________________
२५२
श्री मल्लिनाथ चरित्र इत्थं कदीमानोऽसौ, ग्रामीणैः प्रतिवासरम् । एवं विभावयामास, मुच्यमानरजोगुणः ॥६१६।। दूयसे किमु रे ! जीवाऽनर्गलैः खलु जल्पितैः । प्रदत्तं लभ्यते नैवाऽप्रदत्तं हि कदाचन ॥६१७॥ शुभेतरपरीणामाकृष्टमेतत् तवाऽऽगतम् । तेनाजितं स्वयं भोक्ता, हेतुमात्रं परः पुमान् ॥६१८॥ यदुपात्तं त्वया पापं, भोग्यं जननकोटिभिः । तदिहैव शुभस्वान्तो, भोक्ष्यसे क्षणमात्रतः ॥६१९॥ यतः - ઉત્પાત જેમ નગરને આચ્છાદિત કરે તેમ ગ્રામવાસીઓ ધુળની વૃષ્ટિથી ઢાંકી દેવા લાગ્યા. (૬૧૪-૧૫)
એ વખતે દરરોજ ગ્રામીણ લોકોથી કદર્થના પામતા અને રજોગુણથી મુક્ત તે મહામુનિ ભાવના ભાવવા લાગ્યા કે, (૧૬)
અરે જીવ ! બહુપ્રકારની કદર્થનાથી તું શા માટે દુઃખી થાય છે, દુભાય છે ?” આ તો આપેલું જ પાછું મળે છે. નહિ આપેલું કદાપિ મળી શકતું નથી. (૬૧૭)
તારા અશુભ પરિણામથી આકર્ષિત આ સંકટ તને પ્રાપ્ત થયું છે. તેથી તે જે પૂર્વે ઉપાર્જન કરેલું છે તે જ તારે ભોગવવાનું છે. અન્યમનુષ્યો તો નિમિત્તમાત્ર છે. કર્મસત્તાનો તું અપરાધી છે. (૬૧૮)
કરેલા અપરાધોની સજા ભોગવવાની છે. તે જે પાપ ઉપાર્જન કર્યું છે તે કરોડો જન્મ સુધી ભોગવાય તેટલું છે. છતાં જો શુભભાવથી કષ્ટને સહન કરીશ તો આ ભવમાં થોડા સમયમાં જ તું ભોગવી લઈશ. કારણ કે – (૧૯)