Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RS' ගමන්ම මට ගමටමම රමරමටම මම මටම
श्री आत्मशक्तिप्रकाश ग्रंथ.
ඇමමමමමමමමමමමමමමමම මමම.මමමමම
(මම.මම මම,මම ම ම ම ම ම ම මමමමම,මමම
૨ચયિતા, શાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી.
දැමූ මම ම ම ම ම
ම ම ම මම ඉල ඇට ම මම ම ය
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ કુત્તાકથિના રૂથા ૮૪
શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગનિષ્ટ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ વિરચિત. श्री आत्मशक्तिप्रकाश ग्रंथ.
માણસાનિવાસી શા. વાડીલાલ ગલાલજીની દ્રવ્ય સહાયથી
. છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ હા. વકીલ મોહનલાલ હીમચંદ, મુ. પાદરા.
પ્રથમવૃત્તિ. ઈ.સ. ૧૯૨૫.
પ્રતિ ૧૦૦૦. વિક્રમ સં. ૧૯૮૧.
અમદાવાદ-ધી ડાયમંડ જયુબિલિ પ્રિન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
મૂલ્ય ૦-૪-૦૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ દ્વારા પ્રકટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ ગ્રંથમાળાના ૮૪માં મણકા તરીકે શ્રી આત્મ શક્તિપ્રકાશ ગ્રંથ પ્રકટ કરી આત્મહત્વે જીજ્ઞાસુએના કરકમળમાં આ ગ્રન્થ આદર કરતાં અમને આનંદ થાય છે.
પ્રાતઃસ્મરણીય સદ્દગુરૂ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિજી પોતે ઉત્તમ કોટિના જ્ઞાની આત્માર્થ પુરૂષ છે. તેમની આત્મજ્ઞાન રંગથી રંગાયેલી લેખિનીથી ઓળખાયેલો આત્મ જ્ઞાનની ચર્ચા કરનાર આપાગી ગ્રંથરૂપી સૂર્ય આત્મજ્ઞાનીઓના હૃદયરૂપી કમળાને વિકસાવનાર થયો છે એમાં શંકા નથી. આત્માના સત્ય સ્વરૂપની, ધ્યાન સમાધિ તથા ગની મહત્તાની, તથા આત્મા પરમાત્માની એકતાની ઉત્કૃષ્ટ ચર્ચાવાળે આ ગ્રંથ એ ગુરુ મહારાજના હૃદયની વાનગી જ છે અને આત્માર્થીઓને તેના વાંચન તથા અભ્યાસથી પિતાના આત્માને વધુ ઉજવળ બનાવી આત્મ કલ્યાણ સાધી શકશે અને એ મહાન લાભ પ્રત્યેક આત્મ હિતેચ્છુઓ પાપ એ અભ્યર્થની છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્યવાદ
આ ગ્રંથ છપાવવામાં માણસાના શેઠ વાડીલાલ ગુલાલજી તરફથી તેમના સુપુત્ર જીવરામભાઈનાં ધર્મપત્ની માણેક હેનના સ્મરણાર્થે શેઠ વાડીલાલ છગનલાલે રૂ. ૨૫૧ ) આપ્યા છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
પાદરા.
અ૦ જ્ઞા, પ્ર. મંડળ. વસંતપંચમી ૧૯૮૧. જે વકીલ મેહનલાલ હિમચંt,
नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत
समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ વાડીલાલ ગલાલજીની પુત્રની પત્ની “ શ્રાવિકાબાઈ માણેકબાઈનું જીવનચરિત.”
માણસાના પોરવાડ મારૂ શેઠ શ્રાવક શા. વાડીલાલ ગુલાલજીના પુત્ર શેઠ, જીવનલાલનાં પત્ની શ્રાવિકાબાઈ માણેકબેને માણસાના મારૂ શ્રાવક શા. અમથાલાલ હીરાચંદને ત્યાં જન્મ લીધો હતો. વિ.સં ૧૯૪ર લગભગમાં તેમને શ્રાવિકા બેનકેરના પેટે જન્મ થયે હતો. તેમનું પન્નર વર્ષની ઉમરે લગ્ન થયું હતું, વિ.સં. ૧૯૭૪ ન માગશર વદિ તેરસે તેમણે દેહનો ત્યાગ કર્યો હતો. તેઓ જૈનધર્મનાં પૂર્ણ શ્રદ્ધાળુ હતાં. જૈનધર્મ સાધુ સાધ્વીની સેવા કરવામાં તન મન ધનથી આત્મભોગ આપતાં હતાં, જૈનધર્મનાં પુસ્તક છપાવવામાં તેમણે પોતાના જીવનકાળમાં પણ સારી મદત કરી છે. તેમના ભાઇ માધવલાલ અમથાલાલ નથી તેમના ભત્રીજા પિપટલાલ વગેરે સગાં વહાલાંને તે સારી રીતે ચાહતાં હતા, અને પ્રસંગે તેમને સારી શિખામણ આપીને પિતાની
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેન તરીકેની કુ બજાવતાં હતાં. ગુરૂ મહારાજ આચા શ્રી બુદ્ધિસાગરજીરિ વગેરેની સેવા ભક્તિમાં તથા ઔષધ વગેરેથી ગુરૂભક્તિમાં ધન વ્યય કરીને પેાતાના ધનની તાકતા કરતાં હતાં. તેમણે આચાય ગુરૂ મહારાજ બુદ્ધિસાગર સૂરિનાં અનેક ધ વ્યાખ્યાને સાંભળ્યાં હાવાથી તેમનું મૃત્યુ સમાધિ પૂર્વક થયું હતું, તેમણે સાધ્વીજી હરખશ્રીજી, સુમતિશ્રીજી લાભશ્રીજી, અમૃતશ્રીજી વગેરે સાધ્વીએની સેવા ભક્તિમાં અગ્રગણ્ય ભાગ લીધે હતા. પ્રતિક્રમણ, સામાયિક, વ્રત, પૂજા વગેરે ધર્મકાર્યોમાં તેએ શ્રાવિકા તરીકે ધાર્મિક જીવન ગાળતાં હતાં, તેણીએ વિ.સં. ૧૯૬૨ માં અષાડ સુદિ આઠમે એક જશી નામે પુત્રીને જન્મ આપ્યા છે. તે જીએ વ્યાવહારિક કેળવણી તથા ધાર્મિક કેળવણી લીધી છે અને તેણીનું લગ્ન વિ. ૧૯૭૯ના માગશર માસમાં માણસાના શ્રાવક શેઠે વાડીલાલ છગનલાલ
સાથે થયું છે. બન્નેનું જૈનધમ આરાધન કરવામાં શ્રદ્દાભક્તિવાળું જીવન છે. એ પ્રમાણે તેમની પાછળ જશી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવિકા પણ પિતાની માતાનું ધાર્મિક જીવન અનુસરીને ભવિષ્યમાં ઉત્તમ શ્રાવિકા થશે એમ ઇચ્છવામાં આવે છે. શેઠ વાડીલાલ છગનલાલે તેમની પત્નીની સલાહે આ પુસ્તક છપાવવામાં રૂપૈયા ૨૫૧) ની મદત કરી છે. માણેકબેને સાધુ સાધ્વીઓની સેવાભક્તિમાં અમુક રકમ ભરતી વખતે કાઢી છે, તેમાંથી સાધુ સાધ્વીઓની સેવા ભક્તિ કરવામાં આવે છે. પંડિતના પગાર તથા આવા પુસ્તકો છપાવવામાં પણ તેમાંથી મદત કરવામાં આવે છે. તેથી શ્રાવિકા માણેકબેને પિતાની પાછળ સાધુ સાધ્વીની સેવા ભક્તિની જેવી સારી વ્યવસ્થા કરી છે તેનું શિક્ષણ અન્યોને પણ લેવા જેવું છે.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, વિ.સં. ૧૮૮૧ માઘ સુદિ ૧૨.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
વિસં. ૧૯૬૨માં ચિત્રમાસમાં અમારા ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજ સાહેબ સાથે પેથાપુર જવાનું થયું હતું, વિ.સ. ૧૯૬૧ ના વૈશાખમાસમાં અમારા ઉપદેશથી પેથાપુરમાં જનપ્રાંતિક કોન્ફરન્સ ભરાઈ હતી અને તે વખતે શેઠ લાલભાઈ દલપતભાઈ તથા ગુલાબચંદ ઠઠ્ઠા, શેઠ જમનાદાસ ભગુભાઈ વગેરે આવ્યા હતા. પેથાપુરમાં ૧૯૬૨ માં અમે ગયા તે વખતે સાધ્વીજી રત્નશ્રીજી ઘણાં માંદાં હતાં. તેમણે ગુરૂ મહારાજશ્રી રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી રત્નશ્રીજી ત્યાગી વૈરાગી ઉત્તમ આરાધક સાધ્વી હતાં. તેમણે ચિત્રસુદિમાં પેથાપુરમાં દેહત્સર્ગ કર્યો. તેમની સાથે હરખશ્રીજી સાધ્વી હતાં તે પણ સાધ્વીના અનેક ગુણેએ યુક્ત ઉત્તમ સાધ્વી હતાં તેમણે અમદાવાદમાં વિસં. ૧૯૬૭ માં દેહોત્સર્ગ કર્યો. પથાપુરમાં શ્રી નેમિસાગરજી મહારાજે સત્યસાધુધર્મને આદર્શ જણાવ્યો અને ત્યારથી સાગર શ્રાવકસંઘની સ્થાપના થઈ અને ગુરૂ મહારાજશ્રી રવિસાગરજી મહારાજે સાગરસંઘની
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુષ્ટિ કરી અને જૈનધર્મના વિશેષ રીતે ઉદ્દેાત કર્યાં. અમા પેથાપુરમાં સાધુ અવસ્થામાં વિ. સં. ૧૯૬૧ માં પહેલ વહેલું, જવાનું થયું હતું. વિ. ૧૯૬૨ માં બીજીવાર જવાનું થયું અને ત્યાં માસ કલ્પ કરીને આત્મશક્તિપ્રકાશ ગ્રન્થ બનાવવામાં આવ્યા. તેમજ પેથાપુરમાં ભજન પદે પણ જોડવામાં આવ્યાં છે. આત્મપ્રકાશ ગ્રંથમાં આત્માની ઉન્નતિના અને આત્માની શુદ્ધિના વિચારા જણાવવાાં આવ્યા છે, અને આત્માને કના સંબંધ જણાવવામાં આવ્યે છે આત્માનું કેવી રીતે ધ્યાન ધરવું તે પણ જણાવવામાં આવ્યું છે. કાઈ કાઈ ઠેકાણે હયાગ પ્રાણાયામની સાથે રાજયોગનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. શુભાશુભ વિચારેામાંથી કેવી રીતે મુક્ત થવું અને આત્માના શુદ્ધ વિચાર કેવી રીતે કરવા તે જણાવવામાં આવ્યું છે. આત્મા અનંત શક્તિમાન છે તેનું સ્વરૂપ સમજાવવામાં આવેલું છે, તથા પુણ્ય અને પાપનું તથા છ ક્ષેશ્યાઓનું સ્વરૂપ જણાવવામાં આવેલું છે.
પરમાત્મામાં પેાતાનું ચિત્ત કેવી રીતે જોડવું તે પણ આ ગ્રન્થમાં જણાવવામાં આવ્યું છે. તથા આત્મામાં ઉપયેાગરૂપ સૂરતા કેવી રીતે રાખવી તે પણ જણાવવામાં આવ્યું છે. તથા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ આનંદઘનજી મહારાજ કૃત વીર પ્રભુના સ્તવનનું પ્રસંગોપાત્ત વિવેચન કરી રમાત્માનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે, અને છેવટે આત્મજ્ઞાનના યોગ્ય અધિકારી કોણ છે તે પણ જણાવવામાં આવેલું છે. જ્ઞાન તથા ક્રિયા થકી મોક્ષ થાય છે એમ છેવટે જણાવવામાં આવેલું છે. પેથાપુરમાં સં. ૧૯૬રના વૈશાખ શુદિ, ૩ ત્રીજે ગ્રંથ પૂર્ણ કર્યો એમ જણાવ્યું છે. સર્વ દર્શન ધર્મવાળા લોકોને આ ગ્રંથે ઉપયોગી થઈ પડે એવો છે. એકંદર આ ગ્રંથમાં આત્માની પરમાત્મદશા થવાની સત્ય યુક્તિ જણાવવામાં આવી છે. ગ્રંથમાં દર્શાવ્યા પ્રમાણે સર્વ દેશના મનુષ્ય જે આત્મશક્તિને પ્રકાશ કરવા ઈચ્છે છે તે કરી શકે અને પરમાત્મપદ કરી શકે તેમાં કાંઈ પણ સંદેહ નથી. સં. ૧૯૬૧ ની સાલમાં તથા સં. ૧૯૬૨ ની સાલમાં અમે પેથાપુર ગયા ત્યારે ત્યાં સાબરમતીના કેરેમાં આત્મધ્યાન ધરવાની અનુકુળતા હોવાથી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો અભ્યાસ સ્વશક્તિ અનુસાર પૂરજેસમાં ચાલતો હતો અને તે સાથે વ્યાખ્યાનની પ્રવૃત્તિ પણ દરરોજ ચાલતી હતી, અને નિર્લેપ રીતે લોક કલ્યાણ કરવાની ભાવના પણ પ્રવૃત્તિમાં મૂકાતી હતી, તેમજ આત્મશ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્તિ પ્રકાશ વિગેરે ગ્રંથો લખવાની સ્કૂરણા તથા પ્રવૃત્તિ ચાલુ હતી. આત્મશક્તિ પ્રકાશમાં જૈનશાસ્ત્રના વિરૂદ્ધ કંઈ પણું લખાયું હોય તે ગીતાર્થ સૂરિ વિગેરે ભૂલચૂકની શુદ્ધિ કરે, એવી પ્રાર્થના છે, તેમજ ભૂલ માટે શ્રી સંઘ પાસે માફી માગું છું. પેથાપુરમાં વિક્રમ સંવત ૧૯૬૫ તથા ૧૯૬૯ તથા ૧૯૭૦ માં શેષકાળમાં જવાનું થયું હતું તથા ૧૯૬૪ જવાનું થયું હતું તેમજ વિક્રમ સં. ૧૯૭૧નું તથા સં ૧૯૭૩ નું તથા સં. ૧૮૮૦ નું માસુ પેથાપુરમાં કર્યું. વિક્રમ સં. ૧૯૭૧ના ચોમાસા સુધીમાં સાગરગચ્છમાં બે તડ પડેલાં રહ્યાં હતાં તે દૂર કર્યા અને ઉપાશ્રય સંબંધી એક કમીટી નીમાઈ, તેની મારફત ઉપાશ્રય વહીવટ શરૂ થયું. શેઠ વર્ધમાનભાઈ તથા શેઠ છનાભાઇ જેઠાભાઈ તથા હકમચંદ સુરચંદ તથા શેઠ લાલીપારેખ તથા ગોવરધન પારેખ વિગેરે શ્રી રવિસાગર મહારાજના વખતમાં ઉપાશ્રયમાં આગેવાન ભક્ત શ્રાવકે ગણાતા હતા. હાલમાં શેઠ નાલચંદ ફતેચંદ, શા. કેશવલાલ મનસુખ, વકીલ નગીનદાસ તથા શા. માણેકચંદ ફતેચંદ, શા. માણેકચંદ ગોવરધન, રણછોડભાઈ કારભારી, શા. ચીમનલાલ સાંકળિચંદ. ગાંધી દલસુખભાઈ રવચંદ, શા. મણીલાલ હીરાચંદ..
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારભારી હઠીસંગ તથા સ્વરૂપચંદ હાથી શેઠ તથા ચુનીલાલ તથા સરકાર કેશવલાલભાઈ તથા શેઠ મણિલાલ ભીખાભાઈ કેલાપુરવાળા તથા ગાંધી દલસુખભાઈ તથા શેઠ ભીખાભાઈ દોલતરામ તથા શા. મોતીલાલ પાનાચંદ, તથા રમણુકલાલ ડાહ્યાભાઈ તથા હીંમતલાલ હકીસંગ, લાલભાઈ માણેકચંદ તથા શેઠ ફકીરભાઈ છનાલાલ તથા વૈદ્ય ચંદુલાલ મગનલાલ તથા વાડીલાલ લલુભાઈ તથા પ્રભુદાસ મોતીરામ તથા શા. મેહનલાલ હાથી. સકરચંદ હકમચંદ વિગેરે સાગરગચ્છના શ્રાવક ઉપાશ્રયમાં પધારનાર સાધુઓની તથા સાધ્વીઓની સારી સેવા ચાકરી કરે છે. વિ. સં. ૧૯૮૦ માં અમોએ પેથાપુરમાં માસું કર્યું ત્યારે ત્યાંના શ્રાવકોએ સાધુઓની સેવાભક્તિમાં સારે ભાગ લીધે હતો. તથા વિક્રમ સં. ૧૯૭૩ ની સાલમાં સાગર અને વિમળગચ્છના શ્રાવકાને પરસ્પર ઉપાશ્રય સંબંધી તકરાર ચાલતી હતી તેને નિવેડે પણ બંને ગચ્છના શ્રાવકે એ આ સાલમાં અમારા ઉપદેશથી પરસ્પર સંપીને હાલ કરી દીધો છે. વિમળગચ્છના શ્રાવકે પૈકી આગેવાન શેઠ શકરચંદ બુલાખીદાસ, શેઠ મનસુખભાઈ રવચંદ, વકીલ ડાહ્યાભાઈ હકમચંદ તથા વકીલ જેસંગભાઈ તથા શેઠ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સ્વરૂપચંદ પુનમચંદ તથા શેઠ ચકાભાઈ તથા શેઃ મેાહનલાલ તથા પારેખ અમથાલાલ વિગેરેએ સાગરગચ્છ સંધની સાથે સંપ કરવામાં આગેવાની ભાં સારા ભાગ લીધા હતા અને તેથી પેથાપુરના બન્ને ગચ્છમાં ચાલતી તકરારને અંત આવ્યે છે અને દેરાસરમાં અન્ને પક્ષના મેમ્બરે નિમાયા છે અને બન્ને પક્ષના શ્રાવકાએ દેરાસરનું તથા પાંજરાપોળનું કામ ચલાવવા માંડયું છે. પેથાપુરમાં અમને ચેમાસામાં તથા શેષકાળમાં ઘણી નિવૃત્તિ મળી અને તેથી આત્મશક્તિ પ્રકાશ તથા ખીજા ગ્રંથા પણ ત્યાં લખાયા છે. આત્મશક્તિ પ્રકાશમાં જે કંઇ ભૂલચૂક હાય તે સંબંધી વિદ્વાનેાની સૂચના આવશે તે! તેની તૃતીયા આવૃત્તિમાં સુધારા વધારે કરવામાં આવશે. આ પુસ્તકની પ્રથમાવૃત્તિ ખલાસ થઇ જતાં તેની ધણી માગણી થવાથી દ્વિતીયાત્તિબહાર પાડવામાં આવી છે.
www.kobatirth.org
વિક્રમ સંવત ૧૯૮૧ પોષ સુદ ૧૩ વાર ખુધ. લેખક બુદ્ધિસાગર મુ. લાદરા.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિપત્ર,
અશુદ્ધિ.
