________________
કુવલયમાલા | ૪૧
ગુંજારવથી વાચાળ, કામબાણથી દુપ્રેક્ષ્ય, નવીન પુષ્પોને કળારૂપ અંજલિ કરીને નમ્ર બનેલા સામે માફક વસંતકાળ આવે છે. વસંતઋતુનું આગમન થતાં સ્વાધીન પતિવાળી સ્ત્રીઓ હર્ષથી પ્રફુલ્લિત બને છે. પ્રષિતભર્તૃકા દીનમુખવાળી બને છે. બાળકે એકઠાં થઈ મેટા અવાજ કરે છે. યુવક-યુવતીઓની મંડળીઓ રાસડા ગાય છે. મદિરાપાન કરાય છે. ગીતે ગવાય છે અને ઋતુમાં મદત્સવ પણ rઊજવાય છે.
પ્રકૃતિવર્ણનમાં કવિએ દિવસ અને રાત્રિના જુદા જુદા પહેરનું ‘પણ મને હર વર્ણન કર્યું છે સંધ્યાનું વર્ણન કરતાં કવિ લખે છે, બાળક જળાશયમાં તરવા કૂદકે મારે ત્યારે હાથ નીચા કરેલા હેય, મુખ નીચે હોય અને પગ ઊંચે ગયેલા હોય તથા મસ્તક ઊછળતું હેય તેવી રીતે સૂર્ય અસ્તગિરિ પર ફરવા લાગ્યા. પોતાનાં કિરણરૂપી દેરડાથી બાંધેલે સૂર્યરૂપી ઘડો સંધ્યારૂપી પત્ની વડે આકાશમાંથી સમુદ્રરૂપી કૂવામાં ઉતારાયો. જેને પ્રતાપ ઓછું થઈ ગયું છે, આંખમાં પડલ આવવાથી તેજ ઘટી ગયું છે અને હાથ સંકેચાઈ ગયા છે એવા વૃદ્ધની જેમ સૂર્ય થયું હતું. જન્મેલાનું નક્કી મૃત્યુ હોય છે અને રિદ્ધિ પણ આપત્તિરૂપ નક્કી થાય છે એ પ્રમાણે કહેતે હોય તેમ સૂર્ય અસ્તગિરિના શિખરથી નીચે પડ્યો. અત્યંત આકરા કર નાખીને અનુક્રમે સમગ્ર ભુવનને ખલ રાજા ત્રાસ પમાડી પછી એકદમ વિનાશ પામે છે તેમ સૂર્ય અસ્ત પામ્યો. સૂર્યરૂપી નૃપતિ અસ્ત પામતાં કમળરૂપી મુગ્ધ રાણુઓ અશ્રુજળથી મલિન નીચું મુખ કરીને જાણે રુદન કરતી હતી અને રુદન કરતી માતાએને દેખી બાળકે જેમ લાંબા સમય સુધી રુદનનું અનુકરણ કરે તેમ રુદન કરતાં કમળને દેખી મુગ્ધ ભ્રમરે પણ ગુંજારવ દ્વારા રુદનનું અનુકરણ કરતા હતા. સૂર્યરૂપી મિત્રના વિયેગમાં હંસાએ કરેલા શબ્દરૂપી રુદનને લીધે કમળના હઠ્ય માફિક ચક્રવાકનું યુગલ