિશુન, રાગી, મૂઢ વગેરે ન બોલવા યોગ્ય બેલશે અને કહેશે કે આમાં રાગ બહુ વર્ણવે છે. તે રાગબંધન ઉત્પન્ન થાય તેવી રચના શા માટે કરવી? તેના ઉત્તરમાં કર્તા કહે છે કે રાગવાળું ચિત્ત હોય તેને પ્રથમ રાગ દેખાડવાથી પછીથી વૈરાગ્ય થાય છે. આ રાગ વૈરાગ્યને હેતુ બને છે. વળી કઈ પ્રશ્ન