અશુદ્ધિ.
શુદ્ધિ.
પૃષ્ઠ.
લીટી. ૧૯
શાક્ત વ્યાહારિક ત્ર. પરથી શિક્ષા ભાતૃભાવ
શક્તિમાન વ્યાવહારિક સહસ્ત્ર પદથી શિક્ષા બ્રાતૃભાવ
७४
ભાતૃભાવ
બ્રાતૃભાવ
૮૮
૧૯
અશ્વિનિવિદા સમિાિવિષ્ટ ચેતન્ય છવાયોનિ છવયોનિ
ચત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૨
૫
દ
૯૯
૧૧૧
૧૧૧
૧૧૮
૧૨૦
૧૨૩
૧૪
૧૨૫
www.kobatirth.org
૧
૧૧
૧
૧૨
४
૧૬
૧૮
૧
८
પ
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
અનાદિકા
પ્રાપ્તેન્દ્રિય
શક્તિયું
નિધાર
પણ
પેાતાનું
ભાવધ
जध
પૂવક
सिं
શ્રેષ્ટતા
અનાદિ
શ્રેત્રન્દ્રિય
શક્તિશું
નિર્ધાર
પેાતાનું
ભાવધમાં
सच
પ્રક
મ શ્રેષ્ઠતા
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
૦
૦–૮–૦
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીગ્રન્થમાળામાં
પ્રગટ થયેલા ગ્રન્થા. પ્રથાક
| પૃષ્ઠ
કિંમત. ૧ ક. ભજન સંગ્રહ ભાગ ૧ લો. ૨૦૦ ૦–૮ –૦
૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ૨૦૬ –૪–૦ : ૨ ભજનસંગ્રહ ભાગ ૨ જે. ૩૩૬ ૦–૮–૦ - ૩ ભજન સંગ્રહ ભાગ ૩ જે. ૨૧૫ ૦-૮-૦ ૪ સમાધિશતકમ.
૬૧૨ ૦–૮–૦ પ અનુભવપશ્ચિશી. २४८ ૬ આત્મપ્રદીપ.
૦–૮–૦ - ૭ ભજન સંગ્રહ ભાગ ૪ થે. ૩૦૪ ૦-૮–૦ ૮ પરમાત્મદર્શન,
૦–૧૨-૦ == ૧૦ તત્વબિંદુ.
૫૦ ૦ ૦–૧૨–૦ જ ૧૧ ગુણાનુરાગ. (આવૃત્તિ બીજી) ૨૪ ૦–૧–૦ = ૧૨-૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મે તથા જ્ઞાનદીપિકા.
૧૧૦ ૦–૬–૦ ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આ.બીજી;૬૪
૦–૨–૦ - ૧૫ અધ્યાત્મભજનસંગ્રહ
૧૦૦
૦–૬–૦ ક ૧૬ ગુરુબેધ.
૧૭૪ ૯–૪-૦ ક ૧૭ તત્ત્વજ્ઞાનદીપિકા
૧૨૪
૧૬
Yoo
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
૩ ૦૮
૧ –
૦
૧૮ ગદ્દલ સંગ્રહ ભા. ૧ ૧૧૨ ૦–૩–૧ - ૧૯-૨૦ શ્રાવકધર્મસ્વરૂપ ભાગ ૧-૨
(આવૃત્તિ ત્રીજી) ૪૦-૪૦–૧–૦ કે ૨૧ ભજનપદસંગ્રહ ભાગ ૬ ઠે. ૨૦૮ ૦–૧૨–૦ ૨૨ વચનામૃત.
૨૩૦ ૦–૧૪-૦ ૩૩ યોગદીપક.
૦–૧૪-૦ ૨૪ જૈન એતિહાસિક રાસમાળા. ૪૦૮ ક ૨૫ આનન્દઘનપદ ભાવાર્થ ૮૦૮ ૨–૦–૦
(૧૦૮) સંગ્રહ - ૨૬ અધ્યાત્મશાન્તિ (આ.બી) ૧૩૨ ૦–૩–૦
ર૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મે. ૧૫૪ -ક ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન
સ્થિતિ. - ૨૯ કુમારપાળ (હિંદી) ૨૮૭ - ૩૦ થી ૪-૨૪ સુખસાગર ગુરુગીતા૩૦૦
૩૫ પદ્રવ્યવિચાર. * ૩૬ વિજાપુરવૃત્તાંત. ૩૭ સાબરમતીકાવ્ય.
૧૯૬ ૦–૬–૦ ૩૮ પ્રતિજ્ઞાપાલન,
૧૧૦ –૫–૦
s.
o
૨૪૦
o
o
!
o
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–૨ ૦-–૦
1
2
૩૯-૮ ૬ જૈનગમતપ્રબંધ,
સંઘપ્રગતિ. જૈન ગીતા. ૩૦૪ ૪જૈનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૧ ૪૩ મિત્રમૈત્રી. ૪૪ શિષ્યોપનિષદ્ . ૪પ જૈનોપનિષદ્,
૪૮ ૪૬-૪૭ ધામક ગદ્યસંગ્રહ તથા
સદુપદેશ ભાગ ૧ , ૯૭૬ ૪૮ ભજન સંગ્રહ ભા. ૮ ૯૭૬
૪૯ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૧ પ૦ કર્મયગ.
૧૦૧૨ પ૧ આત્મતત્વદર્શન
૧૨૨ પર ભારતસહકારશિક્ષણ કાવ્ય ૧૬૮ પ૩ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૨ પર ગહુલી સંગ્રહ ભા. ૨ ૧૩૦ ૫૫ કર્મપ્રકૃતિટીકાભાષાંતર પ૬ ગુરૂગીત ગુંદલસંગ્રહ. ૫૭-૫૮ આગમસાર અને
અધ્યાત્મગીતા. ૪૭૦ ૫૯ દેવચંદન સ્તુતિ રતવન સંગ્રહ. ૧૭૫
૨
–૦
૩–
૦–૧૦–૦
–૮ –
૨–૧૨–-૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૦ પૂજાસંગ્રહ, ભા. ૧ લો. ૧ ભજનપદસંગ્રહ ભાર ૯
૪૧
૧૮૦
૨૦૦
૫૫
૬૨ ભજનપદસંગ્રહ ભા. ૧૦ ૬૩ પત્રસદુપદેશ ભા. ૨ ૬૪ ધાતુપ્રતિમાલેખ સંગ” ભા. ૨ ૨૪૭ ૬૫ જૈનર્દિષ્ટએ ઇશાવાસ્યાપનિષદ ભાવા વિવેચન.
૬૬ પૂજાસંગ્રહ દ્વિતીયાત્તિ તથા અન્યપૂજાએ સહિત ભા. ૨
૧૮
૭ સ્નાત્રપૂન.
૬૮ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનું જીવનચિત્ર.
૬૯ શુÈાપયેાગ
૬૦
યાત્રથ્
૭૧ અણિક સુમેધ,
૭૨ કૃષ્ણગીતા. ૭૩ સધક વ્યગ્રન્થ ૭૪ પ્રજાસમાજક વ્યગ્રન્થ ૭૫ શેકિવનારાક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
સંસ્કૃત અર્થે.
૦
૩૨.
૧૫૬
૬, ૮
1
----
1--~/~
-
--
૧-૮-૦
-----
--
*. ——
.
---- C
---O
Yo
. ~૧૨ ~~~ ૯
૮-૧૨-૦
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
૧૪
૭, ચેટકાધગ્રન્થ ૭૭ સુદર્શનાબેધ. છ૮ લાલા લજપતરાય અને જૈન ધર્મ ૧૦૦ ૭૯ ચિન્તામણિ
૧–૪–૦ ૮૦-૮૧ જૈનધર્મ અને પ્રીસ્વિધર્મનો
મુકાબલો તથા જૈનબ્રીસ્તિ સંવાદ ૨૨૦ 1––૮ –૦ ૮૨ સત્યસ્વરૂપ
૨૦૦ ૦–૧૨–૦ ૮૩ ધ્યાનવિચાર ૮૫ આત્મશક્તિપ્રકાશ
૦-– ૪ –૦ ૮૬ સાંવત્સરિક ક્ષમાપના ૧૭ આત્મદર્શન (મીચંદ્રજી કૃત
સઝાયોનું વિવેચન ૨૧ ) ૧૫૦ ૦––૪–૦ ૮૮ જૈન ધાર્મિક શંકાસમાધાન ૫૫ ૦–૨–૦ ૮૯ કન્યાવિક્રયનિષેધ તથા બાલનિષેધ રર૦ ૦-૮–૦ ૯૦ આત્મશિક્ષાભાવનાપ્રકાશ ૧૧૫ ૦–૭-૦
છેડા માસમાં બહાર પડનાર ગ્રન્થા ૧ આત્મપ્રકાશ. ૨ તરવવચાર. ૩ જૈન શ્વેતાંબર ગ્રંથનામાવલિ. ૪ શ્રી દેવચંદ્રજી નિવાણુ રાસ અને જીવનચરિત્ર.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ મોટું વિજપુર વૃત્તાંત. ૬ ઉ૦ યશોવિજયજી નિબંધ
સંસ્કૃત ગ્રન્થ૭ અધ્યાત્મગીતા. ૮ આત્મસમાધિ શતક. ૯ આત્મસ્વરૂપ ૧૦ જીવનપ્રાધ ૧૧ પરમાત્મ દર્શન ૧૨ ભજન સંગ્રહ ભા. ૧૧ મે.
- આ નીશાનીવાળા ગ્રંથે શીલક નથી. પુસ્તકો મળવાનાં ઠેકાણું –
૧ વકીલ મોહનલાલ હીમચંદ પાદરા(ગુજરાત). ૨ આત્મારામ ખેમચંદ સાણંદ (ઇલે અમદાવાદ ). ૩ ભાંખરીઆ મોહનલાલ નગીનદાસ ૧દર –૯૪,
બજારગેટ કોટ–મુંબઇ જ શેક નગીનદાસ રાયચંદ ભાખરીઆ મહેસાણા૫ શેઠ ચંદુલાલ ગોકળદાસ, વિજાપુર જૈનતાનમંદિર ૬ બુકસેલર મેઘજી હીરજી પાયધુની–મુંબઈ. ૭ મા, રતિલાલ કેશવલાલ, મુપ્રાંતીજ. ૮ શ્રીમદ્ બુદ્ધિસાગર મંડળ, મુ. પેથાપુર,
સાગરગ ઉપાશ્રય.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री आत्मशक्तिप्रकाशग्रंथ
ॐ अर्हम्.
मंगलम् નવા જિનાથી ઘર્ષ, પાછળ દૂષિતHI आत्मशक्ति प्रकाशोऽयं, ग्रन्थो वितन्यतेमया।
સ્વસ્વરૂપથી અભિન્ન અનંતગુણાધીશ સદ્ગુરૂ પરમાત્માને ઉપયોગ પૂર્વક માંગલ્ય પ્રસંગમાં સહસ્ત્રીય છું, નમું છું, સ્તવું છું, મરૂ છું.
જગતના પ્રેમી બંધુઓ તમને એક વસ્તુ જે તમારા દેહમાં વિદ્યમાન છે. તેની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તમે સત્યશાંતિ આનંદ મેળવી શકવાના નથી.
જેની વિદ્યમાનતાએ તમે હાલી ચાલી શકે છે. હરે છે, ખાઓ છે, પીવે છે, તે અમૂલ્ય વસ્તુ પ્રતિ જરા પણ લક્ષ તમે દીધું છે ? અને તેના પ્રતિ જરા પણ પ્રેમ કીધો છે?
સર્વ જગતના જીવોને તે અમૂલ્ય અચિંત્ય ચિતિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિમાનની ઓળખ કરાવવા, પ્રેમ કરાવવા, આમંત્રણ કરું છું તે પ્રેમ ભાવથી સ્વીકારશે.
તો ચિંતાતુર છે; શા માટે વૃથા દુઃખના વિચારોમાં મનને પ્રેરે છે ? આ આત્મધર્મમાં જોડાઓ. ખરેખર અલ્પ સમયમાં વિદ્યુતના પ્રકાશની પેઠે ચિંતાનષ્ટ થશે.
તમે સંસારના દુઃખથી પીડા પામે છે; હાય હાય કરે છે. જે કાઈ મળે છે તેની આગળ પિતાનાં દુઃખનાં રૂદડાં રૂ છે; અને ગરીબ ગાય જેવું દીન મુખ કરી નાખો છે; શા માટે એ સર્વ કરે છે ? તમે આત્મધર્મમાં જોડાઓ. આત્માને ઓળખો. તેની નજીક જાઓ. ખરેખર તેનાથી તમને અપૂર્વ શાન્તિ મળશે.
રાજા કે રંક, રોગી કે ભગી, બાલકે વૃદ્ધ, સ્ત્રી વા પુરૂષ; શત્રુ વા મિત્ર, પૂજક વા નિંદક, સ્વજાતીય વા વિજાતીય; જે કઈ છે પિતાનું કલ્યાણ ઈચ્છે છે તે સર્વ આત્મધર્મમાં જોડાએ, અને આત્મ બગીચાની નજીક આવતાં તમે સર્વ સમાન સુખી, સમાન ધર્મ, સમાન શક્તિમાન, અને એક બીજાના ઉપર પ્રેમ દ્રષ્ટિથી જેનાર દેખાશે. નક્કી સત્ય કહું છું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
પ્રેમી
એ ! તમારી વૃત્તિ જે જે પદાર્થોંમાં લાગી છે. તે સર્વથી ખેંચી લેઇ જરા આત્મશક્તિ તરફ આનદ્ર અર્થ વૃત્તિ વાળે!, નક્કી તમે! જે રૂપે છે, ત્યાં તમેા આવી જશે.
દુ:ખને નાશ કરવા અર્થે તથા સુખને પ્રાપ્ત કરવા અથે પ્રત્યેક મનુષ્યને આત્મ શ્રદ્ધા કેળવવાની ઘણી અગત્ય છે. ટૂંક મનુષ્યની ટૂંકતાનું દુ:ખ, તેને ધન અર્પીને ટાળવા તમેા પ્રયત્ન કરે છે તેા તે દુ:ખ ટળે છે ખરું પણ તે ઘેાડા કાળ પર્યંતજ. ભૂખ્યાને ભાજન આપી તમે તુમ કરેા છે તે તેની ક્ષુધાનું દુઃખ ટળે છે ખરૂં પણ તે એક ટંકનું કે એક દિવસનુંજ, આત્મ શ્રદ્ધાથી રહિત અંતે દુઃખથી પીક્તિ રહેવાના. આમ હોવાથી ધનદાન, અન્નદાન, વિગેરે પદાર્થોનું દાન અક્ષય સુખને માટે નથી. ૫રંતુ દરેક મનુષ્યનાં નિરંતરનાં સર્વ પ્રકારનાં દુઃખને ટાળનારી આત્મશ્રદ્દાને પ્રગટાવનારૂં જે કામ છે; તેનું દાનજ સર્વોત્તમ દાન છે. એવું દાન અર્પનાર પરમગુરૂને પુનઃ પુનઃ નમસ્કાર થા.
અમુક કામ તમે નહિ કરી શકેા, એવું ટાંટીયા ભાગી નાખનાર વચન કેાઇની આગળ ખંધુએ વદશે નહીં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ શ્રદ્ધા પ્રગટાવવી એ મેટામાં મેટું દાન છે. તે આત્મજ્ઞાન શ્રદ્ધાનો નાશ કરવો એ મોટામાં મેટું પાપ છે, જ્યાં જાઓ, જેની સાથે બેસો જેની સાથે વાત કરે, ત્યાં આત્મશ્રદ્ધાની પ્રગટતાનાં વચન વદે. જેની સાથે સંબંધ થાય તેને આત્મશ્રદ્ધા પ્રગટે એમ વાણું વ્યાપાર ચલાવે. નક્કી તમે જગતને ઉદ્ધાર એવી રીતે કરશે.
- આત્મસ્વરૂપની શોધ બહાર કરવાની નથી. પણ પિતાનામાં કરવાની છે. પણ મનુષ્યને મેટો ભાગ દેહમાં પિતે આત્માને શોધે છે ક્યારે ? દિવસના ચોવીસ કલાકમાંથી દશ બાર કલાક તે વ્યવહારમાં ગાળે છે, અને વળી કેટલાક કલાક નિદ્રામાં ગાળે છે. કેટલાક સમય ઈધર તીધરનાં ગપ્પાં ઠેકવામાં કાઢે છે. અલ્પ સમય પણ આત્મિક વિચારમાં જતા હોય તો ધન ભાગ્ય ! અહે કેવી ભૂલ થઈ છે. પ્રેમી બંધુઓ હવે તેવી વર્તણુક રાખશે નહીં..
જે તીર્થકરનાં સૂત્રો ખરાં છે તે પછી મનુષ્યોએ સુખને શોધવા આત્માને છેડીને બીજા ઠેકાણે શા માટે ફાંફાં મારવાં જોઇએ? મનુષ્યમાં આત્મા જે ન હોય તે તે શું સંપાદન કરવા શક્તિમાન થઈ શકે ? સુખ પ્રાપ્ત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા માટે આત્માની શક્તિયોને જાગ્રત કરવા શિવાય મનુવ્યનું અન્ય શું કવ્ય છે; જો સતશાસ્ત્ર અને સત્ પુરૂપેપર વિશ્વાસ છે તે આત્મજ્ઞાનના ઉપાયે સેવે તે શું તે તેનું ખરૂં કર્તવ્ય નથી ?
આમ કરૂં તે! હું મહા વિદ્વાન્ થાઉં, અમુક કળા કરૂં તો અમુક લાગવગમાં ફાવી જાઉં, અમુક પાસે જાઉં તે અમુક વસ્તુ લેઇ આવું, અને કલાણે ઠેકાણે જાઉં તા ફલાણું કા સિદ્ધ કરી આવું, એવી પચ્ચાશહજાર ઈચ્છાએ તમારા અંતઃકરણમાં ઉદય થાય છે હિ વારૂ ? અને તમારી ઇચ્છાનુસાર ઘણે પ્રસંગે પ્રયત્ન કરી જોતાં છતાં પણ અનંતજ્ઞાન અનંતશક્તિના મૂળમાં તમે એ પ્રવેશ કર્યો નથી, અને અતૃપ્તિ અને અશાંતિની અગ્નિની મહાવાલાએ પ્રતિક્ષણે ચિંતારૂપ વાયુથી ભભુકા મારતી તમારૂં હૃદય બળેછે, તેને અનુભવ તમે નથી જોયે વારૂં. તેમ છતાં અંતરમાં સુખ છે એ ભાન ભૂલી તમે! ક્યાં ટા નથી મારતા ? આ શું જણાવે છે કે તમને આત્મશ્રદ્ધા નથી. આત્મસ્વરૂપ પ્રતિ વળવું. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, અને આત્મસ્વરૂપમાં રમવું, એ વિના વ્યાહારિક વા પારમાર્થિક સુખનો ઉદય નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ આત્મસ્વરૂપ પ્રતિ વળવું શી રીતે ? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું શી રીતે ? તેના કંઇ ઉપાયો કહેશો ? આત્મજ્ઞાન સુખનું નિધાન છે એવું સાંભળી સાંભળીને હમારા કાન બહેર મારી ગયા છે. સઘળા મહાત્માઓ કહે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે પ્રાપ્ત કરે એમ લાંબા હાથ કરી કરીને કહે છે. પ્રત્યેક ગ્રન્થામાં પણ તેમ લખાયું છે, પણ આત્માનું જ્ઞાન અમારા જેવાએ શી રીતે લેવું તેને કોઈ પણ ઉપાય બતાવે છે ?
