Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. અતિશય મમતાને લઈને તમારાં દર્શન થતાં જ તે તમને ધન આપશે, એટલે પછી આપણે આપણે નિર્વાહ સુખે સુખે ચલાવશું તે સિવાય બીજો કોઈ ઉપાય મને દેખાતું નથી. સ્ત્રીના હંમેશના આવા આગ્રહથી પીગળી જઈને એક દિવસ તેણે કહ્યું કે પ્રિયે! દુઃખી અવસ્થામાં સાસરાને ત્યાં જવું એગ્ય તે નથી, પરંતુ ત્યારે ઘણે આગ્રહ છે તે કાલે સવારે જઈશ.” તેણીએ વિચાર્યું કે “અઢી દિવસને રસ્તો છે તેમાં એક દિવસ તે ઉપવાસ આવશે.” એટલે બીજા દિવસ માટે પારણાને ગ્ય સાથે, તથા ગોળને કકડો એક કથળીમાં નાંખીને તેણીએ તેને આપે. હવે સવારના પહોરમાં ભેજનકરીને શ્રેષ્ટિ પ્રવાસે નીકળી પડ્યા સાજે એક ગામમાં રાત્રિ ગાળી, બીજે દિવસે સવારના ઉપવાસનું પચ્ચખાણ કરી આગળ ચાલ્યા. સાંજ પડતાં પાછા એક ગામમાં રાત ગાળી, ત્રીજે દિવસે મધ્યાન્હ સમયે એક નદીના કિનારે પારણું કરવા બેઠા. તેવખતે વિચાર કરવા લાગ્યા કે ખરેખર તે જીને જ ધન્ય છે કે જેઓ મુનિને દાન આપ્યા સિવાય ભજન કરતા નથી. પાપના ઉદયથી મને અત્યારે તે એગ કયાંથી પ્રાપ્ત થાય? પરંતુ કદાચ તે વેગ થઈ જાય તો તે મારા અહેભાગ્ય ગણી શકાય.” આમ વિચારતે ચારે દિશા તરફ દષ્ટિ ફેરવે છે, તેવામાં મહિનાના ઉપવાસવાળા એક મુનિ મહારાજ પારણા માટે ગામમાં ગયેલા તેમને શુદ્ધ જળ તે મળ્યું હતું પરંતુ દોષની આશંકાથી તેમણે આહાર લીધે નહોતે. એકલા જળ લઈને આવતા હતા. તે મુનિરાજને જોઈને જેમ ચંદ્રને જોતાં ચકેરને આનંદ થાય તે આનંદ તેને થે. તેણે વિચાર્યું કે અહે મારા ભાગ્ય હજુ તે તેજ કરે છે એમ જણાય છે. હવે જે આ મુનિરાજ મારા