________________
११७
પ્રથમ: :
यः श्रेयसि प्रवृत्तानां, निषेधो मोहतो भवेत् । स शालीनूषरक्षेत्रेष्वारोपयति वप्रतः ॥५४९॥ तवापि पूर्वजा राजन् !, वार्धके मुनिवृत्तयः । साम्प्रतं साम्प्रतं तत् ते, कृतज्ञत्वं प्रसर्पति ॥५५०॥ इदं राज्यं कुमारेऽस्मिन्, यत् त्वया विनिवेश्यते । विचार्यं तत्र किञ्चिद् नाऽस्माकमेष भवानिव ॥५५१॥ पितुश्च सचिवानां च, गिरं श्रुत्वा महाबलः । प्रोवाच तातचरणा, अप्रसादाः कथं मम ? ॥५५२॥
મોક્ષગામીની જેમ આવા વચનો તમે શી રીતે બોલો ? (૫૪૮)
વળી કલ્યાણ માટે પ્રવૃત્ત થનારને તેના પરના મોહથી નિષેધ કરવો તે સારાક્ષેત્રમાંથી ઉખરક્ષેત્રમાં અક્ષત રોપવા જેવું છે (૫૪૯)
હે રાજન ! તમારા પૂર્વજોએ પણ વૃદ્ધપણામાં મુનિવૃત્તિ (મુનિપણું) સ્વીકારી છે. તેથી અત્યારે તેમને પગલે ચાલવારૂપ આ તમારી શ્રેષ્ઠવૃત્તિ કૃતજ્ઞતાને સૂચવે છે. (૫૫૦)
વળી આ રાજય તમે કુમારને સોંપો છો, તેમાં અમારે કશો વિચાર કરવાનો નથી. કારણ કે અમે એ કુમારને આપની જેવા જ જોઈએ છીએ. (૫૫૧) રૂડા રાજમહેલને ત્યાગી, એ તો ચાલ્યા રે વૈરાગી
આ પ્રમાણે પિતા અને પ્રધાનોની વચ્ચે થયેલી વાત સાંભળીને મહાબલકુમાર બોલ્યો કે :- “હે તાત ! આપ મારા ઉપર શા કારણે અપ્રસન્ન થયા છો ? (પપર)
કે જેથી મને છોડી જવા ઇચ્છો છો ? એટલે રાજાએ કહ્યું કે:-“હે વત્સ ! તું વિવેકી થઈને એક અજ્ઞાનીની જેમ મારા