ઉપાયમાં કહેવું પડશે કે–મનની શાંત અક્રિય અવસ્થા કરવી.
प्रलोक चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् ॥ तथैवतैर्विनिमुक्तं, भवांत इति कथ्यते ॥ १॥
અક્રિય થાઓ. તમે પોતે જ પરમાત્મા છે એમ સ્વાનુભવથી જાણશે.
મનની અક્રિય અવસ્થા કરવા માટે સાધનમાત્રનો ઉપયોગ છે. તમને સર્વ પ્રકારે અર્થાત શરીરથી મનથી અકિય શાંત થતાં સ્થિર થતાં આવયું એટલે રાજાઓના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ કેમ થવું તે કળા તમે સિદ્ધ કરી એમ નક્કી જાણવું. આ કળા સિદ્ધ કરવામાં સર્વ મુશ્કેલીઓ રહેલી છે.
તમને આ કળા સિદ્ધ કરવાની સાચી આતુરતા છે ? તેને તમારા અંતઃકરણમાં વિશ્વાસ છે ? તે સંબંધી પ્રયત્ન કરવાને તમે કટિબદ્ધ થયા છે ?
તમારા આત્મસ્વરૂપને તમારે અનુભવ કરે છે ? તમને નિત્ય સંતાપ આપતાં અતૃપ્તિ અને અસંતોષને તમારે તિરસ્કાર કરે છે ? અન્યજનેની પરતંત્રતા ત્યજીને સ્વતંત્ર સ્વાભાલંબી થવાની તમારી ઈચ્છા છે ? પ્રયત્ન માટે જે સમયને ભોગ આપવો પડે તે આપવા ઉત્સાહ મજબુત ધરાવે છે ? અબૈર્યપણું છેડીને ફળની આશાએ ધૈર્ય ધરવાની પ્રતિજ્ઞા તમે કરે છે ? કાલથી પ્રયત્ન કરીશું એવા દરીદ્રીના વાયદા છોડી દેઈ આજથી જ પ્રયત્ન કરવાને તમે સાવધાન થયા છે ? જો હા તે લાપૂર્વક શ્રવણ કરે.
પ્રાતઃકાળે નિત્ય તમે ઉઠતા હો તે કરતાં અર્ધો કલાક વા કલાક વહેલા ઉઠે. તમારી નિત્યક્રિયાઓ શાંતથી કરે. પછી આત્મસ્વરૂપનું અર્ધો કલાક વા કલાક સંશોધન કરવાના નિશ્ચયથી એકાંત સ્થાનમાં પ્રવેશે. તમારા આત્મિક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયત્નમાં તમને કા વિક્ષેપ પાડે નહીં તેમ પ્રથમથી સગવડ કરી રાખેા. કાઈ ગમે તેવા અગત્યના કામ માટે મળવા આવે તે પણ તેને મળશે નિહ.
જે સ્થાનમાં તમે! બેસે તે સ્થાન સ્વચ્છ હવાવાળુ રાખજો, અન્યજનેાના શબ્દો સંભળાય નહીં તેવી સગવડ કરજો. દશાંગપ વિગેરે કરો, પશ્ચાત્ બીછાનું ગરમ વાપરો, હૃદયમાં ઉત્સાહની જાગૃતિ કરી સદ્ગુરૂનું કેટલીક વખત સુધી સ્મરણ કરી પચાંગનમસ્કાર મનેાદ્વારા કરો. હવે તમે તમારા આત્માપ્રતિ વૃત્તિ દારો, આત્મસ્વરૂપને અનુભવ સર્વથા પ્રકારે અક્રિય થવાથી થાયછે, અને સવથા પ્રકારે શરીર, છિદ્ર અને મનને ક્રિયારહિત સ્થિર કરવાં. સ્થિર થતાં મનમાં વિચારા જુદા જુદા સંપાસપ પ્રવેશ કરશે તેને આત્મપ્રતિ લક્ષ દેશ વારો. જ્યારે તમે શરીરને કાઇ પણ ક્રિયા કરવા દેતા નથી. પણ તેને એકજ સ્થિતિમાં લાંબે સમય પડી રહેવા દેછે, ત્યારે ઇંદ્રિયા તથા મન આપેઆપ અર્ધ ક્રિયારહિત થઇ જાયછે. એ તમે જાણતાજ હશે. આથી શરીરને અક્રિય કરવા માટે પદ્માસન વા સિદ્ધાસન કે એવું બીજું કૈાઇ આસન, ચેગનું તમને અનુકૂળ લાગે તે કરો.
શરીર અવયવેને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુ તંગ ન રાખશો. પણ સિદ્ધા ટટાર બેસતાં છતાં શરીરનાં સર્વ ગાત્રને શિથિલ કરજે. કારણ કે શરીરની શિથિલ અવસ્થામાં શરીરને વિશ્રાંતિ મળે છે, આસન વાળીને પૂર્વાભિમુખ વા ઉત્તરાભિમુખ બેસજો. શરીરની ક્રિયામાત્રથી રહિત થજો. એક પણ અવયવને હલાવશે નહિ. નેત્રની દ્રષ્ટિને બે ભ્રની મધ્યમાં સ્થાપજો.
એટલે ઉચા નેત્ર ન જાય તો સહજ ઉંચી ભ્રપ્રતિ દૃષ્ટિ સ્થાપજો, પછી આંખના પલકારા મારવા છેડી દેજો, શરીરને કેવળ ક્રિયા રહિત કરવાનું છે, માટે એ બાબતને પુનઃ પુનઃ યાદ કરાવવામાં આવે છે. ઉધરસ ખાવી, બગાસાં ખાવાં, મેં ઉપર માખી આવે તો તેને હાથવતે ઉડાડવી, એ વિગેરે શરીરની ક્રિયાઓ ડી ડી પણ ચાલતી રહે છે ત્યાં સુધી શરીર ક્રિયા વગરનું થતું નથી, અને પરિણામે શાંત અક્રિય અવસ્થા આપણે સાધવાની છે તે સધાતી નથી, માટે એક નાની અંગુલી પણ હલાવતાં સાવધાન રહેજો. થોડીવાર એક દષ્ટિએ ભૂમધ્યમાં જોઈ રહ્યા પછી નેત્રને શ્રમ જણાય એટલે ધીરેથી નેત્રને બંધ કરજો. અને લક્ષ ત્રિપુટીમાં સ્થિર ચિત્તથી રાખશે. કોઈ પણ વસ્તુની યાદી આવે નહીં તેમ કરશો. વળી ચિત્ત વારંવાર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ડગાવશે. નહીં, ત્રિપુટીમાં એક સરખાં ત્રણ કલાક સુધી દૃષ્ટિ સ્થિર થતાં પ્રથમ અનેક રંગના ભૂત પ્રતિભાસશે, વળી આગળ વધતાં અનેક ર`ગના ગેળા દેખાશે. પણ તેમાં ચિત્ત જોવા પ્રેરશે નહીં હા. ચિત્ત તા પેાતાના લક્ષમાં ને લક્ષમાં રાખશે. ત્રિપુટીના મધ્ય ભાગમાં ઝમઝમ થતું તમને દેખાશે. આસપાસની નસા આકાશે, પ્રાણ ઉપર ચડવા પ્રયત્ન કરશે. નાસિકામાંથી શ્વાસેાશ્વાસ ધીરે ધીરે વહેશે. પ્રાણવાયુ કેટલીક વખત તે એમ લાગશે કે જાણે બહાર નીકળતાજ નથી. જેમ જેમ ત્રિપુટીમાં લક્ષ સ્થિર રહેશે તેમ તેમ સુખના અનુભવ થશે. તમે જાણે નવા સ્વરૂપમાં આવ્યા છે! એવું જણાશે, ઉત્સાહને વધારશેશ. ત્રણ કલાક સુધીની લક્ષવૃત્તિ ત્રિપુટીમાં રહે એ કઇ એક દિવસમાં બનવાનું નથી. કેરીને ગેાટલે વાવ્યા એટલે તુરત ને તુરત સાખી ખાવાં એવી મુદ્દે જે તમારી વર્તાતી હાય તે। આ માના તમે અધિકારી નથી. પ્રતિદિન અભ્યાસ કરતાં કરતાં તમે મિનિટ એ મિનિટ વધવાના. ટીટાડીના સાહસની પેઠે તમેા સાહસ મૂકશે નહીં. તમારી આગળ એ ત્રાટકનું માહાત્મ્ય અને તેને અનુભવ હાલ હું જાણતાં છતાં પણ કારણ કે મારા
મૂકવાના નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
અંતરાત્મા તે સ્વરૂપ લખી દેવાની ના કહે છે. એ સ્વરૂપની વાર્તા તે શિષ્યની ચેાગ્યતા પ્રમાણે કહેવાય છે અને યેાગ્યતા થઇ છે, તેને હવે દેશકાળ ભાવથી કેટલાં સાધન પ્રાપ્ત કરાવવાં. બેએ તે ગુરૂના હાથમાં વાત છે. ગુરૂવિના પોતાની મેળે જે સાહસ ઉઠાવે છે તે ખરૂ તત્ત્વનું રહસ્ય પામી શકતા નથી અને ઉલટા ભ્રષ્ટ થાય છે, હવે આ વાત અહીંથી રહેવા દેઇ તમને હવે તમને કરવા લાયક સક્રિયા જણાવું છું. પૂર્વાંતરીત્યા ભૂમધ્યમાં સ્થિર દ્રષ્ટિ રાખી તમેા ધ્યાન વૃદ્ધિ અર્થ પ્રયત્ન કરશે. નાસિકાઢારા શ્વાસ લેવાની ટેવ પાડશે. નાસિકાઠારા શ્વાસેાશ્વાસ ગ્રહનાર મૂકનાર પુરૂષ આરેાગ્ય તથા બળને પ્રાપ્ત કરે છે, અને મુખવાટે નિરંતર શ્વાસ લેવા મૂકવાથી તિલતાને શરણ થવું પડે છે અને અનેક વ્યાધિયાના ઉત્પત્તિ પ્રસંગ પામે છે.
પ્રાણાયામના અભ્યાસ કરનારાઓએ નાકવાટે શ્વાસની ક્રિયા કરવાની છે અને બીજાઓને નથી. એમ નથી. સને માટે આ નિયમ છે. કાઇ પણ મનુષ્ય પ્રાણાયામના અભ્યાસ કરતા હોય અગર નહીં તેપણ ચેાવીસે કલાક નાસિકા વાટે શ્વાસ લેવાની જરૂર છે. અસંખ્ય મનુષ્ય કે જ્યારે તેમને શરીરને મહેનત પહેોંચે છે ત્યારે મુખ પહેાળુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કરીને હાંકવા મંડી જાય છે. એમાં તે શરીરને થાક લાગતાં મુખથી ઢાંક્વા મ`ડી જાય છે, અને તેથી નિર્ખલ થવાન સમય આવે છે. નિખિલ રેગી મનુષ્ય તે ઉઠતાં બેસતાં જરા ચાલતાં શ્વાસ લેવા મૂકવામાં નાકને બદલે મુખનેજ ઉપયોગ કરે છે. દમના વ્યાધિથી પીડાતા મનુષ્યે નાસિકાથી શ્વાસ લેા ખીલકુલ ભૂલી ગયા હોય છે, અને શ્વાસ ચઢતાં મેટા અવાજ સાથે મુખથી વાયુને ગ્રહણ કરે છે. તથા મૂકે છે. આ પ્રમાણે એકલા રેગીએમાંજ નહીં પણ નીરાગી મનુષ્યેામાં અવલેાકવામાં આવે તે નાનાં મેટાં સર્વ નાકવાટે વાયુ ગ્રહણ કરવાને તથા મૂકવાને બદલે મુખવાટે આ ક્રિયા કરે છે. તેથી કેટલી હાનિ થઈ છે અને થશે. તેથી તે લેકે અજ્ઞાન રહે છે. તેમને સમજણ આપવામાં આવે તે વ્યાધિને કેટલેક અંશે નાશ થાય છે, હવે સામાન્ય શ્વાસે!શ્વાસની ક્રિયા આ પ્રમાણે કરવાથી જ્યારે લાભ થાય છે. ત્યારે પ્રાણાયામની ક્રિયાથી તે અત્યંત લાભ થાય છે તે અત્ર કથવું પડે છે. શ્રી હેમચંદ્ર આચાર્યે આપણા બહુ લાભ અર્થે યોગશાત્ર ગ્રંથ અનાબ્યો છે. તેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એ આ અ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ગનું સારી રીતે અનુભવથી વર્ણન કર્યું છે. પ્રાણાયામની ક્રિયામાં તેઓ મહા સમર્થ હતા. એકવીસ પાટે મૂકાવી એકવીસમી પાટ ઉપર બેસી નીચેની સર્વ પાટો કાઢી નંખાવી, આકાશમાં અધર રહી લેકને ઉપદેશ પણ પ્રાણને નિરાધ કરી આપતા હતા. એ શું સૂચવે છે ? તેઓ પ્રાણયામ અનેક પ્રકારને જાણતા હતા, અને દરેક નાડીઓના પ્રાણને સ્તંભન કરવાની સૂક્ષ્મ કળાઓ દ્રઢ સાહસથી તેમણે પ્રાપ્ત કરી હતી. શ્રીચિદાનંદ વા કપૂરચંદજી મહારાજ પણ આત્મશક્તિ તરફ વળતાં પ્રાણાયામની સારી ક્રિયા કરી શકતા હતા, અને તે ગિરાજની પદવી પામ્યા છે. તેમણે ચિદાનંદ સ્વદય નામનો ગ્રંથ બનાવ્યું છે તેની અંદર સ્વર સંબંધી પોતાના અનુભવ પ્રમાણે સારૂ ખ્યાન આપ્યું છે અને તેમાંના લેખ સર્વ તે પ્રમાણે અનુભવથી ખરા પડે છે, થેડા સૈકાથી જૈનોમાંથી આધ્યાત્મિક વિદ્યા નષ્ટ થઈ અને થતી જાય છે. જૈનમાં કઈ તે સંબંધી કઈ પ્રયત્ન કરે છે તે કેટલાક મૂખનંદે એમ કહે છે કે આવે તો આપણામાં નહોતું. પણ તે જાણતા નથી કે કેવલ જ્ઞાનની દ્રષ્ટિમાં ક્યી બાબત અજાણ છે ? શું પ્રાણાયામ કરવાની ક્રિયા જેનામાં નથી. એમ કાઈ કહેશે ના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શી રીતે કહી શકાય. હજાર પુરાવા મજુદ છે. પ્રતિષ્ઠા વખતે વા મંત્રના જાપ વખતે અમુક પદ્માસન વા સિદ્ધાસન કરવું. એ પણ જનના ગ્રંથથી જ સિદ્ધ થાય છે. આત્મજ્ઞાન મેળવવાને માટે શરીર સ્વાસ્થતાની પણ જરૂર છે. અને તે શરીર સ્વાસ્થતા માટે પ્રાણાયામ આદિની પણ જરૂર છે. એવું સમજીને શ્રી હેમચંદ્ર આચાર્યજીએ આપણું ઉપર મેટો ઉપકાર કર્યો છે. માટે તેમની આજ્ઞા મસ્તકે ચડાવવી. હવે મૂળ પોઈટ ઉપર આવી તેનું વિવેચન કરીએ.
આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તે હવામાં રહેલા કચરાને ગાળી નાખનાર ગરણી આપણું નસકોરાં છે.
જ્યારે નાસિકાવતી આપણે શ્વાસ લઈએ છીએ. ત્યારે હવામાં રહેલાં ધુળનાં રજકણે કે એ બીજે કાઈજ મળ નસકોરાંમાં ખળી રહે છે તે અંદર જવા પામતે નથી. પણ જ્યારે મુખવાટે શ્વાસ લેવામાં આવે ત્યારે હવામાં રહેલા કચરાને ફેફસામાં જતો અટકાવનાર કોઈપણ રચના મુખમાં નથી, આથી મુખવાટે શ્વાસોશ્વાસ લેવામાં રોગના ભંગ થઈ શકાય છે, વળી ઠંડીના દિવસોમાં જ્યારે નાસિકાથી શ્વાસ લેવામાં આવે છે ત્યારે હવા ગરમ થઈને કે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ફસાંમાં જાય છે, પણ મુખવાટે શ્વાસ લેવામાં આવે છે ત્યારે ઠંડીને ઠંડી હવા અંદર જાય છે, અને એનું પરિણામ એ આવે છે કે ઘણી ઠંડી હવાથી ફેફસાં ઉપર કોઈ પ્રસંગે સોજો ચડે છે. રાત્રે પહોળું માં મુકી સુનારને સવારે જ્યારે તે જાગે છે ત્યારે કંઠમાં તથા મુખમાં શેષને અનુભવ થાય છે. આ સર્વ વ્યાધિનાં બીજો શરીરમાં રોપાવાનાં ચિનહો છે.
નાસિકાના બે છિદ્રોમાં પુષ્કળ વાળની રચના થઈ હોય છે. આ વાળ હવામાં રહેલાં ધુળનાં રજકણને, રોગજનક જતુઓને તથા એવા બીજા જ કચરાને ફેફસામાં જતો અટકાવે છે, આ રેકાઈ રહેલે કચરે જ્યારે આપણે વાયુ બહાર કાઢીએ છીએ ત્યારે તે બહાર નીકળી જાય છે. વળી ઉપરના ભાગમાં નાસિકાને આદ્ર રાખનાર ચીકણો રસ રહે છે, તે રસ પણ ધુળ કચરાને અંદર પ્રવેશતાં. અટકાવે છે. મુખમાં આમાંનું કશું જ નથી, અને તેથી શ્વાસોશ્વાસ લેતાં રેગનાં કારણે ઠેઠ ફેફસામાં પ્રવેશી જાય છે, કસરતની વખતે મનુષ્ય મુખથી હાં કે તે હરકત જેવું નથી. અન્યથા હાનિકર છે.
હવાને શુદ્ધ થવાનું જે નાસિકાયંત્ર તે દ્વારા થઈને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવા શ્વાસ નલીકામાં પ્રવેશ કરતી નથી. ત્યાં સુધી તે કેફસામાં પ્રવેશ કરવાને કદી એગ્ય થતી નથી. કેઈ પ્રસંગે નાસિકાયંત્રને ગણકાર્યા વિના કચરે આગળ જાય છે ત્યારે અંતરની શક્તિ છીંક લાવીને ફેફસાંનું રક્ષણ કરે છે, અને એક ધકકો મારીને મળને બહાર કાઢી નાંખે છે.
