________________
१४२
श्री मल्लिनाथ चरित्र अथ निद्रां परित्यज्योपाविक्षत् पद्मशेखरः । कस्त्वं भवान् कथं निद्राविद्रावणपरोऽसि मे ? ॥८६॥ सोऽप्युवाच महाभाग !, पुरं शोभापुराभिधम् । अत्रास्ति भूपतिः सोमः, सोमान्वयविभूषणम् ॥८७।। तस्याहं सचिवाधीशः, सुबुद्धिर्नाम सन्मते ! । मम राज्यभरं राजा, न्यस्तवान् धुर्यवच्चिरम् ॥८८॥ भद्र ! सोमनृपो देवादाक्रान्तोऽस्ति रुजा भृशम् । यत्र मन्त्र इवाऽकर्णे, निष्फला औषधक्रियाः ॥८९॥
હાથથી ઝગમગતી નખની પ્રભાવાળા તેના પગના અંગુઠાને હલાવ્યો. (૮૫).
એટલે નિદ્રાનો ત્યાગ કરીને તે બેઠો થયો અને કહેવા લાગ્યો કે :- તમે કોણ છો ? અને મારી નિદ્રાનો ભંગ કરવા શા માટે તૈયાર થયા છો ? (૮૬)
વ્યાધિગ્રસ્ત શોભાપુર રાજાનું પરલોકગમન.
દેવીકૃપાથી પદ્મશેખર કરે રાજયપાલન. તે મહાશય બોલ્યો કે - “હે મહાભાગ ! આ શોભાપુરમાં સોમ(ચંદ્ર) વંશના ભૂષણરૂપ સોમનામે રાજા છે. (૮૭)
હે સન્મતે ! તેનો હું સુબુદ્ધિ નામે મુખ્યપ્રધાન છું. રાજાએ ચિરકાળથી વૃષભથી જેમ રાજયનો ભાર મને સોંપ્યો છે. (૮૮)
હે ભદ્ર ! દેવયોગે તે રાજા હાલ રોગથી બહુ જ ઘેરાઈ ગયો છે. બધિરની પાસે મંત્રોચ્ચારની જેમ હવે તેને માટે કરવામાં આવતા ઔષધોપચાર સર્વ નિષ્ફળ થાય છે. (૮૯)
રાજાના આવા દુશ્ચિકિત્સ્ય વ્યાધિને જોઈને ચિંતાતુર થયેલા