________________
२६२
श्री मल्लिनाथ चरित्र अथोपश्लोकयामास, गुरुस्तद्भाववृद्धये । असारेऽपि भवे प्राप्तं, श्रामण्यं मुक्तिपूरथः ॥६६६॥ चक्रित्वं त्रिदशत्वं च, नृपत्वमहमिन्द्रता । विदन्तु सुलभं चैतद्, दुर्लभं तु जिनव्रतम् ॥६६७॥ यतः - एकाहमपि निर्मोहः, प्रव्रज्यापरिपालकः । न चेद् मोक्षमवाप्नोति, तथापि स्वर्गभाग् भवेत् ॥६६८॥ किं पुनस्ते महाभागास्त्यक्त्वा तृणमिव श्रियम् । आद्रियन्ते परिव्रज्यां, सुचिरं पालयन्त्यपि ? ॥६६९।। इति विनयविनम्रा देशनां पावनां तां
कुमततिमिरवीथीभास्वदंशुप्रकाराम् । કે - હે મહાભાગ્યશાળી ! કલ્યાણકારી ! મુક્તિનગરી તરફ પ્રસ્થાન કરવારૂપ રથ સમાન ઉત્તમશ્રામણ્ય તમને પ્રાપ્ત થયું છે. (૬૬૬)
ચક્રીપણું, દેવપણું, રાજાપણું, અહમિન્દ્રપણું પામવું સુલભ છે પણ આ શ્રમણત્વની પ્રાપ્તિ અતિદુર્લભ છે. કારણ કે, એક દિવસ પણ નિર્મોહી બની પ્રવ્રયા પાળનાર ભવ્યજીવ કદાચ મોક્ષ ન પામે તો પણ સ્વર્ગ તો અવશ્ય પામે જ.” (૬૬૭-૬૬૮).
તો જેઓ લક્ષ્મીને તૃણની જેમ છોડી, દીક્ષા ગ્રહણ કરી ચિરકાળ પાળે તો તે મહા ભાગ્યવંતની તો શી વાત કરવી ? (૬૬૯)
આ પ્રમાણે કુમતિરૂપ અંધકારને દૂર કરનારી સૂર્યકિરણ જેવી પાવનીય દેશના સાંભળીને વિનયથી નમ્ર, પ્રીતિયુક્ત અને