આપણા નિત્યના પીવાના જળમાં અને જળની વરાળ કરીને તે વરાળ બનાવેલા પાણીમાં જેટલો ભેદ પડે છે. તેટલો જ ભેદ બહારની હવામાં અને નાસિકાદ્વારા શુદ્ધ થઈને ફેફસાંની અંદર ગયેલી હવામાં છે, એક સ્વચ્છ હવા છે. બીજી અસ્વચ્છ હવા છે, મુખથી શ્વાસ લેનાર અશુદ્ધ હવા ગ્રહણ કરે છે. અને નાસિકાથી શ્વાસ લેનાર શુદ્ધ હવા ગ્રહણ કરે છે. કેટલાક લેકે નાસિકાના છિદ્રારા જળ પીવે છે. અભ્યાસ વધતાં એક ઝારી જળથી ભરી તેનું નાળચું નાકના છિદ્રમાં મૂકી આખી ઝારી સુખ પૂર્વક પી શકાય છે. આથી ચક્ષુના તથા મસ્તકના વિવિધ વ્યાધિઓ નાશ પામે છે.
સમજો કે હવે નાસિકાઠારા શ્વાસોશ્વાસ લેવાનો કેટલો જીવનને સુધારે છે ? ત્યારે હવે પ્રાણાયામ કરવાથી આખા શરીરના આંતરડામાં ફેફસામાં કેટલો બધે ફેરફાર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
થઇ જીવન પાષાય છે તે ચેાગીએ સારી રીતે જાણી
શકે છે.
પ્રાણાયામ શી રીતે કરવા.
ઈડા એટલે ડાબી નાસિકાથી પ્રથમ વાયુ ઉદરમાં પૂરજો, અને જ્યાં સુધી ગભરામણ થાય નહીં ત્યાં સુધી રહેવા દે પશ્ચાત્ પીંગળા એટલે જમણી નાડીથી ધીમે ધીમે વાયુ બાહિર કાઢો. પાછા પીંગળાનાડીથી વાયુપૂરી કુંભક કરો અને રેચક કરી ઈડા નાડીથી વાયુ હળવે હળવે અહાર કાઢો. પાછા ઇડાથી વાયુ પૂરી કુંભક કરી પાંગળાથી રેચક કરી બહાર કાઢો પાા પીંગળાથી વાયુ ઉદરમાં પૂરી કુંભક કરી ઇડાથી રેચક કરી વાયું બહાર કાઢો. એ અનુક્રમે વીશ પ્રાણાયામ કરવાના વા ૨૫-૩૦ પ્રાણાયામ કરવાને મહાવરા રાખશો. પૂરક કરતાં પ્રત્યેક સમયે ૭% અર્જુને માનસિક ઉચ્ચાર કરો. અને કુંભક વખતે પ્રત્યેક કાળે ( દરેક કુંભકકાળ) હું આત્મસ્વરૂપમય છું. એમ માનસિક અપ સ્મરણ કર્યો કરજો અને રેચક એટલે વાયુ બહાર કાઢતી વખતે સર્વ અશાંતિને દૂર કરુ છું આ પ્રમાણે માનસિક જાપ પ્રત્યેક રેચકમાં કરો. આસન પદ્માસન કે સિદ્ધાસને દૃઢ રા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ખજો, આમ સંધ્યા સવાર મધ્યાન્હ અને રાત્રે આ અનુક્રમ પ્રમાણે વીશ વીશ પ્રાણાયામ કરો. એ ત્રણ મહીનાની સતત ક્રિયાથી તમારા જીવનમાં ઉચ્ચ ફેરફાર માલુમ પડશે. આવાને ખારાક સૌંપત્તિ પ્રમાણે ઠીક રાખો. તેમાં પણ દૂધ ઘીને મહાવરા રાખો. મળસાફ ઉતરે એટલું અત્ર જોવાનું છે. આ પ્રમાણે ક્રમ ખાર મહીના સુધી પ્રથમ ગ્રહસ્થાવાસમાં હાવતા ચલાવે.
તમારી આ પ્રક્રિયાની શરૂઆતમાં સૂચના કે તમે સજીવેા ઉપર પ્રેમભાવના રાખતાં શીખો. જગમાં કાઇ હાથી હાય, કીડી હોય, મ કેાડી હોય કે નાના સરખા આવા હાય તો પણ તેના ઉપર નિરતર પ્રેમભાવ રાઅવા જોઇએ. શત્રુ અને મિત્ર સનું હિત ઇચ્છે, પણ અહિતતા કાઈનું નજ ઇચ્છા અને સ્મરણમાં રાખે કે તમારા અંતઃકરણના દોષથી તમેા શત્રુનું ભલું ઇચ્છતા નથી. શત્રુનું ભલું થા માટે ઈચ્છતા નથી, જો તમારૂ મન દોષીલું રહે છે, અને તે દોષીલા મનથી તમે। દોષ રહિત શી રીતે થઇ શકશે. સ` દેષ, મનના કાઢી નાંખો. જ્યાં સુધી તમારૂં મન દોષી છે ત્યાં સુધી તમે। પ્રેમસ્થાન શી રીતે બની શકેા, સર્વ જીવના ઉપર શુદ્ધ પ્રેમ વર્ષાવે ! ત્યારે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ પ્રેમના ભોગી બને. એ પ્રેમ દયામય છે તેથી તે શુદ્ધ છે. આવી ભાવના આવ્યા વિના મન નિર્મલ બનવાનું નથી અને નિર્મલ મન વિના ઉચ્ચ શ્રેણિ પ્રાપ્ત થઈ શક્તી નથી. સજજને, આ પ્રેમ સ્વાર્થ બુદ્ધિને નથી માટે તે અહર્નિશ સેવજે તમો પ્રભુનું ભજન કરે છે. પ્રભુની ઉપાસના કરે છે. પણ તમારૂ મનનિર્મલ થયા વિના તે પ્રભુ ભજન ઉપાસનાથી જે સુખ પ્રાપ્ત થાય છે તે મેળવી શક્યા નથી. તમારૂ અંતઃકરણ જેમ જેમ ભૂત માત્ર ઉપર દયાવાળું અને પ્રેમની લાગણીવાળું થતું જશે. એટલે તમે તેમ તેમ શરીરની અંદર રહેલા આત્મારૂપી પરમેશ્વરની અધિક સમીપમાં આવતા જશે અને તેમ તેમ તમે સર્વ કાર્ય સિદ્ધ કરનારી એકાગ્રતાને સવર સિદ્ધકરતા જશે.
સર્વ સંકટ માત્રથી તમારૂ રક્ષણ કરનાર કે અમેઘ શસ્ત્ર તમારે જોઈએ છીએ? તમારા અંતઃકરણના સર્વ મળને કાઢી નાખનાર બળવાન ક્ષારની તમારે ઇચ્છા છે? જ્યાં જુઓ ત્યાં તમને વિજય મળે એવી કોઈ દેવી જડી બુટી તમારે જોઈએ છે? હા તે એજ છે કે ભૂતમાત્ર ઉપર અમર્યાદ પ્રેમ ચલાવો અને તમને અનુભવ થશે કે મેં અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરી છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્રદ્ધાવાને તે અનુભવ કર્યા વિના સમજાય તેમ નથી. ઉપરને ક્રમ ઉન્નતિ પ્રાપ્ત કરાવે છે અને મતિને વિશુદ્ધ કરી તેને આધ્યાત્મિક જ્ઞાનનો વિશેષ પ્રકાશ ગ્રહણ કરવા યોગ્ય કરે છે. પદ્માસન વા સિદ્ધાસન બાંધી પૂર્વાભિમુખ બેસવું. નેત્ર બંધ કરવા–પ છે એમ ભાવના કરજે કે હું શ'રીરમાં રહે છતાં અનંત શક્તિમાનું છું. અનંત સુખમય છું. અનંત આનંદમય છું. તમને જેવી રીતે ફાવે તેવી રીતે માનસિક જાપ ઉપરના વાક્યોને ઘણી ક્ષણ સુધી કરજે. વચ્ચમાં અન્ય વસ્તુઓનું સ્મરણ થઈ આવે તેને તમે વારજે. વા કદાપિ અન્ય પદાર્થોનું સ્મરણ વિશેષ જોરથી થતું હોય તે–મુખેથી બોલતા બોલતા જાપ કરજો અને નીચે પ્રમાણે–આત્માની સ્તુતિમાં લીન થજે. स्मरवो एकज आतमा, आनंदनी भंडार ॥
સમ સે માતા, રે કયાવ્યા બાદ આ ૨ ઝારા તૃort શું કરું? થવો રોજ भिन्नज तेथी आतमा, नहि मारामां रोग ॥२॥ अलख स्वरूपी हं सदा, मारामां बह सुख ॥ मनमा धर्मे वेरझेर, होवे विविध दुःख ॥ ३॥ सुखमय आतम हंसदा, जयजय आतमदेव। अनंतशक्ति स्वामी तुं, तुंहि देवाधि देव ॥४॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
એમ ત્રણવાર ચારવાર કે વિશેષવાર મુખેથી ઉચ્ચાર કરી તેને અ ચિંતવજો. તમારી વૃત્તિમાં ફેરફાર થશે અને તમે! જાણે અંતરંગમાં નવીનશાંતિ અનુભવતા હશે એમ દેખાશે.
ઉપરના વચનના ભાવમાં જેટલા કાળ સફેલ્પરહિત શાંત રહેવાય તેટલો કાળ રહેવું પછી વૃત્તિની વ્યગ્રતા થતાં પ્રાણાયામ પાંચ સાત મિનિટ કરવા તે પછી નિઃસપાવસ્થામાં યથાશક્તિ પ્રવેશ કરવા. જે નિઃસફલ્પ અવસ્થા પૂર્વ સિદ્ધ થવી અત્યંત કફીન ભાસતી હતી. તે હવે આ પ્રકારે નિત્યભાવના કરતાં કઇક અંશમાં સધાતી હેાય એમ અનુભવ થશે.
અનંત જન્મથી પેાતાને અહિરાત્મભાવ તે દૃઢ યેા છે. એવા સાધકને માસ વા મે માસના અભ્યાસથી અહિરાત્મભાવનું વિસ્મરણ થઇ અંતરાત્મભાવ અખંડ જાગ્રત રહે એ બનવું અશક્ય છે. અનંત ભવના અભ્યાસથી દ્રઢ થઇ ગએલા અહિરાત્મભાવના સંસ્કારા અંતરાત્મભાવની ભાવના કરતાં છતાં પણ તેના હૃદયમાં રહી રહીને સ્ફુરે છે. વ્યવહાર કાળમાં સાંસારિક કાર્ય કરતાં હૃદયમાં પડેલા વિષય-મેાજ શાખના સ`સ્કાર। દુલ થવા છતાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ નિર્ભેળ થયેલા ન હોવાથી પુનઃ પુનઃ તેને નિરોધ કરતાં પણ તે જાગ્રત થાય છે. હું દુર્બળ છું, ગરીબ છું, મારું શું થશે? મારા પુત્રનું શું થશે, નિભાવ શી રીતે બની રહેશે ? અમુક પ્રકારે સાવધાન નહિ રહું તો અમુક મારૂ કાટલું ઘડી નાખશે, આવા આવા અનેક વિચાર સંયમ સાધવા પ્રવૃત્ત થએલા સાધકના અંતઃકરણમાં વિક્ષેપ કરવાને માટે લાગ જોઈ બેસી રહ્યા હોય છે, સાધક પિતાના સ્વરૂપમાંથી આડે જાય છે કે તુરત તેના અંત:કરણમાં સપાસપ તે વિચારે પ્રવેશ કરી સાધકને બાધક બનાવી દે છે. શ્રી વિરપ્રભુના પુત્રસાધક આમ બનતું
જોઈ લેશ પણ ગભરાશો નહિ. આમ બનવું એ અનાદિ કાળથી અશુદ્ધ ભાવના જોરે થયા કરે છે. તમને જ આજે આ અનુભવ થાય છે એમ કંઈ નથી પણ પ્રત્યેક સંયમ સાધનાર પુરૂષને પ્રથમ આજ અનુભવ થાય છે. આથી તમારે નિરાશ કે આળસુ બનવાનું કંઈ કારણ નથી. તમે. વીરપ્રભુના ઉદ્યોગ ઉપર ધ્યાન આપો. તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સાડાબાર વર્ષ પર્યત ધ્યાનાવસ્થા ગાળી હતી, વાવ્યા આબે કે તુરત કંઇ કેરી પાકવાની નથી, નિશાળમાં બેઠા કે તુરત કંઇ એમ. એ. ની પદવી મેળવાતી નથી, સરા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર પણ ટીપે ટીપે ભરાય છે, તેમને પ્રથમ નિશાળમાં બેસીને નિવડે એકડે કાઢતાં કેટલી મહેનત પડતી હતી તેને ઠેકાણે હાલ તમે કેટલી જ્ઞાનની ઉચ્ચ સ્થિતિ મેળવી છે. એ શું ભૂલી ગયા ? માટે પૈર્ય ધરે, અભ્યાસ કરે, અભ્યાસ અને વૈરાગ્યવડેજ આ મનમાં ઉઠતા વિક્ષેપને જય કરવા ઉધાગી થવું ઘટે છે. અભ્યાસ અને તેની પુષ્ટિ કરનાર વૈરાગ્યવડે મનને જય કરે, લેશ પણ કઠીન નથી. શું તમારા હૃદયમાં પાછો બહિરાત્મભાવ (સંસારભાવ) સ્પર્યો છે ? વિકારેને હદયમાં પ્રવેશ થયેલ અનુભવાય છે? ચિંતા અને ભય વડે પાછા તમે વ્યાકુળ થયા છો ? કંઈ હરકત નથી. પુન: સાવધાન થાઓ, નેત્ર મીંચે, અને પુન: આત્મભાવના કરે. તમે જાણે જ છે કે એકના એકજ વિચારને પુન:પુનઃમગજમાં મનન ક્યથી તે વિચારના સંસ્કાર દૃઢ થતા જાય છે. અને તે વિચારથી ભિન્ન પ્રકારના વિચારને સંસ્કાર દુર્બળ થતા જઈ પરિણામે નિર્મળ થઈ જાય છે. આથી પરમાત્મસુખની ઈચ્છાના વિચારેને પુનઃપુનઃ મનમાં ખુરાવ્યા કરવા અને વિરોધી વિચાર રે કે તેના પ્રતિ અલક્ષ કરી આપણે ઈલે અનુકૂળ વિચાર જુરાવો, અને તેમાં વૃત્તિને જોડવી, મ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી તેમાં વૃત્તિ ન જોડાય તે આપણે પરમાત્મ વિચાર મેટેથી બેલ. એકવાર, દશવાર, સવાર, હજારવાર બોલવો. વા સેલહું એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણમય શરીરમાં રહેલો આત્મા તેજ હું પરાત્મા છું. અન્ય હું નથી એમ સે હું પદને ૐકાર પૂર્વક મુખથી જાપ કરો, અને અર્થ ચિંતવતા જવું. એટલે ચિત્તવૃત્તિ અન્યત્ર જતી અટકશે, તમારું મન વિચારના કુદકા મારતું તમને લાગે તે સહુને મેટા સ્વરથી જાપ ચલાવ. મનડું કદિ આમતેમ કુદે તે છે કુદે. તમારે તેના સામુ ન જોતાં જપની મેલડ્રેન પુરપાટ છેડી મૂકવી. પ્રિય બધું ! આ આગ્રહ શેડ માસ જારી રાખશે તો પછી ચિત્તવૃત્તિના માથામાં ગજ ઘાલ્યા છે કે તે તમારે તાબે નહીં થાય ? પ્રિય ભાઈ સાધનમાં દોષ નથી. પણ કહ્યા પ્રમાણે ઉદ્યોગ કરવામાં દોષ છે. સાધને કે ગુરૂઓનો આજે દુષ્કાળ નથી પણ ઉગ કરનારાઓને જ દુષ્કાળ છે કરવાનું શું છે તે કેને ખબર નથી; સર્વે કાઈ ઘેડું હું સમજી શકે છે પણ બધાને સો મણ રૂની તળાઇમાં સૂતાં સૂતાં ચઉદરાજ લોકના અધિપતિ અનવું છે. તે શી રીતે બની શકે ? દશ કે વિશ દિવસ પ્રયન કરતાં વિ જણાયાં કે તુરત અભ્યાસ છેડી દો છો.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
અને વાતા કરતાં કરતાં લાડવા અને તેમ ધારે છે તે શી રીતે અને? ભાચા પ્રયત્ન કરેા પ્રયત્ન કરે.
સાવધાન થાએ, તમારે તે પ્રયત્નનેજ ચિંતામણિ રત્ન જાણી નકામી વાતે તથા આળસને છેડી પ્રયત્નનેજ રાત્રીદિવસ કર્યાં કરવા, જેઓ પ્રયત્ન કરવાના નિશ્ચયેા સેવે છે અને પ્રયત્ન કરે છે તેમને સાધ્યસિદ્ધિ થાય છે. પ્રિય ભાઈ ! વાતનાં વડાં થવાનાંજ નથી. તમારી નકામી આશાના રંગબેરંગી પરપેટા દેડકીના પેટની પેઠે ફાટી ગયા વિના રહેવાના નથી, એ નિશ્ચય માનજો. કરવાનુ હોય તે અમલમાં મૂકા, જે કરવાનું હોય તે વર્તમાનકાળમાંજ કરા. કારણ કે વર્તમાનકાળનેાજ પ્રયત્ન વિજયની વરમાળા તમારા કરમાં આરેાપનાર છે.
જો તમે વિધિપૂર્વક એટલે એકાગ્રચિતથી આ ક્રિયા કરશે તે તમારા શરીરમાં અસંખ્યપ્રદેશ . આત્મા વ્યાપી રહેલા છે તેના અનુભવ થશે, ઘેાડા દિવસમાં અનુભવ નહિ થાય તો કેટલાક દિવસના અભ્યાસ પછી પણ અવશ્ય થશે. તમને અપૂર્વ શાન્તિ તથા સુખનું ભાન થશે, તે શાંતિ અને સુખ આત્માનુભવીવાજ પામી શકે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે આત્મ તરફ લક્ષ રાખી જનસંખને અધિક ન સેવ, કહ્યું છે કે – होवत मन तन चपलता, जनके संग निमित्त जन संगी होवे नहि, ताते मुनि जगमित्त ॥१॥
સવિવેકી વાચકે, આ શિક્ષા ધ્યાનમાં રાખી આત્મધ્યાનમાં પરાયણ થજો, તમે એકાંત જગ્યામાં સ્થિર થઈ તમારા આત્મસ્વરૂપના વિચારમાં તત્પર રહેજે, અને જંગલમાં વા શૂન્ય નિર્જનપ્રદેશમાં વિધિપૂર્વક બેસી દશ દિશામાં ભટકતા મનને તમારા લક્ષ્યસ્થાનમાં જ બદ્ધ કરજે, એટલે પિતાનાથી બે હાથને છે. કોઈ પદાર્થ મૂકી વિકલ્પ સંકલ્પ કર્યાવિના સ્થિર ચક્ષુથી જોઈ રહેજે, અને સ્થિર ચિત્ત એક કલાક પર્યત રહે ત્યાં સુધી અભ્યાસ કરજે, અને
જ્યારે બાહ્યપ્રદેશમાં ચિત્ત એક ઠેકાણે બંધાઈ જાય છે. એમ નક્કી થયું કે પછી તમે નાભિ, નાસાગ્ર, જીભને અગ્ર ભાગ, ભૂમધ્ય ભાગ, ઉપર ચિત્તવૃત્તિ એકાગ્ર કરવા ત્યાં લક્ષ રાખજે.
