________________
કુવલયમાલ્ય | ૩૫
મત્ત હાથીઓની ઘટાઓ જેવી છે, જે લટકાવેલાં શંખ, ચામર, ઘંટની શોભાવાળી તથા સિંદૂરવાળી દેખાય છે. વળી કેટલીક મલયવનરાજિ જેવી છે, જેમાં જુદી જુદી ઔષધિઓ અને પુષ્કળ ચંદન વગેરે ગોઠવેલાં છે. કેટલીક સજજનની પ્રીતિ જેવી નિરંતર સ્નેહવાળી (શ્લેષથી ઘણું સ્નિગ્ધ પદાર્થોવાળી) છે, જેમાં ઘણું મનેહર ખાદ્ય-પદાર્થો અને પીણુઓ છે. કેટલીક મરાઠી સ્ત્રી જેવી એકદમ પીળા રંગવાળી, હળદરની રજથી પ્રગટ રીતે પીળાં કરવામાં આવ્યાં છે સ્તન (શ્લેષથી દુકાનના અર્થમાં “પધર' એટલે માટલાં) એવી મનહર છે. કેટલીક નંદનભૂમિની જેમ દેવતાઓવાળી (શ્લેષથી દુકાનના અર્થમાં “સસુરા' એટલે મદિરાવાળી) અને જ્યાં હમેશાં વસંતઋતુ છે (લેષથી દુકાનના અર્થમાં જ્યાં “મધુમાસ' એટલે મધુ અને માંસ વેચાય છે) તેવી છે.'
વિનીતાનગરીનું પરિસંખ્યા અલંકાર પ્રજી કવિએ કરેલું વર્ણન જુઓ :
“આ નગરીમાં લેકોને વ્યસન હોય તે તે જ્ઞાન અને વિજ્ઞાનનાં છે, ઉત્સાહ હોય તે તે ધનમાં અને રણગણમાં છે, પ્રીતિ હોય તે તે દાન અને માનમાં છે. અભ્યાસ હોય તે તે ધર્મ વિશે છે. બેમુખ હોય તો તે મૃદંગમાં છે (અર્થાત નગરમાં કઈ બે-વચની નથી), ખલ (શ્લેષથી ખેળ) હોય તે તે તલના વિકારમાં છે, સૂચક (સેય અથવા એવી અણીદાર વસ્તુ) હોય તે તે કેતકીના ફૂલના ખીલવામાં છે (અર્થાત સૂચક એટલે ચાડિયે નગરમાં કોઈ નથી), કઠોરતા હોય તે તે પથ્થરમાં છે, તીણતા હોય તે તે તરવારની ધારમાં છે, અંદર મલિનતા હોય તે તે ચંદ્રમામાં છે, ભટકવાના સ્વભાવવાળા હોય તે તે ભમરે છે, પ્રવાસે જનાર હોય તે તે હંસ છે (અર્થાત
કેને પ્રવાસથી થતા વિયેગમું દુઃખ નથી), ચિત્રયુક્ત હેય ને તે મોરનાં પીછાં છે (અર્થાત લેકે વિચિત્ર સ્વભાવના નથી), લોહી