________________
પંચમ: :
त्रये स्युस्त्रिजगन्नाथ !, जम्बूद्वीपे यदीन्दवः । तेनोपमीयते छत्रत्रितयं मूर्ध्नि भासुरम् ॥ ३२३ ॥
स्तुत्वेति विरते शक्रे, श्रीकुम्भः पृथिवीपतिः । विरचय्याञ्जलीबन्धं, स्तुतवानिति भक्तिभाक् ॥३२४॥
धन्य ईक्ष्वाकुवंशोऽयं, प्रसिद्धोऽजनि भारते । यस्मिन् भवादृशा जाता:, सुवृत्ता मौक्तिकोपमाः || ३२५ ॥
येन स्मरेण तीर्थेश !, कुम्भदासीकृतं जगत् ।
स त्वयोन्मूलितो जीर्णपादप इव वात्यया ॥३२६||
४२५
હે જગન્નાથ ! આપના મસ્તકે રહેલા દેદીપ્યમાન ત્રણ છત્ર જો જંબૂદ્વીપમાં ત્રણ ચંદ્રમા હોયતો તેની ઉપમા આપી શકાય. (અર્થા-જંબૂઢીપમાં ત્રણ ચંદ્ર નથી તેથી તારા ત્રણ છત્ર અનુપમેય છે.) (૩૨૩)
આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર વિરામ પામ્યા એટલે શ્રીમાન્ કુંભરાજા ભક્તિપૂર્વક હાથ જોડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. (૩૨૪)
“ભારતમાં ભાગ્યવંત ઇક્ષ્વાકુવંશ આજે વિશેષ પ્રસિદ્ધ થયો છે. જેમાં સુવૃત્ત મૌતિક સમાન આપના જેવા તીર્થંકર ઉત્પન્ન થાય છે. (૩૨૫)
હે તીર્થેશ ! જે કામદેવે સમસ્ત જગતને દાસ બનાવી દીધેલ છે તે કામદેવનું વાયુ જેમ જીર્ણવૃક્ષનું ઉન્મૂલન કરે તેમ સમૂળ ઉન્મૂલન કર્યું છે.” (૩૨૬)
આ રીતે ભગવંતની સ્તુતિ કરી મનમાં હર્ષ પામતા શ્રી કુંભરાજા જાણે વારંવાર જોવાથી પણ તુમ ન થયા હોય તેમ