ઉતાવળ કરશો નહિ. હળવે હળવે તમે તે કાર્યમાં પ્રવર્તજે. ધૈર્યથી નાભિ નાસાગ્રના ધ્યાનના પ્રત્યેક ક્રમને રૂડી રીતે સાધજે, જે સાધકે પાયાને પાકે કરે છે, અને તેને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાકે કરવામાં જતા સમયથી આકુળ વ્યાકુળ થતા નથી. તેઓ સુદ્રઢ ચિત્તભાવને અલ્પ સમયમાં જુએ છે, તેથી ધેર્યા અને ધૈર્યથી સુદ્રઢ પાયો નાખજે. શરીર બાહ્ય પ્રદેશમાં એકાગ્રતા પૂર્વક સ્થિર થતાં તેને આંતર લક્ષ્યસ્થળમાં સ્થાપજો, પણ યાદ રાખજો કે બાહ્યપ્રદેશમાં ચિત્તવૃત્તિ સ્થિર બરાબર જ્યાં સુધી ન થઈ હોય ત્યાંસુધી તેને સ્થિર કરવા પ્રયત્ન જારી રાખજે, અને એક કલાક ઉપર બરાબર બાહ્ય પ્રદેશમાં ચિત્તવૃત્તિ સ્થિર થઈ એટલે આંતરત્રાટક સ્થળમાં ચિત્તવૃત્તિ સ્થાપજો. અનુક્રમ યાદ રાખજે, બાહ્યસ્થ
માં કાઈ પણ પદાર્થ ઉપર ચિત્તવૃત્તિ સ્થાપવી હોય ત્યારે બે ચક્ષુને મટકાયા વિના સ્થિર આંખથી જોયા કરવું.ચક્ષુમાંથી જલ આવે છે તે લુસી નાંખવું, અને પાછું જોયા કરવું એમ ચક્ષુને તકલીબ ના પડે ત્યાં સુધી જોયા કરવું, તેમ કરતાં કરતાં એક કલાક સ્થિર આંખ રહે અને ચિત્ત પણ સ્થિર થઈ જાય ત્યાંસુધી અભ્યાસ વધાર, આવી રીતે બાહ્ય પ્રદેશેની સાથે બાહ્યત્રાટક જેણે સિદ્ધ કર્યો છે, તેને ગુરૂગમ મળતાં અને કેટલીક ક્રિયા શિખવતાં મેમેરીઝમ જલદી આવડે છે અને તે પ્રગમાં તે ફાવી શકે છે. વા તમે સવારના પહોરમાં સાંજરે ફરવા જાઓ ત્યારે આકાશ તરફ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
દૃષ્ટિ સ્થાપી ચિત્તવૃત્તિ સ્થિર કરો, સવારના પહેારમાં આચપ્રદેશમાં ત્રાટક કરા તે પશ્ચિમ દિશાના આકાશ તરફ દૃષ્ટિ સ્થિર રાખી એકાગ્રમન કરો અને સાંજરે પૂર્વદિશાના આકાશ તરફ દ્રષ્ટિ રાખી ત્રાટક કરજે. ત્રાટક એક કલાક લગભગ થતાં પીળા કાળા લાલ રંગી એરગી ગેાળાએ દેખાશે, પણ તેમાં જેવા તરફ લક્ષ દેશે નહિ અને આગળ વધો, ઉત્સાહ વધારજો, હું સર્વ કરીશ એવી હિમ્મત રાખજો.
ખાર્થે ત્રાટક આકાશમાં કરતાં ન ફાવે તે પ્રભુની મૂર્તિ સામુ એકી નજરથી દેખી સ્થિર ચિતíત્ત રાખજો. પ્રભુની એટલે તીર્થંકરની મૂર્તિના સામું ોઇ ત્રાટક કરવાથી અનેક ગુણ ઉત્પન્ન થાય છે, પણ યાદ રાખવું કે જ્યાં કાઇ હોય નહીં ત્યાં આ પ્રમાણે મૂર્તિના સામુ જોઇ પ્રભુ સ્વરૂપ મૂર્તિને ધારી એકી નજરે હાલ્યા ચાલ્યા વિના જેઇ રહેવું. પ્રભુની એટલે તીર્થંકરની કાઇ પણ નાની યા મેટી છમ્મીના ઉપર પણ વૃત્તિ સ્થિર થવા ત્રાટક કરવે, અને પરમાત્માના ગુણાનું સ્મરણ કરવું. ત્યારે શું તમે મૂર્તિને પણ માનનારા છે? હા. અવશ્યજ. પરમાત્મા તીર્થંકરના સ્વરૂપને ધ થવા મૂર્તિપૂજા એક દ્વાર છે. અને તેથી તે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેષ રૂપ નથી પણ ગુણ રૂપ છે. જેઓ મૂર્તિપૂજાનું ખંડન કરે છે તેઓ આત્મોન્નતિના શિખર ઉપર જવાનાં નીચેનાં પગથીયાને તેડી નાંખી અલ્પ સામર્થ્યવાળાં મનુષ્યોને શિખર ઉપર આવવાના સંભનો નાશ કરી નાંખે છે. આશ્ચર્ય જેવું એ છે કે–મૂર્તિપૂજાનું ખંડન કરનારાં પોતે જ નિરાકાર પરમાત્માનું ધ્યાન ચિંતવન કરી શકવા સમર્થ હેતા નથી, જે તે પ્રમાણિકપણે પિતાનું અંતઃકરણ તપાસી જુએ તે તેમને સ્પષ્ટ ભાન થયા વિના રહે તેમ નથી, કે તેમની વૃત્તિ ધ્યાન કાળે નિરાકાર પરમાત્માના સ્વરૂપ સાથે લગાર પણ સંબંધવાળી થયેલી હોતી નથી. તેઓ ધ્યાન કરે છે ત્યારે તેઓના અંતઃકરણમાં જે સંકલ્પ વિકલ્પનાં તોફાને ચાલતાં હોય છે તેજ દર્શાવી આપે છે કે-ધ્યાનના ક્રમથી ધ્યાનને કમ સિદ્ધ કર્યા વિના એકદમ નિરાકારનું ધ્યાન કરવાને કુદકા મારવાથી તેઓની તેવી દુર્દશા થાય છે તે જણાય છે. ત્રાટક વા ધ્યાનકાળે તેઓની વૃત્તિમાં જગતનાં હજારે અને લાખે ચિત્ર એક પછી એક ઉઠતાં હોય છે. માટે ક્રમના અનુસાર પ્રયત્ન કરી પ્રતિમા આદિ માનવાં તે બહુ સારું ડહાપણ ભરેલું કામ છે. જેઓ બાહ્ય ત્રાટક સાધવ ખરી નિષ્ઠાથી પ્રયત્ન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીલ થાય છે તેમને સમજાયું છે કે આરંભમાં બાહ્યત્રાટકમાં મૂર્તિનું આલંબન લેવાથી ચિત્તવૃત્તિની સ્થિરતા સુલભ રીતે અને અલ્પ વખતમાં સધાય છે. તેમ અન્ય રતે થતું નથી.
પાશ્ચાત્ય પ્રજામાં પણ ચિત વૃત્તિની સ્થિરતા સાથે પ્રતિમા (મૂ)ની અગત્યતા સમજાવા લાગી છે. વોટર ડિ નામને એક અંગ્રેજ વિદ્વાન ઈશુના ભકતને બોધ દેતે કહે છે કે-ઈશુનું પરમ મનહર રમ્ય ચિત્ર વૃત્તિની એકાગ્રતા સાધવામાં પ્રબળ સાહાયરૂપ થાય છે. મૂર્તિનું સન્દર્ય કલ્પના શક્તિનું આકર્ષણ કરે છે. મૂર્તિ એ એકાગ્રતાને માટે તથા પ્રભુના ગુણોના સ્મરણ માટે મહામેટું સાધન છે. શું આ વિધાનના સ્વાનુભવ ઉપરથી મૂર્તિ પૂજાની ઉપગિતા તમને સ્પષ્ટ નથી થતી ? પૂર્વે કહ્યું તેમ વસ્તુતઃ નિરાકારનું તે ધ્યાન કે ચિંતન થતું જ નથી.
જ્યાં ધ્યાન કે ચિંતન થાય છે ત્યાં કોઈ પણ પ્રકારની કલ્પના હોય છે, અને આ કલ્પના નિરાકાર નથી પણ સૂક્ષ્મ આકારવાળી હોય છે, એટલે કે તેમાં આકાર સહિત ચિતવન ભળેલું હોયજ છે. એ અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસકે સારી રીતે જાણે છે. પ્રિયભાઈ સમજે કે પરમાત્મા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ તીર્થકર પ્રભુ પ્રથમઅરિહંત તરીકે હતા ત્યારે સાકાર હતા અને પશ્ચાત શરીરને છોડી મુક્તિ પદ પામ્યા. હવે વિચારે કે નિરાકારનું તો પ્રથમ જ્ઞાન નથી. તે નિરાકાર
સ્વરૂપ કેવી રીતે ચિતવવું? તેનું ભાન નથી અને સાકાર પ્રભુ પરમાત્મા તીર્થંકરની મૂર્તિ વા પ્રતિમાનું ધ્યાન પૂજન ન કરવું તે કદાગ્રહી નિરક્ષરનું લક્ષણ છે, માટે સત્ય - ગિયોના પંથને અનુસરી ક્રમે ક્રમે પરમાત્મપદના શિખરે ચઢી શકાય છે. વળી જેમને યથાર્થ યોગતત્વવિત સગુરૂ પ્રાપ્ત હોય તે તેમની છબીનું આલંબન ગ્રહી ધ્યાન કરવું. ત્રાક કરો અને વૃત્તિ સ્થિર કરવી ભક્તિ અને શ્રદ્ધા સહિત તમે પ્રતિમા વા ગુરૂની છબી ઉપર ત્રાટક કરશે અને સંયમ સાધશે તે અગમ્ય ૫રમાત્મ સ્વરૂપ બોધના પાત્ર થઈ રહેશો. આ પ્રકારે બાહ્ય પ્રદેશમાં ત્રાટક કરી તમે અતરમાં એટલે નાભિનાસાગ્ર ત્રિપુટી વિગેરે સ્થાનમાં ત્રાટક કરજે, તમારી વૃત્તિ તે તે અંતના સ્થળે સ્થાપજે, અને ગમે તેવાં વિક્ષેપનાં કારણે ઉભાં થાય તે પણ વૃત્તિને શરીરની બહાર ફરવા દેતા નહિ, જેમ કૂપના દર્દૂરથી (દેડકાથી) કૂપની બહાર જવાનું નથી. અને કુવામાંને કુવામાં જ તેને રમણ કરવું પડે છે. તેમ તમારી વૃત્તિને લક્ષેલા આંતરસ્થાનમાં જ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમણ કરાવજે. એ સર્વ પ્રકારના સમર્થ પ્રયાસથી અને ભ્યાસ પાડજે, અને આ પ્રમાણે શરીરના કોઈ પણ આંતર પ્રદેશમાં એકજ અગ્ર ઉપર તમારી વૃત્તિને ત્રણ કલાક સ્થિર રહેવાને અભ્યાસ સિદ્ધ થતાં આગળ શું કરવું તે તમને યોગ્યતા પ્રમાણે મુખેમુખ કહેવામાં આવશે. કારણે કે તે ઉપરને અભ્યાસ બીજી ભૂમિકાને છે. તેના લાયક જીવને તે ભૂમિકામાં પ્રવેશ કરાવવામાં આવે છે, એગ્યતા થયા વિના દ્વિતીય ભૂમિકામાં પ્રવેશ કરાવવામાં આવતો નથી. કારણ કે અયોગ્ય ને પરીક્ષા કર્યા વિના તત્ત્વ આપવાથી ગુરૂને બહુ જોખમ વેઠવું પડે છે અને શિષ્યને વિદ્યા સંકુલ થતી નથી. પુસ્તકો તો એક દિશિ દેખાડનાર છે પણ તવજ્ઞાનનાં ખરાં રહસ્યો તે ગુરૂગમતાથી જ પ્રાપ્ત કરી શકાય છે. .
આ પ્રમાણે તત્ત્વ સાધકે ! તમે ત્રણ કલાક આન્તર ત્રાટક સિદ્ધ કરે. એટલે તમે મહાશક્તિ સંપાદન કરી છે એમ સમજજે. તમે આ અભ્યાસ કરતાં આત્મશ્રદ્ધા રાખજે. ગમે તેવા નાસ્તિકના પ્રસંગમાં આવો તો પણ તમારું સાધ્ય બિંદુ ચૂકશે નહીં, તમેને આ બાબતનું જ્ઞાન આપ્યું. બીજાં પણ આત્મજ્ઞાનનાં પુસ્તકો વાંચ્યાં પણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજે કે જ્ઞાનની સાર્થકતા આચારમાં મૂકવાવડેજ છે. કંઈ મગજમાં ભરી મૂકવાથી નથી. એમ તે પુસ્તકાલયોમાં જ્ઞાન ભરી મૂકયું છે, ત્યાં કામમાં તે ભરી મૂકયું છે. પુસ્તક પિતાનામાં ભરેલા જ્ઞાનને ઉપયોગ કરી પિતાનું હિત સાધી શકતું નથી, અને તમે પણ તમારા મગજમાં ભરેલા જ્ઞાનને ઉપયોગ કરી તમારૂ હિત સાધી શક્તા નથી, તેથી તમે જીવ છતાં પણ જડપુસ્તક જેવા થઈ રહ્યા છે.. આત્મશ્રદ્ધા વિના તમારા દિલમાં સહસ્ત્ર સંશય પ્રગટે છે. ભણેલું આચારમાં ઉતાર્યા વિના મહાસાગરના જળ જેવું અમર્યાદ હોય તો પણ તે નકામું છે. દાળ ભાત લાડુ કેમ બનાવવા તેને વિધિપાક શાસ્ત્રમાંથી ગોખીને મુખે રાખનારનું પેટ ભરાતુ નથી. પરંતુ જાણેલા વિધિને આચારમાં મૂકવાથીજ પેટ ભરાય છે. જેમ આત્મશ્રદ્ધા અધિક તેમ અધિક વિજય અને અધિક અનુભવજ્ઞાન પ્રાપ્ત થતું જાય છે.
હે સર્વ કરવાને સમર્થ છું. એ પ્રકારની આત્મશ્રદ્ધાને પ્રત્યેક ક્ષણે જાગ્રત રાખીને તમે તમારા કાર્યમાં પ્રવૃત્તિ કરે. તમે તમારા અભ્યાસમાં ખંતથી ઉદ્યમ કરે. ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આપણે મનુષ્યને અવતાર પામ્યા છીએ તે પણ શુભ ઉદ્યમથી પામ્યા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
છીએ અને દેવલોકમાં જઈશું તે પણ શુભ ઉદ્યમથીજ સમજવું. પુણ્ય અને પાપ પણ શુભ વા અશુભ ઉદ્યાગનાંજ ફળ છે.
ઉદ્યમેન હિ સિધંતિ કાયણિ–ઉદ્યમથીજ સર્વ કાર્યો સિદ્ધ થાય છે, તમે ઉદ્યમ સેવતાં સેવતાં વચ્ચમાં થાકી જઈને કાર્ય પડતું મૂકશે તે તેમાં તમારા પ્રયત્નને જ દેષ છે. માટે હું કરીશ કરીશ ને કરીશ એ પ્રકારની આત્મશ્રદ્ધા ગ્રહી જાણેલું કટિ કસીને આચારમાં મૂકે. તરવાનું ન જાણનાર મનુષ્ય નદીમાં કે તળાવમાં પ્રવેશતાં ડરે છે, ત્યારે તેના મિત્રે જેમ તેને બળાત્કારથી નદીમાં ઘસડી જઈ પછી અંદર છેડી દે છે અને હાથ હલાવવાની તેને ફરજ પાડી ક્રમે ક્રમે તરતાં શિખવે છે. તેમ આત્મસ્વરૂપની શક્તિ સંપાદન કરતાં ડરતી તમારી વૃત્તિને બળાત્કારથી તેમાં ઘસડી જાઓ અને આત્મશ્રદ્ધા પ્રકટાવી તેને ક્રિયા કરવાની ફરજ પાડે. આ કાર્યમાં જે તમને પ્રીતિ હશે પણ અશ્રદ્ધાથી એટલે તે મારાથી કેમ થાય તેમ જાણી અટકયા હશે? આવા ત્રણ ચાર પ્રયત્નથી તમને તમારા સામમાં વિશ્વાસ પ્રગટશે–અને વિશ્વાસ પ્રગટતાં અધિક ગથી ક્રિયા થતાં તમે સવર વિજયને પ્રાપ્ત કરશે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
સત્ય સાધકે ! સત્ય તમારા શરીરમાં છુપાયેલું છે. તે આમામાં જ છે. તેની અંદર અનંત શક્તિ ભરેલી છે. તેની અવગણના કરી અન્યત્ર ક્યાં આત્માને શેધ છે. કંઠમાં ચિંતામણિ રત્ન છતાં અત્યંત દૂર પ્રદેશમાં ચિન્તામણિ શોધે છે. પ્રિય તત્ત્વસાધક ! તમે ઘરથી બહાર ગયા હો અને એવામાં તમને ખબર મળે કે તમારે ઘેર તમારા દેશના રાજા તમને મળવા આવ્યા છે. આ વાત તમે સાંભળી કે તુરત ધશમશ્યા હાંફતા હાંફતા આવી ઘરમાં જુએ છે; માર્ગમાં તમને કોઈ રેકે તે તેના ઉપર તમે ખીજાઈ જાઓ છો, અને ગૃહમાં પ્રવેશતાં જ તમે ડાફે મારતા આમ તેમ જુએ છે. પ્રથમ ખંડમાં ન મળતાં રાજા ક્યાં છે ક્યાં છે; એમ પૂછો છે? એવા અનેક રાજાઓ પણ જેની તુલનામાં ન આવે એવા અસંખ્યપ્રદેશી, અનંતાન, અને તદન, અનંતચારિત્ર, અનત વીચંના સ્વામી દેખાતા તમારા શરીરમાં બીરાજમાન છે. જેનાથી તમે જાણે છે, પ્રયત્ન કરે છે, એ આત્માજ પિતે પરમાત્મા શરીરમાં વ્યાપી રહેલ છે. સર્વ તીર્થકર કહે છે કે તેના તરફ લક્ષ આપે. એમ કહે છે તે પણ તમે તે તરફ લક્ષ આપતા નથી, અને તે વાતને સત્ય માનતા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
નથી. અને માને છે તે પણ તે આત્મરૂપ પરમેશ્વરને જેવા અલ્પ પણ પ્રયત્ન કરતા નથી. અને પ્રયત્ન કરો છે તેપણુ વચ્ચમાંથી નિરાશ થઈ મૂકી દે છે. તમે તમારા શરીરમાં ધ્યાનદષ્ટિથી જોશે તે આપોઆપ અનુભવજ્ઞાને માત્મા જણાશે. તમને પરમેશ્વર તમારી પાસે છતાં તમારા હૃદયમાં છતાં મનુષ્યગતિમાં જણાવવાનું સંભવ છતાં, તમને જોવાની ગરજ નથી. જોવાની નવરાશ નથી. તો તમારા આત્માને તમે દેખી શકવાના નથી. અને તમે તે આત્મામાં રહેલું અનન્ત સુખ ભોગવી શકવાના નથી. નક્કી એ ખરી વાત માનજે. ગંગા નદી ઉત્તરમાં છે. ગંગા ગંગા એમ કરે છે અને દક્ષિણ દિશા તરફ ધશ્યા જાઓ છે. તે શી રીતે ગંગા નદી દેખાશે. ભાઈ સમજે, સમજે. તમારી ભૂલ મારી મેળે સમજી દૂર કરો. અન્ય કે કહેવા આવશે નહિ. ખાવા પીવાની, હરવા ફરવાની મિત્રાદિને હળવા મળવાની, વ્યવહારનાં અસંખ્ય કામ કરવાની તમને નવરાશ મળે છે, નાટક, ચેટકે જોવાની અને રમત ગમત કરવાની તમને નવરાશ મળે છે, અને હદયમાં આત્મરૂપ પરમાત્માને શોધવાની, ખેળવાની તમને નવરાશ મળતી નથી. બહુ સારું બહાર ફર્યા કરે. માજશેખ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭.
