________________
१६४
श्री मल्लिनाथ चरित्र
गगनाङ्गणमाध्यस्थं गते गगनदीपके । અ: સમં ર્મ:, સરો માનસવિભ્રમમ્ ॥૬॥
हस्तपादादिकं शौचं, विदधुः किंकरास्तव । इतश्चागाद् मुनिः कश्चिद्, मार्गभ्रष्टस्तदन्तिके ॥१९१॥ दिष्ट्या दृष्ट्वा मुनिं दध्यौ, धन्योऽहं यदसौ मुनिः । मया दृष्टो महारण्ये, कल्पद्रुम इवाऽङ्गवान् ॥१९२॥ तदेव भोजनं शस्यं, यद् दत्तं गुरवे भवेत् । सैव प्रज्ञा यया पापं, न कुर्याद् विधुरेष्वपि ॥१९३॥
विमृश्येदं विशुद्धात्मा, भूरिभावविशेषतः । द्विः करम्बेण पीयूषशीतेन प्रत्यलाभयत् ॥ १९४॥
એક મોટા માનસ જેવા સરોવર સમીપે તું ગયો. (૧૯૦)
ત્યાં તારા સેવકો હાથપગ ધોવા લાગ્યા. એવામાં માર્ગ ભૂલેલા કોઈ મુનિ તારી સમીપે આવ્યા. (૧૯૧)
તેમને જોઈને તું વિચારવા લાગ્યો કેઃ- અહો ! આ મહા અરણ્યમાં સાક્ષાત્ કલ્પવૃક્ષસમાન આ મુનિ ખરેખર મારા ભાગ્યયોગે જ જોવામાં આવ્યા છે. (૧૯૨)
તેથી હું આજે ધન્ય થયો છું. “જે ભોજન ગુરુને આપવામાં આવે તે જ ભોજન પ્રશસ્ત ગણાય છે. કેમકે સંકટ પ્રાપ્ત થતાં પણ જેનાં યોગે પાપકાર્યમાં મતિ ન જાય તે જ ખરી પ્રજ્ઞા ગણાય છે.” (૧૯૩)
આ પ્રમાણે વિચાર કરીને વિશુદ્ધાત્મા એવા તે ઘણા જ ભાવથી મુનિને અમૃત સમાન શીતલ એવો કરંબો (દહીં-ભાત મેળવી બનાવાય તે ભોજ્ય વિશેષ) બે વાર વહોરાવ્યા (૧૯૪)