________________
કુવલયમાલા / ૪૭
કરે કે ધર્મની આ વાર્તામાં પુરુષોનાં લક્ષણા શા માટે કહેવાય છે ? તેના જવાબમાં કર્તા કહે છે કે શ્રોતાઓનુ` આકĆણુ કરવું એ કવિઆને ધર્મ છે. વળી, આવી રીતે ધર્મ કથામાં રાગ વવાયા હેાય એવી પેાતાની પુરાગામી કથા તરીકે વસુદેવહિડી અને સ્મિલહિડીના એ સદમાં ક્રવિએ નિર્દેશ પણ કરેલા છે.
શ્રી ઉદ્યોતનસૂરિએ આ કથાની રચના એવી રીતે કરી છે અને એમાં અવાંતર કથા એવી રીતે ગૂંથી લીધી છે, કે જેથી તેમાં જુદા જુદા પ્રસંગે પ્રસંગેાચિત ધર્માંતત્ત્વની વિચારણા પેાતાના દ્વારા કે કાઈ પાત્ર દ્વારા કરવામાં આવે, ચંપૂપ્રકારની આ રચના હેાઈને તેમાં કથાતત્ત્વના પ્રવાહ વચ્ચે વચ્ચે મંદ બને અને વર્ણન કે વિવેચન પ્રધાનસ્થાન લે એ સ્વાભાવિક છે. વળી અહીં તેા કર્તાના ઉદ્દેશ એક સંકી` `ધ કથા કહેવાના છે અને તેથી કથા કે કવિતા કરતાં ધર્મવિચારણા અને ધર્મોપદેશ તેમાં પ્રાધાન્ય ભાગવે એ પણ સ્વાભાવિક છે. કવિ પાતે જૈન છે. પાતાનાં ધર્મશાસ્ત્રાના તેએ મહાન જ્ઞાતા પશુ છે એની પ્રતીતિ આ ગ્રંથ વાંચતાં વારંવાર આપણને થાય છે. જૈન ધર્મની બધી જ મહત્ત્વની વિચારણા તેમણે આમાં પ્રસંગેાપાત્ત ગૂંથી લીધી છે એટલું જ નહિ સ્થૂળ ધાર્મિક ક્રિયાઓનાં વર્ણના પણ તેમણે વચ્ચે વચ્ચે મૂકયાં છે. સમ્યક્ત્વનાં લક્ષણા, ખાર ભાવના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દેશવિરતિ, સર્વવિરતિ, કર્મ મીમાંસા, નારકી અને તિર્યંચ ગતિનાં દુ:ખા, કષાયનું સ્વરૂપ, લેસ્યા વિચારણા, મુનિચર્યા, મહાવિદેહક્ષેત્ર, મનુષ્ય જન્મની દુર્લભતા, દેવગતિ અને ચ્યવન સમય, ખાલમરણુ, અને પંડિતમરણુ, જીવનના જન્મમરણની અનંતતા, પંચપરમેષ્ઠિને નમસ્કાર, ચારશરણુ વગેરે વિશે આમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. કવિનું તત્ત્વચિંતન અત્યંત વિશુદ્ધ છે; વળી ભાષા ઉપરનું પ્રભુત્વ અસાધારણ છે અને છ ંદ પરનું પ્રભુત્વ પણુ અપ્રતિમ છે. એટલે આવા શાસ્રોપદેશ તેમણે ઘણુ ખરુ' પદ્યમાં અને તે પણ સરળ