મારો. બહાર સુખ શોધ્યા કરે. ચિન્તામણિ રત્નની ઉપેક્ષા કર્યા કરે, અને ધૂમાડાના બાચકા ભરી ભરીને બહુ કમાણી કરી . આખરે તમારી પેટી ખાલી ખં થયે છત અને દરિદ્રતાનું દુઃખ જાયે છતે મન મન્દિરમાં આત્માનાં દર્શન કરવા પધારજો.
દેહ દેવળમાં અસંખ્ય પ્રદેશી દેવ વસે છે, એવું તમે શ્રદ્ધાપૂર્વક માને છે તેની ખાતરી શી ? જો તમે માનતાજ હો કે શરીરમાં પરમાત્મા છે તે ત્યાં તમે તેને શે. પણ તમે ત્યાં નથી શોધતા એ શું દર્શાવે છે ? એ જ કે તમને શરીરમાં વ્યાપી રહેલા અસંખ્યપ્રદેશથી પરમાત્મા સત્તાએ છે તેની ખાતરી નથી, ખાતરી થઈ હોય તો પણ તમને અગત્ય જણાઈ નથી. કૂવામાં જળ છે એવું જાણતાં છતાં તાતુર મનુષ્ય કૂવામાંથી જળ કાઢવાનો પ્રયત્ન ન કરે તે શું સમજવું? એજ કે તેને હજી તરસ બરાબર લાગી નથી. અથવા આળસુને ઍદી છે. તેમ તમે પણ શરીરમાં પરમેશ્વર છતાં તેની ખાતરી કરી તમે તેનું સ્મરણ કરતા નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે તમારે તેની જરૂર નથી. અથવા તમે આળસુના એંદી છો. આત્મા એ શું છે ? સર્વસુખનું નિધાન છે, સમગ્ર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
કલ્યા નધિ છે. કામ કરવાની રાત્રી ૧ નતા
કલ્યાણ ભંડાર છે. સમગ્ર શક્તિને મહેદધિ છે. કૈવલ્ય જ્ઞાનને નિધિ છે. સુખ, ઐશ્વર્ય, કલ્યાણને તે તમે રાત્રી દિવસ ઈચ્છે છે એ પ્રાપ્ત કરવા તો તમે રાત્રી દિવસ મરી મટે છે. એ પ્રાપ્ત કરવા માટે રાત્રી કે દિવસ તમે જોતા નથી. તડકે કે ટાઢ, ભૂખ કે તરસ તમે જેતા નથી, અને તે સુખ કલ્યાણ મેળવવા જન્મથી તે મરણ પર્યત અપાર પ્રયત્ન કરે છે. ગમે તેવા ભયંકર સ્થળમાં કે દેશાંતર જવું હોય તે સુખને માટે તમે જાએ છે, મરણને ભય પણ ગણતી નથી, તેના કરતાં જેમાં સત્ય અનત સુખ રહેલું છે એવા આત્મરૂપ પરમાત્માના સામું તે કદિ પણ જોતા નથી, તે પરમાત્માનું જ્ઞાન પણ સગુરૂ પાસેથી સાંભળતા નથી. અને સદ્ગુરૂ જે તમને તે આત્મરૂપ પ્રભુનું સ્વરૂપ સમજાવે છે તો પણ તમને તે તરફ પ્રીતિ થતી નથી, આ સર્વ શું બતાવે છે? કે તમે તે પરમાત્માના સુખને અનુભવ જ નથી, અને તે તરફ લક્ષ્ય આપ્યું નથી.
ખરેખર સુખ અંતરમાં છે, બાહ્ય પદાર્થમાં સુખ નથી, શાંતિ ખરેખર આત્મામાં જ છે, બાહ્ય નથી, જ્ઞા"
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
નવાન્ સુખને પાતાનામાં શોધે છે ત્યારે અજ્ઞાની સુખને જગના દ્રશ્ય પદાર્થોમાં શેાધે છે.
યાદ રાખા, યાદ રાખો કે સુખ આત્મામાં છે, આત્મામાંથી જ તે સુખને પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવવેા એ કદી પણ નિષ્ફળ ન જાય એવા અમેા ઉપાય છે.
સુજ્ઞ સુખ સાધકેા ! સમજો કે–હાજમાં અથવા ટાંકીમાં બહારથી આણીને ભરેલું જળ થેડા દિવસમાં ખાલી થઈ જાય છે, પરંતુ પાતાળ ફાડીને કુવામાં કાઢેલું પાણી સદા અખૂટ રહે છે, લાગટ તે પાણીને પાંચ પાંચ કાસવડે કાઢવામાં આવે તેપણ તે ખૂટતું નથી, આ શું વાત તમારા સમજવામાં નથી, સમજો છે તે પણ તે પ્રમાણે વર્તીતું નથી આ શું એછી ખેદકારક વાત છે.
આત્મા એ પાતાળી કૂવે છે, અને તેમાંથી સુખ રૂપ જળ પ્રાપ્ત કરવાને જેએ અંતર પ્રયત્ન સેવે છે, તેમને સુખ અનંત મળે છે, આત્માનું સત્ય સુખ કપિ નષ્ટ થવાનું નથી.
આ કથાનું તાત્પર્ય શું છે ? એજ કે આત્મસ્વરૂપ પ્રતિ અભિમુખતા સાધવી-આત્મસ્વરૂપમાં સલગ્ન થવું. વૃત્તિની એકાગ્રતા પૂર્વક આત્મધ્યાન કરવું. એ સ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
પ્રકારના પ્રયત્નમાં શ્રેષ્ઠ પ્રયત્ન છે. એ સિદ્ધાંત સત્ય ભાસતો હોય તો એ સિદ્ધાંત સ્વીકારે. અન્ધશ્રદ્ધાથી સ્વીકારતા નહીં. પરંતુ ન્યાયપુર સર વિચાર કરીને તે સિદ્ધાંત સ્વીકારે. યથાર્થ સ્વીકારવાની તથા યથાર્થ શ્રદ્ધાની જ પ્રથમ આવશ્યકતા છે. તમે સંકલ્પ વિકલ્પ દૂર કરે. વિચાર ઓછા કરે તો આ આત્મપ્રતિ અભિમુખતા. સાધે. આર્તધ્યાન અને રદ્રિધ્યાનના સંકલ્પ વિકલ્પથીજ અનેક પ્રકારના શરીરની રચના થાય છે. પરભાવસંકલ્પ વિકલ્પ એજ ગતિ આગતિને હેતુ છે. કીડીયારાની પેઠે તમારા મનમાં ખરાબ વિચાર ઉભરાવા દે નહિ. કોઈ પણ વસ્તુ સંબંધી ચિન્તાના વિચારે કરો નહિ. ચિંતાના વિચાર એ ઉધેહી સમાન છે. જેમ ઉધેહિ જેને વળગી તેને નાશ કરે છે તેમ ચિન્તાના વિચારે જેને લાગ્યા તેને નાશ કરે છે. માટે તમે ખરાબ વિચારને મનમાં રહેવાની જગા આપે નહીં. જે તે મનમન્દિરમાં ખરાબ વિચારેએ પ્રવેશ કર્યો તે આખા મનમંદિરને ખરાબ કરી નાંખવાના, અને તેથી મનમંદિરમાં આત્મરૂપી પરમેશ્વર બીરાજમાન થશે નહીં. એ ખરાબ વિચારેથી મનમન્દિર અપવિત્ર થઈ જશે. નક્કી આ વાત ખરી સમજજે હે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે ખરાબ વિચાર આવતાં તુરત તેને રોકવા, અને સારા વિચાર કરવા, અગર સારાં અધ્યાત્મપુસ્તકો વાંચવા બેસી જવું. વા ખરાબ વિચારો એક પછી એક પ્રસંગવશાત જેરથી મનમાં પેસવા આવે અને તે તેમ કર્યો ખસે નહીં તે તમે ઉચ્ચ સ્વરેથી સારાં સારાં વૈરાગ્યકારક પદો, ભજનો, સ્વાવને ગાજે અને તે સ્થાન બદલ એટલે ખરાબ વિચારેનું જોર ચાલશે નહીં અને પિતાની મેળે વિદાય થશે એટલે તમારું મનમન્દિર પવિત્ર રહેશે, અને આત્માના વિચારો કરવાથી તુરત તમને આનન્દ શાન્તિસુખ મળશે, અને તમારે આત્મા નવીન કર્મથી મલીન થશે નહીં. આનું બહુ મનન કરજે, અને પ્રત્યેક ક્ષણે આ પ્રમાણે વર્તાવાની ટેવ પાડવાથી તમારે આત્મા સહેજે ઉત્તમગુણવાળા થશે, અને તમે મેક્ષસુખ પ્રગટાવશે. એમ તમને વિશ્વાસ આવશે.
તમે દુખી છે તે તેમાં અન્ય કોઈને જરા પણ દેષ નથી. તમે પિતેજ તેવા દુઃખના વિચારે તેવી તમારી મેળેજ દુઃખ પેદા કર્યું છે, કારણ કે,-વિચાર સર્વ શક્તિમાન છે. અનેક પ્રકારના સારા બૂરા વિચારના વિભાગને કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાલેશ્યા, અને શુકલેશ્યા છે વેશ્યા તરીકે શ્રી સવંશ તીર્થકર ભગવાન્ કથે છે, અને તે વિચારથીજ પુણ્યપાપ બંધાયું છે, અને બંધાય છે. પ્રિય સાધકે, સમજે કે,–પ્રસંજચંદ્રરાજર્ષિ કે જે દીક્ષા અંગીકાર કરી વીરપ્રભુના સમયમાં કાઉસગ ધ્યાને રહ્યા હતા. પ્રસંગવશાત અન્યજનના શબ્દ શ્રવણુથી તેમના મનમાં ખરાબ વિચાર આવ્યો. અને જેમ જેમ તે અન્ય પ્રાણીઓને નાશ કરવાના પાપી વિચાર કરવા માંડયા કે, તુરતજ તેઓ પ્રથમ નરક આદિ સાતે નરકનાં દળીયાં ઉપાર્જન કરવા લાગ્યા. આ પ્રસંગે વિરપ્રભુને શ્રેણિક રાજાએ પુછયું કે–પ્રસન્નચંદ્ર મરે તે ક્યાં જાય? ત્યારે શ્રી વીરપ્રભુએ પહલી નરક, બીજી નરક, યાવત સાતમી નરક બતાવી, પ્રસન્નચંદ્ર રાજઋષિ લડાઈના વિચારમાંથી સારા વિચારાની ભાવનામાં ચડ્યા એટલે તેમને નરકગતિ એગ્ય બાંધેલાં કર્મનાં દળીયાં વિખેરી નાંખ્યા, અને અંતે ઉત્તમશુકલ ધ્યાનમાં ચડી ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદ પામ્યા. સજજનો હવે વિચારે કે, વિચારમાં કેટલું બળ છે ? અચિંત્ય શક્તિ વિચારમાં રહી છે. માટે તમે ખરાબ વિચાર કરશે નહીં. આ ભવમાં અનિવાર્ય દુ:ખ રોગ તમે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
ભાગ છે તે પૂર્વભવમાં સેવેલી નઠારી વેશ્યાના વિચારે છે, એમ નક્કી સમજો. હવે એ દુઃખ તે વેશ્યાથી નિર્માણ થએલા કર્મથી ઉદયમાં આવ્યું છે. તે ભેગવવું પડે છે. દુનિયામાં અનેક જીવો સારો અગર નઠારા કર્મનાં ફળ ભોગવતા નજરે પડે છે તે સર્વે વિચારનું ફળ છે. મનુષ્ય જેવું ઈચ્છે છે તેવું વિચારથી પામે છે. જેવા વિચાર સેવવામાં આવે છે તેવો જીવ બની જાય છે. તમે ચિંતાના વિચારને સેવશો તે અલ્પ સમયમાં તમને જ્યાંથી ત્યાંથી ચિંતાનાં કારણે જ ઉભાં થએલા ભાસશે. વિચારનું સામર્થ્ય મનુષ્યો જાણે છે તે કરતાં મેટું છે. તમે રેગી છો, દરિદ્રી છો. તમારી જે કંઈ અપ્રિય સ્થિતિ તમને મળી હોય, તે સ્થિતિને પ્રાપ્ત કરવામાં તમે પોતે જ કારણભૂત છો. તમારા પૂર્વ ભવના વિચારે જ તમે જે ભગવે છે તે આપ્યું છે.
