________________
કુવલયમાલા | ૩૩ આમ આ કથામાં પાત્ર, ઘટના, ઇત્યાદિની દષ્ટિએ કર્તાએ. સારી વિવિધતા આણુને કથાને રેચક અને રસિક બનાવવા પ્રયત્ન કર્યો છે. મુખ્ય કથા અને અવાંતર કથાઓની પરસ્પર ગૂંથણમાં પણ કર્તાએ અસાધારણ શક્તિ દર્શાવી છે. વાચકને ઉત્તરોત્તર લૂક્ય થાય એ રીતે કથાની સંકલન કરવામાં આવી છે.
કથાને આરંભ કરીને કર્તા તરત જ કથાને ભૂતકાળમાં લઈ જાય છે અને ઘણું પ્રકરણ પછી તેને કથાના વર્તમાન સમય સાથે સાંકળી લઈ ભવિષ્યમાં ગાંત કરાવે છે. કથાને અંત જૈન કથાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે તેવો, પાંચે પાત્રોની મેક્ષગતિને છે.
ગ્રંથનું નામ લેખકે કથાની નાયિકા કુવલયમાલાના નામ પરથી આપ્યું છે. આવી રીતે નાયક કે નાયિકાના, વિશેષતઃ નાયિકાના નામ પરથી કથાનું નામ આપવાની પ્રણાલિકા કવિઓમાં પ્રાચીન સમયથી રૂઢ થયેલી છે. બાણની “કાદંબરીમાં જેમ નાયિકા કાદમ્બરીને પ્રવેશ મોડે કરાયો છે તેમ આ કથામાં નાયિકા કુવલયમાલાને પ્રવેશ પણ મોડે થાય છે. કથાના અંત ભાગમાં પાંચે પાત્રોની અંતિમ આરાધના સપ્રયજન ઘણી વિગતે અપાઈ છે અને એથી ત્યાં કથાપ્રવાહ સ્થિગિત થઈ જતું લાગે છે. પરંતુ કથાને સમેટી લેવાની કથાકારની ઉતાવળ છે તેથી પણ પૂર્વે મહારથકુમારની કથામાં જોઈ શકાય છે. દરેક પાત્રની કથાને વિસ્તારથી અવાંતર કથાઓ સાથે વર્ણવવામાં આવી છે, પરંતુ મહારથકુમારની કથા તદ્દન સીધી, સરળ અને માત્ર બે ટૂંકી કંડિકા જેટલા સંક્ષેપમાં રજૂ કરવામાં આવી છે. (એવું પણ કદાચ બન્યું હોય કે કર્તાએ આ કથા વિસ્તારથી આલેખી હાય, પરંતુ સમય જતાં તે હસ્તપ્રતોમાંથી લુપ્ત થઈ હોય.) મુખ્ય કથાને પ્રવાહ ઘણું વળાંક લઈ કયાંથી ક્યાં આગળ વધતો જતે. હોય છે. એટલે એ લેખકને સ્પષ્ટ હોય તેટલે વાચકને ન હોય એ સ્વાભાવિક છે. એમાં કર્તા એવી રીતે વાચકને કથાના રસપ્રવાહમાં