________________
१४९
દ્વિતીયઃ સ.
गृहीते सति दारिद्र्यपुरुषे धरणीभुजा । तद्भयादिव मार्तण्डो, ययौ पश्चिमभूधरम् ॥११८॥ दौर्भाग्यमिव दारिद्रये, प्रससार तमस्ततिः । दूराद् ध्वस्तो दृगालोकः, साधुवाद इव द्रुतम् ॥११९॥ इतश्च स्मेरराजीवं, दधाना करपद्मयोः । लक्ष्मीः प्रादुरभूदग्रे, पुण्यक्षीराम्बुधेः सुता ॥१२०।। देव ! यस्मिन्नयं भद्रः, सुखं खेलति कौतुकी । अहं तत्र न तिष्ठामि, सतीव गणिकौकसि ॥१२१॥
એ પુરુષને આપીને તું લક્ષ સુવર્ણ લઈ લે.” (૧૧૭)
એટલે કુલપુત્રે લાખ સોનામહોર લીધી અને રાજાએ તે દારિદ્રય પુરુષ લીધો. એવામાં તેના ભયથી જ હોય તેમ સૂર્ય અસ્ત થયો (૧૧૮)
એટલે દારિદ્રય આવતાં દીર્ભાગ્ય પ્રસરે તેમ અંધકાર ચારે બાજુ પ્રસરી ગયો. અને સાધુવાદ નાશ પામે તેની જેમ દૃષ્ટિનો પ્રકાશ સત્વર દૂરથી જ ધ્વસ્ત થઈ ગયો. (૧૧૯)
લક્ષ્મીદેવીનું આગમન, કરે રાજાને-ઉપાલંભ. એ અવસરે પોતાના કરપક્વમાં વિકસિત કમળને ધારણ કરતી અને પુણ્યરૂપ ક્ષીરસાગરની પુત્રી એવી લક્ષ્મી રાજાની આગળ પ્રગટ થઈને બોલી કે :- (૧૨)
હે દેવ ! જ્યાં આ ભદ્ર (દારિદ્રય) કૌતુક બનીને સુખે વિલાસ કરે છે. ત્યાં ગણિકાના ઘરમાં સતીની જેમ હું રહેતી નથી. (૧૨૧)
અરે ! આ પુરુષને દાખલ કરીને બળતા ઘેટાને તૃણ અને