- દીવાના ઉપર કાળી હાંડી ઢાંકતા કાળે પ્રકાશ આવે છે તેમાં શું દીવાનો દેષ છે ? અથવા તેના ઉપર ઘડે ઢાંકતાં બીલકુલ પ્રકાશ પડે નહીં તેમાં શું દીવાને દેષ સમજવો ? કાળી હાંડીમાં કાળે પ્રકાશ, લીલામાં લીલા પ્રકાશ મળશે. ઘડામાં દી મૂકશે તે પ્રકાશ બંધ થશે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમ અત્ર સમજવું કે, પાપના વિચારે સેવશે તે પાપી બને તેમાં અન્યને શે દેષ? પુણ્યના વિચાર સે તો પુણ્યશાળી બને, નરકગતિ ગ્ય લેશ્યાના વિચારે સે તે નરકમાં જાઓ તેમાં બીજાને શેષ-તમારી મેળે જ પિતે વિચારે સેવ્યા છે માટે તેના અનુસાર ફળ ભોગવવાંજ પડશે. તેમાં શું આશ્ચર્ય ? જ્ઞાનનું આચ્છાદન કરે તેને જ્ઞાનાવરણીયકર્મ કહે છે. જ્ઞાન છે તે દીપક સમાન છે, જ્ઞાન પંચ પ્રકારે છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવવિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન, એ જ્ઞાનનું આચ્છાદન, જ્ઞાનીની નિંદા કરવાથી થાય છે. જ્ઞાનીના ઉપર કલંક ચડાવવાથી જ્ઞાનાવરણયકર્મ બંધાય છે, આભજ્ઞાન આપ્યું હોય એવા ગુરૂ મહારાજના ઉપર દ્વેષ કરવાથી, વા તેમને અવિનય કરવાથી, તેમના ઉપર કેધ કરવાથી, તેમની બદઈ કરવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે, વા તેવા આત્મજ્ઞાની ગુરૂ પાસેથી જ્ઞાન લેઈ બીજાની પાસે હું ભણ્યો છું એમ કહેવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. અને ભણેલું જ્ઞાન ફળીભૂત થતું નથી, જ્ઞાનીની નિંદા કરનાર, ઉસૂત્ર ભાષણ કરનાર, જ્ઞાનીને અવિનય કરનાર, મનુષ્ય જ્ઞાનાવરણીયકર્મ સમુપાર્જન કરે છે, વળી જ્ઞાનીને
કરવામાં આવી નાના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
એમ કહે કે એને તો એક અક્ષર પણ આવડતો નથી. વા તેનામાં અમુક પ્રકારના દે છે, તેણે તે અમુક કામ કર્યું હતું. તેનાં લક્ષણ તે ખરાબ છે. એમ બીજાની આગળ કહી જ્ઞાનીની હેલના નિદા કરે છે, તે જ્ઞાનાવર
યકર્મ ઉપાર્જન કરી મૂઢ અજ્ઞાની બને છે. આમામાં રહેલું જ્ઞાન દીવા સમાન પ્રકાશે છે. તેને માટીના ઘડા સમાન જ્ઞાનાવરણયકર્મ લાગવાથી, જ્ઞાન આત્મામાં ને આત્મા સત્તામાં રહે છે, તેને બહાર પ્રકાશ પડતું નથી, એ જ્ઞાનાવરણયકર્મ જેટલું જેટલું આત્માના પ્રદેશોથી ખસે છે, એટલે તેટલો જ્ઞાનને પ્રકાશ પડે છે. કેાઈની મતિ સૂક્ષ્મને સારી હોય છે. અને કેાઇની મતિ ધૂલ હોય છે. તે બાબત સમજવું કે જ્ઞાનાવરણયકર્મનાં આચ્છાદાન જેને વિશેષ દૂર થયાં છે, તેને જ્ઞાન વિશેષ પ્રાપ્ત થાય છે, અને જેને જ્ઞાનાવરણયકર્માનાં આવરણ થોડાં ખસ્યાં છે, તે છેડે બુદ્ધિમાન હોય છે. - હવે સમજે કે દીવાની ઉપર ઉંધો પાડેલો ઘડો જે છે તે ઘડાને પાંચ છ મોટાં કાણું પાડીએ તે પ્રકાશ વિશેષ આવશે તેમ જ્ઞાનાવરણીયકમને ક્ષય કરવા વિદ્યા. ભ્યાસ, સુગુરૂ ઉપાસના, જ્ઞાનીને વિનય વિગેરે કર્યો હોય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
તે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પ્રકારે વિશેષ પ્રકાશ પણ નાનનેા થાય. બીલકુલ ઘડાને નાશ કરવામાં આવે તે સ્વચ્છ નિરાવર દીવાને પ્રકાશ પડે તેમ પાંચે પ્રકારનાં આવરણાને ખીલકુલ ક્ષય કરી નાંખ્યા હાય, અથવા તેને ક્ષય કરવા ઉદ્યમ કરીએ તે જ્ઞાનના આવરણુ રહિત નિવારણ કેવલજ્ઞાન આત્મામાં પ્રગટ કરી શકીએ. તમારે સપૂર્ણ કવલજ્ઞાન દ્વેતું હોય તે જ્ઞાનાવરણાને દૂર કરવા પ્રયત્ન સેવ્યા કરે. તમેાએ જ્યાં સુધી તમારૂ કા સિદ્ધ કર્યું નથી ત્યાં સુધી ગુરૂ આનાએ આ સર્વ પ્રયત્ન સેવ્યા કરો. નક્કી તમે! વિજયના ડંકા વગાડશો. સુગુરૂભગવાનની આજ્ઞા પ્રમાણે અને તેમની સ્તુતિારા આ કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી તમારામાં ગુરૂની કૃપાથી અપૂર્વ શક્તિ પ્રગટશે. હવે મૂળ વિષય ઉપર આપણે વિચાર સંબંધીની શક્તિ તપાસીએ છીએ. હવે તમે સમજ્યા હશે કે તમે જ્યારથી સમજણા થયા તે પહેલાં કેવા વિચારે સેવ્યા કરતા હતા. આજ સુધી તેવા ખરાબ વિચાર। સેવ્યા તેનું ફળ શું તમને નહીં મળે; ત્યારે હવે શું કરવું પશ્ચાતાપ કરા. અહિ...ત, સિદ્ધ, ગુરૂ, આત્માની સાક્ષીએ માફ માગે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭,
ક્ષમા માગે ખરાબ વિચાર નહી કરવાની મનમાં દઢ પ્રતિજ્ઞા કરે. આજ સુધીમાં તમે કેવી ઉધી બાજી રમી છે. ભાઈ હવે વાતો કરીને બેશી રહેવાનું નથી તમે હવે સમજે કે-નજરમાં આવે તેવા વિચાર કરવાથી પિતાની કેટલી હાનિ થાય છે; રાગના વિચારે, ઠેષના વિચારે, કપટના વિચારે, લોભના વિચારે, અદેખાઈના વિચારે, હિંસાના વિચારે, અસત્યના વિચારે, પરસ્ત્રી સેવ્યાના વિચારે, પારકી નિંદાના વિચારે. વિશ્વાસઘાતના વિચારે, અન્યને કલંક ચઢાવવાના વિચારો, લડાઇના વિચારે, દગા પ્રપંચ વિગેરેના વિચારે તરતાં ને ફરતાં ચાલતાં ને હાલતાં, બેસતાં ને ઉઠતાં, રાત્રી અને દિવસ; ખાતાં પીતાં, લખતાં ને વાંચતાં તમે એ વારંવાર કરી કરીને તે પિતાને કેટલી હાનિ કરી છે અને તેથી તમારા આત્માને કેટલે અધમ બનાવ્યો છે. તે શું તમે પિતે નથી જાણું શકતા ? અવશ્ય જાણે છે. કરો તે તેને વિચાર, કેટલું બધું તમે ખાયું છે. તમે તમારી જીંદગાની ધૂળધાણું કરી નાખી છે. તમે પોતે જ દરીયામાં તરનાર તમારા વહાણમાં હાથે કરીને કાણાં કાણું પાડી નાંખ્યાં છે તેથી તેનાથી થતી હાનિ તમારે અવશ્યને અવશ્ય વેઠવી પડશે. છુટકો.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવાનો નથી. હજી પણ શું તમે તેવા ખરાબ વિચાર કરતાં નહીં અટકો ? અલબત્ત જાણ્યા પછી નહિ કરવામાં આવે તે મૂખતા કહેવાય; તમને દુઃખ સંકટ ખરાબ લાગે છે. અને તે દુઃખમાંથી મુક્ત થવા વારંવાર ઈચ્છા કરે છે. ભાઈ તે દુ:ખમાંથી મુકત થવું હોય તો ઉપરના ખરાબ વિચારો દૂર કરે. તેને મનમાં આવવા દેશે નહિ, તમે દરરોજ મસાના દરદથી પીડા પામે છે, અને બૂમ પાડે છે. દવાને માટે વારંવાર પૂછયા કરે છે. ત્યારે વૈધે દવા આપી ખારૂ ખાટું મરચું ત્યાગવાની ભલામણ કરી. તમે દવા ખાઓ છો. અને ઉપર મૂઠે મૂઠા મરચાં ખાઓ છે. શું તમને થએલું મસાનું દરદ મટવાનું ? શી રીતે મટે ? ઉલટું વધવાનું અને વિશેષ દુઃખી થવાના એમ નક્કી સમજજે, તેમ તમે આજ સુધી ખરાબ વિચારે સેવી દુઃખી થયા છે, અને હજી ખરાબ વિચારે સે છે તેથી ભવિષ્યકાળમાં હજારવાર દુઃખી થશે અને ખરાબ યોનિમાં અવતાર ગ્રહણ કરવા પડશે. અને ત્યાં આત્મશક્તિ ખીલવવાનાં કારણે નહીં મળે તે યાદ રાખજે, મનુષ્યગતિમાંજ આ
ત્મા, પરમાત્મપદ પ્રગટાવી શકે છે. અન્યગતિમાં મેક્ષપદ મેળવાતું નથી. માટે પ્રિય ભાઈ ખરાબ વિચારેને તમે આજથી દેશવટો આપને આપો.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે તમને સમજાશે કે આત્માનું ઐશ્વર્ય પ્રગટ ન થવા દેવામાં તમે કેવા આડા પથરાઓ નાખ્યા છે ? તે હવે તમને સ્પષ્ટ થશે, કોઈ મનુષ્ય જરા અપ્રિયવચન કહ્યું કે વાઘની પેઠે તમે તાડુકો કરે છે, અને સામા પાંચ પચાસ ગાળાના ગેળા છેડે છે, તેમાં કેની હાનિ થઈ, એ તમારા લક્ષમાં આવે છે ? મિત્રના. ઉપર જ કરવાથી તથા મૈત્રના ઉપર અદેખાઈના વિચારથી ખરી રીતે જોતાં કાનું બગડે છે, તે હવે તમને સ્પષ્ટ જણાય છે, પાંચ દશ જણા ભેગા થઈ નકામા વાતોના તડાકા મારી આડાઅવળા મનમાં આવે તેવા કુવિચારો કરે છે, તેમાં કેનું બગડે છે ? સમજો કે તેમાં તમારું બગડે છે, માલ વિનાના ગપાટા ઠેકવાથી ઢંગધડા વિનાનું અગબગડે ભસવાથી તમારું જ બગડે છે, અને તમે જ દુઃખી થાઓ છે, એમ નક્કી સમજજે, લીંબડાનું ઝાડ વાવી લીએાળીજ પામવાના, આંબાની આશા રાખશે નહીં. આ કથન આરસી જેવું તમને સ્પષ્ટ ભાસ્યા વિના રહેશે નહીં.
અને એજ ઉપરથી વિચારતાં માલુમ પડશે કે જાગ્રત અવસ્થાના સર્વકાળમાં શુદ્ધ વિચાર કરવાની કેટલી બધી આવશ્યકતા છે, આત્મધર્મના વિચારમાં નિરન્તર નિમગ્ન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
રહેવાથી કેવા લાભ થવાના સંભવ છે ! સારા ગુણેાને ધારણ કરવાથી સર્વમાં આત્મબુદ્ધિ ધારણ કરવાથી અને કાઈ જીવના અંતઃકરણને નહિ દુ:ખવવાથી, ધ્યાનના ઉપદેશ દેવાથી, અભયદાન સુપાત્રદાનનું અર્પણ કરવાથી, ક્ષમા નિભિતા બ્રહ્મચર્ય વિવેક કરૂણાદિને સેવી નિરંતર મનની સ્વસ્થતા રક્ષવાથી કેવાં દેવી સુખા મળવાના તમને સ‘લવ છે ? એસ તમને હવે સ્પષ્ટ સમજાશે. અરિહંત સિદ્ધ આચાય ઉપાઘ્યાય અને સાધુ એ પંચપરમેષ્ટીમય નવકાર મંત્ર જપવાથી અને તે પ્રત્યેકના ગુણા સંભારી સંભારી મનન કર્યાંથી મળે તે યાદ રાખો, મનુષ્યગતિમાંજ આત્મા પરંમાત્મપદે પ્રગટાવી શકે છે, અન્યગતિમાં મેાક્ષપદ મેળવાતું નથી, માટે પ્રિયભાઇ ! ! ખરાબ વિચારાને તમે આજથી દેશવટા આપા, આપાને આપે. જે જે મનુષ્યા દુ:ખી જણાય છે. તે તેમના પૂર્વભવ-જન્મના અશુભ વિચારાના અશુભ આચારાના રિણામથી છે. જે જે મનુષ્યા સુખી જણાય છે, અને શાતા વેદનીયનાં ફળ નિરાગતા ઈચ્છાનુકુળપદાર્થીની પ્રાપ્તિ, ઉત્તમ વૈભવ, સ્થાન, વિગેરે ભગવે છે, તે તેમના પૂ જન્મામાં કરેલા શુભ વિચારાના તથા શુભ આચારાનાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણામ છે. શુભવિચાર પુણ્યનાં દલીયાને આત્માની સાથે સંબંધ કરાવી તેના યોગે સર્વ શુભ પદાર્થને કહ્ય જગતમાં પ્રત્યક્ષપણે આપણી સાથે સંબંધ કરાવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યોગે તેનાં સારાં ફળ શાતા રૂપે દેખાડે છે, અને તે આપણે અનુભવીએ છીએ. શુભ વિચારથી જે પુણ્ય બંધાય છે તે પુણ્યના બે ભેદ છે. ૧ દ્રવ્ય પુણ્ય બીજું ભાવ પુણ્ય, આત્માની સાથે પદ્ગલિક શુભ દળીયાં બંધાય છે તેને દ્રવ્ય પુણ્ય કહે છે અને તે પિદગલિક શુભ દળીયાં જે બંધાયેલા છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ગે ઉદયમાં આવીને શુભ ફળ દેખાડે છે. તેને ભાવ પુણ્ય કહે છે. પાપના પણ બે ભેદ છે. ૧. દ્રવ્ય પાપ. ૨. સાવ પાપ. ૧. આત્માના પ્રદેશની સહ પિદુગલિક અશુભ દળીયાં, મન વચન કાયાના અશુભ વેગે રાગ દ્વેષે કરી બંધાય છે, તથા સત્તામાં રહેલાં અશુભ કર્મલિકને દ્રવ્ય પાપ કહે છે, અને તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, યોગે ઉદયમાં આવી અશાતા વેદનીય રૂપ અશુભ ફળ દેખાડે છે. તેને ભાવપાપ કહે છે. વળી પુણ અને પાપની ચતુર્ભાગી ઉતપન્ન થાય છે તે દર્શાવે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર છે. ૧ પુણ્યાનુબંધી પુણ્ય. ૨ પુણ્યાનુબંધી પાપ, ૩ પાપાનુબંધી પુણ્ય. ૪ પાપાનુબંધી પાપ.
૧, પુણ્યાનુબંધી પુણ્ય–જે પુણ્યનાં દળીયાં ભોગવતાં તે પુણ્યના યોગે શુભ મનવચન ને કાયાના યોગે કરી આત્મા પાછું પુણ્ય ઉપાર્જન કરે છે, તેને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે. જેમ કુમારપાળરાજા, ધન્ના શાલીભદ્ર, સીતા સતી, સંપ્રતિરાજા, વગેરેનાં દતે જાણવાં. તેમ હાલ પણ જે મેટા ગૃહસ્થ, ખાનદાન, નગરશેઠના ગૃહસ્થ પુત્ર વિગેરે પૂર્વજન્મ પુણ્યાગે શાતા ભગવે છે, અને જે શુદ્ધ ધર્મની શ્રદ્ધા પામી પાછા શુભ કાર્ય કરે છે, તેઓ પુણ્ય બાંધે છે. માટે તે પુણ્યાનુબંધી પુણ્ય જાણવું. જેઓ દીક્ષા અંગીકાર કરે છે તેમને પણ પુણ્યાનુબંધી પુણ્ય શુભયોગે બંધાય છે. અને શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-મહાપુણ્યની સામગ્રીએ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ મહા પુણ્યવંત હોય તે સત્યધર્મ શ્રવણ કરી શકે છે, અને તેમાં પણ મહાપુણ્ય હોય તે સત્ય ધર્મની શ્રદ્ધા થાય છે, અને તેના કરતાં પણ મહાપુણ્ય જેને હેય તે વિરતિપણું અંગીકાર કરે છે અને સર્વ કરતાં અનંતિ પુણ્યની રાશિ ભેગી થઈ હોય તો ચારિત્ર ગ્રહણ કરવું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩
ઉદયમાં આવે છે અને તેના કરતાં પણ અનંતિ પુણ્યશશિની સામગ્રી સંપ્રાપ્ત થઈ હોય તો ભાવચારિત્ર ઉદયમાં આવે છે. પુણ્યાનુબંધી પુણ્ય મેગે જીવ ઉચ્ચદશાને અનુક્રમે પામી સમકિતરૂપીસેનાપતિની સાહાયે કર્મરૂપશત્રુને છતી પરમાત્મપદ સંપ્રાપ્ત કરી પંચમ ગતિને પ્રાપ્ત કરે છે.
૨. –પુણ્યાનુબંધી પા૫-દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચોગે પાપેદય વેદતાં પણ તથા પ્રકારની સામગ્રી ને શુદ્ધધર્મનું શ્રવણ કરત તથા શ્રદ્ધા કરતે, શુભ મન, વચન, કાયાના યોગ દ્વારા શુભ રાગ દ્વેષના ગે પુણ્યનાં દળીયાં ગ્રહણ કરે છે તેને પુણ્યાનુબંધી પાપ કહે છે. એટલે કોઈ જીવ હાલ ગરીબ નિર્ધન હોય અન્નને અને દાંતને વેર હોય છે, તે પણ કોઈ સલ્લુરૂને પામી સત્ય ધર્મને ઉપદેશ શ્રવણ કરી કૃત્ય કૃત્ય થયે છતો એવું ચિંતવે કે પૂર્વ ભવમાં અશુભ વિચાર રૂપ લેસ્થાના યોગે અશુભ કર્મ પાપ રૂપ ઉપામ્યું છે. તે અશુભ કર્મ આ ગતિમાં ઉદય આવ્યું છે. તેના વિપાક ભેગવવા પડે છે. તેમાં દુ:ખ ધર નહીં !! જ્યાં સુધી અશુભ કર્મના ઉદયને કાળ પૂર્ણ થયા નથી ત્યાં સુધી દુઃખ જોગવવું પડશે. તેમાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
છૂટકે થવાનો નથી, રાજા હે રંક હે કીટક હો ઈદ હે, નર હો વા નારી હે પણ જેને અશુભકર્મ જેવા પ્રકારનું બાંધ્યું છે તેને તેવા પ્રકારનો ઉદય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યોગે થતાં તે ભોગવવું જ પડે છે, કઈ જીવે એવું કમ ઉપાર્જન કર્યું હોય છે કે તે માતાના પેટમાંને પેટમાંજ મરી જાય છે, વળી કઈ જીવે એવું કર્મ કર્યું હોય છે કે તે માતાના પેટમાંથી બહાર નીકળતાં આડો આવે છે. ત્યારે માતા મરી જાય એવી થાય છે અને વળી ઘણા ઉપાય કરતાં તે નહિ નીકળી શકે તે તેને કાપીને પણ બહાર કાઢવામાં આવે છે, કોઈ જીવ અંધ જન્મે છે, કોઈ જીવ બહેરા જન્મે છે, તે સર્વ કર્મનો વિપાક છે, કરેલા કર્મનો ક્ષય થતો નથી, અશુભ કર્મનો ઉદય થતાં રામચંદ્રજીને વનવાસ જવું પડ્યું, અને વળી સીતાને માથે કલંકનું આળ ચડ્યું તે પણ અશુભ કર્મના ઉદયથી જાણવું. મુંજરાજાને અશુભ કર્મનો ઉદય થતાં ઘેર ઘેર ભીક્ષા માગવી પડી, વળી શુભ કર્મને ઉદય થતાં રંક તે પણ રાજા બની જાય છે, વળી શુભ કર્મને ઉદય થતાં નિર્ધન હોય છતાં તેને એવી બુદ્ધિ થાય કે ચાલો આપણે પત્થરની ખાણ ખેદીએ, અને તે પત્થરની
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
ખાણ ખેાદતાં એકદમ રત્ન હાથમાં આવી જાય અને તે વેચી કરાડાધિપતિ અને, એ સ બનવું શકય છે, એમ નિન પણ ચિંતવા સામાયિક, પાષધ, પ્રતિક્રમણ, સદ્ગુરૂ તૈયાનૃત્ય, અભયદાન, સુપાત્રદાન મનથી પણ શુભ વિચાર કરતા ભાવનાભાવતે વિચરે છે, તે પ્રમાણે વર્તે છે, તેને પુણ્યાનુબંધી પાપ કહેવાય છે, હાલ દુ:ખ ભાગવતા હાય, ગરીબ નિન હેાય પણ તે ધર્મ કરે છે, તેથી પુછ્ય બાંધે છે અને ખીજા ભવમાં પુણ્યનાં ફળ ભાગવશે, ઇતિ દ્વિતીયભગ
૩, પાપાનુબંધી પુણ્ય—જે જીવ હાલ પુણ્યના ઉદયે રાજ્યરૂદ્દિ ભાગવે છે. મેટા મેટા વેપાર કરી કરેાડે રૂપૈયા પેદા કરી મોટા બંગલા વાડીએ બાંધે છે, અને ગાડીમાં એશી ધમધમ ગાડી ચલાવે છે, અને તાનમાં માનમાં તાડીદારૂના પ્યાલા ગટગટાવે છે. હજારા જીવાને દૂકવતી મારી નાખે છે. વળી માછલાંને પીલાવી હારેા મણુ તેલ કાઢી વેચી લક્ષાધિપતિ બની એશ આરામ ભાગવે છે. લાખે! બકરાં, ગાયોનાં જાનવરાનાં ગળાં રેશી તેનું માંસ, ચામડી વેચી પૈસાદાર બની જીવન ગાળે છે, પુણ્યપાપ ને ગણતા નથી. જીવ હિંસાના, ચેરીના વ્યાપારથી તાલેવર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬.
