________________
૨૪ / પડિલેહા
कुवलयमालेव कथा कुवलयमालाह्यया कुवलयेऽस्मिन् । अर्थप्रपंचपरिमल-परिमिलिताभिज्ञरोलम्बा ॥
दाक्षिण्यचिह्नमुनिपेन विनिर्मिता या प्राक् प्राकृताविबुधमानसराजहंसीं ॥ तां संस्कृतेन वचसा रचयामि चम्पू सद्यः प्रसद्य सुधियः प्रविलोकयन्तु || કથાઓની સ`કુલતાને કારણે કે ભાષાની કઠિનતાને કારણે કે શૃંગારરસના આલેખનને કારણે કે ખીન્ન કાઈ પણ કારણે પ્રાકૃત ‘કુવલયમાલા’ના પ્રચાર પ્રાચીન સમયમાં થવા જોઈએ તેટલા થયેલા જણાતા નથી. સ ંસ્કૃત સંક્ષિપ્ત ‘કુવલયમાલા'ને કારણે પણ તેમ થયું હાય તા નવાઈ નહિ. પરંતુ સંસ્કૃત ‘કુવલયમાલા'ના પ્રચાર પણ અન્ય જૈન કથાપ્રથાની અપેક્ષાએ ખાસ બહુ થયા નથી. · સીમંધર શાભાતરંગ'માં કામગજેન્દ્રની કથા નિરૂપવામાં આવી છે તે સિવાય ‘કુવલયમાલા'ની કથા અન્ય કથાસંગ્રહે!માં લેવાઈ હાય અથવા તેના પર રાસકૃતિની રચના થઈ હેાય એવુ જોવા મળતું નથી.
પ્રાચીન કૃતિઓમાં ગ્રંથકર્તા કેટલીક વાર પેાતાના નામનેા ઉલ્લેખ સુધ્ધાં કરતા નથી. એ દૃષ્ટિએ શ્રીઉદ્યોતનસૂરિએ આ ગ્રંથને અ ંતે પોતે આપેલી પ્રશસ્તિમાં પેાતાની ગુરુપર`પરા તથા કુલપર પરાને પરિચય આપ્યો છે અને કૃતિનાં રચનાસ્થળ તથા સમય વિશે પણ ચોકસાઈપૂર્વક નિર્દેશ કર્યા છે. શ્રીઉદ્ધાતનસૂરિએ આ ગ્રંથમાં આપેલી એ બધી માહિતીથી કેટલાક પ્રશ્નોની બાબતમાં ઘણા સારા પ્રકાશ પડયો છે, પરંતુ શ્રીઉદ્યોતનસૂરિ વિશે એમના અન્ય કાઈ ગ્રંથ, શિષ્યપરિવાર કે કાળધર્મનાં સ્થળ-સમય વિશે પ્રાચીન ગ્રંથામાંથ ખાસ કાઈ વિશેષ માહિતી હજી સુધી સાંપડી નથી.
શ્રીઉદ્યોતસૂરિએ પેાતે આપેલી માહિતી પ્રમાણે તેમના પ્રપિતાનું સંપાદન તૈયાર કર્યુ`' અને ૧૯૫૯માં તે ભારતીય વિદ્યાભવનની સિધી જૈન ગ્રંથમાળામાં પ્રગટ થયુ' છે. આ લેખમાં ‘કુવલયમાલા'ની ક ંડિકાનેા સંખ્યાંક જ્યાં આપ્યા છે તે આ ગ્રંથ પ્રમાણે છે,