ગ્રહસ્થ બની સારૂ સારૂ ખાય છે. વ્યભિચાર સેવે છે, ફૂડ કપટ કરે છે. એક બીજાને લડાવે છે. તે જીવ, તથા પ્રકારનું પુણ્ય ભેગવતા હાલ તો તેવા ઘણા માલુમ પડે છે. ત્યારે તેવા પાપીને સુખ અંશ આરામ લક્ષ્મી ભોગવતા દેખી કોઈ અજ્ઞાની કહે કે, જુઓ ભાઈ, ધમના ઘેર ધાડ, અને પાપીના ૨ કુશળ. મોટા મોટા સાહેબ લેકે વા અમુક લેકે પાપ કરે છે માટે તે સુખી થાય છે અને તેના અવળા નાંખેલા પાસા પણ સવળ પડે છે. માટે ભાઈ આ કાળ તો પાપ કરવાનો છે. જુઓને પાપી પુરૂષ જ સુખી દેખાય છે. એમ જે ટુંક સમજણથી બેલે તેને કહેવું કે, હે પ્રિયભાઈ, તેવા પ્રકારના છે હાલ તો પુણ્ય ભોગવે છે પણ તે પુણ્યથી અત્યંત પાપ બંધાય છે, અને તે પાપ પરભવમાં તે જીવો ભોગવતા મહા રૈરવ દુઃખ પામશે. ત્યાં પોપાબાઈનું રાજ્ય નથી કે જેથી ગપછપ ચાલ્યું જાય. તેવા પ્રકારના લોકો મોટી પદવી ભગવતા હોય, વા મહાસત્તા ધારી હોય તો પણ ધર્મસાધક પ્રિય સજજનોએ તેવાઓને દેખી મન ચંચલ કરવું નહીં અને અધર્મીઓને સુખ ભોગવતા દેખી ધર્મકૃત્ય મૂકી દેવાં નહીં, મનમાં એમ વિચારવું કે, સારાં કૃત્ય, સારા વિચાર અને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
નઠારું કૃત્ય અને નઠારા વિચારનું ફળ બેઠા વિના રહેવાનું નથી. અને તે ફળ ભોગવવું પડશે. વળી વિચારવું કે કોઈ ટસાઈ બકરીને સારે સારો બરાક ખવરાવે છે અને તેથી તે મસ્તાન બની ગઈ છે. પણ સમજવું કે તેનું મસ્તાન પણું થોડા દિવસનું છે, થોડા દિવસમાં કસાઈ, ગળુ રૅશી નાંખશે. નક્કી સમજજો તેમ કોઈ અધમ પાપી ચેરી જારી કરતા હોય અને સુખ ભોગવતો હોય પણ સમજવું કે પુણ્યને ઉદય મટતાં અને વળી મરતાં બકરીના જેવા હાલ થયા વિના રહેવાના નથી એમ નક્કી સમજ અને સમજીને હદયમાં ઉતારજો. એવા પાપી જીવો સુખ ભોગવી પાપ કરી નરકમાં વા તિર્યંચની ગતિમાં જશે ત્યાં ભયંકર દુખો ભોગવવા પડશે. શાસ્ત્રમાં આવા પ્રકારના પુણ્યને પાપાનુબંધી પુણ્ય કહે છે, એ પાપાનુબંધી પુણ્યના ભોક્તા દૂરભવી જીવો, વા અભવ્ય જી હેય છે. માટે તેવા નાં કૃત્યને વખાણવાં નહીં, અને તેવા જીવોના કૃત્યને વખાણવાના વિચારોથી આત્મા અશુભકર્મ સમુપાર્જન કરી આવતા જન્મમાં દુઃખને ભોક્તા બને છે. માટે તેવું આચરણ થઈ ગયું હોય તે પશ્ચાત્તાપ કરવો. સદ્દગુરુ પાસે આલેચના લેવી. એ ત્રીજા ભંગ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ઉપર ઘણું વિવેચન કરવા યોગ્ય છે. પણ અત્ર પ્રસંગે પાર ટુંકમાં દિગદર્શન કર્યું છે. અતિ તૃતીયભંગ.
૪. પાપાનુબંધી પાપ–જે પાપના ઉદયથી અશાતા વેદનીય ભોગવતાં છતાં પાછું તેથકી પાપ બાંધવામાં આવે તેને પાપાનુબંધી પાપ કહે છે, જેમકે ખરાબ નીચકુળ અવતાર તેમાં પણ ખાવાનું પીવાનું મળે નહીં એવી સ્થિતિ પ્રાપ્ત થાય, ને વાઘરી ધીવર ચંડાળ વિગેરે કૂળ વા એવાં પાપ ભોગવવાની અન્ય જાતિ અને તેમાં પાપને પાછે બંધ કરવામાં આવે–એવા જૂઠા બેલવાના ધંધા, હિંસા કરવાના જ ધંધા, ચેરી કરવાના ધંધા, મા આરંભ કરવાના ધંધા, પ્રાણુઓને કાપી નાખવાના ધંધા, બાલ હત્યા, સ્ત્રી હત્યા, સાધુ હત્યા, વિગેરે હત્યા કરવી. તે સર્વ પાપાનુબંધી પાપ જાણવું. એ પાપાનુબધીપાપ કરી છે, નરક અને તિર્યંચ આદિ ગતિમાં અવતરે છે, અને ત્યાં વિવિધ પ્રકારનાં દુઃખ ભોગવે છે, તાઢ, તડકો, ભૂખ, તૃષા વિગેરે અનેક પ્રકારનાં દુઃખ પીડાએ ભોગવવી પડે છે.
આ પ્રમાણે પુણ્ય અને પાપ પણ વિચારે રૂપ લેશ્યાનું જ ફળ છે. કલ્યાણની ઈચ્છાવાળાએ શુદ્ધ વિચા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર
રને હદયમાં જાગ્રત કરો. આ ઠેકાણે સમજવું કે, શુદ્ધ વિચાર એ આત્માના સ્વરૂપસંબંધી વિચાર જાણવો. શુદ્ધ વિચાર એ આત્મસ્વરુપની પ્રાપ્તિ માટે ઉત્તમ શક્તિ છે, કર્મરૂપ બળ અગ્નિ એલવવા શુદ્ધ વિચાર મેઘના જળની વૃષ્ટિ સમાન છે, આત્મસ્વભાવ સર્વકાળ જાગ્રત, રાખવે એ શુદ્ધ વિચારને અવધિ છે, અને એજ સર્વોતમભકિત છે, શુદ્ધ વિચારથી આત્મસ્વરૂપમાં અખંડ અનુસંધાન કરવું, એજ ભક્તિની પરાકાષ્ટા છે, અત્યંત પ્રેમે આત્મારૂપ પરમાત્મસ્વરૂપને વારંવાર સ્મરવું, આત્મ
સ્વરુપના લક્ષણોને અંતઃકરણમાં તીવ્ર પ્રેમથી જુરાવવાં. આત્મધર્મના વિચારથકી વિજાતીય વિચારને દિલમાં પ્રગટવા ન દેવા, આત્માને શુદ્ધ ધર્મમાં તન્મય થઈ જવું, એજ ભક્તિનું ઉચ્ચ શિખર છે, આવી સાધારણ અનન્ય ભકિત જ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવે છે, અને સર્વજ્ઞ પદ આપે છે.
વિદ્યા અને જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થાય છે ? શાસ્ત્ર સુત્ર ગ્રંથો ક્યાંથી નીકળ્યા ? જ્ઞાનીઓએ શાસ્ત્ર અને અનેક પ્રકારની તવ વિદ્યાઓના વિચારો પ્રગટ કયા મૂળમાંથી કર્યા? તે તમે જાણે છે ? હું તમને કહું છું કે–તે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સનું મૂળ આત્મા આત્માને આત્માજ છે, આત્મા વિના અન્ય કોઇ વસ્તુ નથી. આત્મામાંથીજ કેવલજ્ઞાન વલદન અને અનન્તથીય ઉત્પન્ન થાય છે, અઠ્ઠાવીશ લબ્ધિયા પણ આત્મામાંથીજ પ્રગટે છે, અનેક પ્રકારના ચમત્કાર પણ આત્મામાંથીજ પ્રગટે છે, મેરૂ પર્વતને ધ્રુજાવે, ધરણીને હલાવે, તારામાંડળને અધઃપતન કરાવે એવા પ્રકારનું સામર્થ્ય પણ આત્મામાંજ છે, તમે સાંભલ્યું વા વાંચ્યું છે કે ચાવીસમા તીર્થંકર શ્રી વીરપ્રભુને ઇંદ્ર મહારાજ મેરૂ પર્વત ઉપર સ્નાત્ર મહેાત્સવ કરાવવા લેઇ ગયા, ત્યાં અનેક ફળો કરી પ્રભુને સ્નાન કરાવતાં ઇન્દ્રના મનમાં વિચાર આવ્યા કે શ્રી વીર પરમાત્મા નાના ખેલ છે તે આટલા બધા ફળોનું જળ શી રીતે સહન કરશે? એમ ઈંદ્રના મનમાં સશય થતાં તે વિચાર શ્રી વીરપ્રભુએ અવધિજ્ઞાનથી જાણી લીધે। અને જમણા પગના અંગુઠ્ઠાવ મેરૂ પર્વતને હલાવ્યું, તેથી મેરૂ પર્વત હાલ્યા. શિખર પડવા જેવાં થઈ ગયાં. આ ઉત્પાત કાળે કર્યો તે ઇન્દ્રે અધિ જ્ઞાનથી જાણી શ્રી વીરપ્રભુને ખમાવ્યા તેમની સ્તવના કરી. આ દૃષ્ટાંત જેવાં તે લાખે। દ્રષ્ટાંત છે, અને તે અનતશક્તિ આત્મામાંજ રહી છે, તેને પ્રગટાવવા પ્રયત્ન કરવા.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરેક તીર્થકર મહારાજ એ ત્રણજ્ઞાની છતાં પંચમ કેવળ આદિપ્રગટાવવા પ્રયત્ન કર્યો છે. તે શું આપણે સાંભળ્યું નથી. એક અજ્ઞ બાળક જેને એક પણ લખતાં બરાબર આવડતો નથી અને વાંકેચુકે એકડો લખે છે તે વિદ્યાશકિત માટે પ્રયત્ન કરતે એમ. એ. ની પદવી લે છે. તેવા હજારે દાખલા શું આપણે નજરે નથી જોતા ? આમામાં અનતશક્તિને ખજાને ભરપૂર ભરેલું છે, પણ તેને ખીલવ્યા વિના પ્રગટ થતું નથી. અમુક ઘરના ખૂણામાં એક સેના મહેરને ચરૂ દાટે છે પણ ખેલ્યાવિના તે પ્રગટ થતો નથી. તેમ આત્મશકિત પણ ઉપરના હેતુઓથી ખીલવ્યાવિના પ્રગટ થતી નથી. આત્મશકિતની ઉપાસના કરે, સર્વસંશયને ત્ય, જાગ્રત થાઓ જાગ્રત થાઓ!! આત્માભિમુખ થાઓ. આત્મસ્વરૂપની ભાવના કરે ! ! આત્મસ્વરૂપમય થાઓ.
પ્રિય–સાધકે ? તમે નિરંતર સ્મરણમાં રાખે કે, પા અથવા અડધા કલાક આત્મા કે જે પરમાત્મા છે તેની ભાવના કરી અથવા સ્તવન કે સ્વાધ્યાય કર્યા બાદ વ્યવહારમાં આખો દિવસ પિતાની નજરમાં આવે તેવું આચરણ આચરવું, કામ, ક્રોધ, લોભ, મેહ, નિંદા અને દ્વેષના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારેને પુનઃપુનઃ પુષ્ટ કરવા અને ત્રેવીસે કલાક બહિરાત્માનાં જ લક્ષણો જ હદયમાં સુરાવવા તથા પેશવાં તેથી અસંખ્યાત ઉત્સર્પિણ કે અવસર્પિણુકાલ વહી જાય તે પણ શુદ્ધપરમાત્માસવરૂપ પ્રગટવાનું નથી. ભલે સાક્ષાત તીર્થકર ભગવાન પોતે ગુરૂ મળે તે પણ તમે પોતે શુદ્ધ ઉપદેશનો સ્વીકાર કરીને તે ઉપદેશને આચરણમાં ખરા પ્રેમભાવથી નહીં ઉતારો ત્યાં સુધી તમારા મનમાં ભલે તમે રાજી થાઓ કે અમે તત્ત્વ પામ્યા, કૃતાર્થ થયા, પણ તમે કૃતાર્થ થયા નથીજ. જરા અંતમાં જુઓ તે ખરા, તમારામાં મેહના કેટલા વિકારો ભર્યા છે, અને એ તમને ગુપ્ત રીતે કેવી પીડા આપે છે. તમે તે રાગ દ્વેષાદિને પુનઃ પુનઃ સેવન કરે છે, તેનાથી નિવત્યા વિના તમે આત્માની તરફ વળવાના નથી, તમે રાગ દ્વેષતરફ દૃષ્ટિ આપ્યા વિના આત્મભગવાનનું સ્મરણ કરે. હું નિરાકાર અરૂપી શાશ્વત અનંતજ્ઞાન દર્શનને અધિષ્ઠાતા છું. મારું સ્વરૂપ અલક્ષ્ય છે, નામ રૂપથી હું ત્યારે છું. એવી ભાવના ક્ષણે ક્ષણે હરઘડીએ કરતા રહે, તમારી સુરતા આત્મભગવાનમાં ખાતાં પીતાં. બેલતાં ચાલતાં ન્હાતાં જોતાં રાખ્યા કરે. આત્માને વિષે કેવી રીતે સુરતા રાખવી તે નીચેના પરથી માલમ પડશે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पद. ऐसे जिनधरणे चित्त लाओरेमना, ऐसे अरिहंतके गुण गाओरे मना-ऐंसे० उदर भरन के कारणेरे, गौआं वनमे जाय; चारो चरे चिहुदिशे फिरे, वाकी सुरत वाछरू
आमांहिरे, १ चार पांच साहेलीयां रे, हिलमिल पाणी जाय; ताली दीये खडखड हसे,वाकी सुरत गगरीयांमांयरे.२ नटुवा नाचे चोकमां रे, लोक करे लख सोर; वांस ग्रही वरते चडे, वाको चित्त न चले कहुं ठोर. ३ जुआरी मनमें जुआरे, कामीके मन काम; आनंदघन प्रभु युं कहे, तुम लीयो प्रभुका नामरे, ४
ભાવાર્થ:-સત્તરમા સૈકામાં થએલા જૈન મહામુનીશ્વર મહાયોગીન્દ્ર-શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે હે પ્રિય સાધકો !! આવી રીતે પ્રભુજીનેશ્વરના ચરણકમળમાં ચિત્ત સ્થાપો. અર્થાત સુરતા સાંધે-આ ઠેકાણે આવિર્ભાવે એટલે પ્રગટ કરી છે આત્મિકરૂદ્ધિ તે જેને એવા તીર્થકર ભગવાન તેને તે જીન કહીએ, અને વળી તિભાવે એટલે પૂર્ણપણે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રગટતા થઈ નથી એવો
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
જે સંસાર અવસ્થામાં પેાતાના આત્મા તેને તિરાભાવે જિન કહેવા. એટલે આત્મા તે જિન છે. પણ કર્માંવવરથી આત્માની દ્દિ આચ્છાદિત થઇ છે-પણ તે આ
ત્મા જ અરિહત છે. આત્માજ સિદ્ધ છે, આત્માજ આચાય છે. આત્માજ ઉપાધ્યાય છે. આત્માજ સાધુ છે, જ્ઞાન દર્શન અને ચારિત્રમય પણ આત્માજ છે. તેમ જિન પણ આ દેહમાં રહેલેા આત્માજ સત્તાએ જાવે. માટે આત્માને પરમાત્મા પ્રભુ પરમેશ્વર એવા નામેથી ભજવામાં આવે છે. પરતીર્થંકર કે જે નિલ આત્મસ્વરૂપી છે, તેવા જિન તે બેમાંથી જેને જ્યાં સુરતા લાગી શકતી હૈાય તેનું અવલંબન કરી ઉન્નતિ ક્રમમાં જોડાવું. હવે આન ધનજી મહારાજ પ્રભુના ચરણકમળમાં ચિત્ત લગાડવાનું કહેતા છતા દ્રષ્ટાંત આપી અતરાત્માને ઉત્સાહિત કરે છે.
જેમકે-પેટને ભરવા માટે વાછરડાવાળી ગાયેા વગડામાં ચરવા જાય છે અને તે ગાયા વગડામાં ચારે દિશાએ કરતી જ્યાં ત્યાંથી ઘાસ ચરે છે, દાડે છે. પણ તે ગાયાની અન્તચિત્તવૃત્તિની સુરતાતે ધાસખાતાં-ચાલતાં પાણી પીતાં પેાતાના વાછરડામાંજ લાગી રહી છે. મારૂ વાછરડું શું કરતું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હશે. તે મારા વિના બૂમો પાડતું હશે. તે ભૂખ્યું થયું હશે. તે મને સંભારતું હશે. એ વાછરડાને કેમ હશે એમ ચિંતવતી ગાય પિતાની સુરતા વાછરડામાં અન્ય કાર્યો કરતાં છતાં પણ રાખે છે. તેમ આનંદઘનજી મહારાજ કહે છે કે, હે ભવ્ય શ્રેય સાધકો—તમે પણ વ્યવહારનાં, વેપારનાં, દુકાનનાં, નેકરીનાં, રાજ્યનાં, નિશાળનાં, ખેતીનાં, મીલનાં વિગેરે હરેક કાર્યો કરતાં છતાં પણ તમારી સુરતા તમારા શરીરમાં જિનસ્વરૂપ આત્મામાં રાખે એટલે અનેક પ્રકારનાં વ્યવહારના કાર્યો કરતા છતા પણ અન્તસ્થી તે સર્વકાર્યથી ન્યારા રહી તમે આત્મામાં પુનઃ પુનઃ સુરતા સાંધે તો તમારે આત્મારૂપ પરમેશ્વર પ્રસન્ન થાય, અને સમયે સમયે અનંતસુખના વિલાસી બનો. વળી આનંદઘનજી મહારાજ આત્માની સાથે કેવી રીતે સુરતા સાંધવી તેના ઉપર દૃષ્ટાંત આપી જણાવે છે કે ચારપાંચ સાહેલીયાંરે–ચાર પાંચ સરખે સરખી ઉમરની જુવાન સાહેલીઓ માથે ગાગરીઓ મૂકી સાથે પાણી ભરવા જાય છે, અને પાણી ભરીને હસતી હતી પરસ્પર તાળીઓ દેતી ચાલે છે, પછી વાતો કરતી ચાલે છે, પણ તેની સુરતાતો વાતો કરતાં, ચાલતાં, હસતાં, તાળી દેતાં ગાગરમાંજ લાગી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬
રહી છે. રખેને મારી ગાગર પડી જાય એમ ખબર રાખતી રહે છે. અને તેમાં જ સુરતા રાખે છે. તેમ તમે પણ છે ભવ્ય જીવો ! ! એવી રીતે આત્મસ્વરૂપમાં સુરતા સાંધો ! અત્તરમાં અનંત ગુણ અનંત શકિતથી શોભાયમાન આત્મામાં દરેક કામકાજ કરતાં સુરતા શખ, હાસ્ય, વિથા, નિંદા, વિગેરે કુકર્મ કરનારાઓના સંબંધમાં તમે આવે તો પણ અંતરાત્મા ભગવાનમાં સુરતા સાંધી કુકર્મથી અલગ રહેજો, આમ ભગવાનની ઉપાસનામાંજ અંતથી સુરતા રાખજે આવી સુરતા વિના આમભગવાન શી રીતે પ્રસન્ન થાય ? તમે હાથે કરીને આત્મરૂપીસર્યના જ્ઞાન પ્રકાશપર રાગદ્વેષ રૂપ વાયુ વેગે શુભાશુભ કર્મરૂપ વાદળાં લાવે છે, તેમાં તમારે વાંક છે, અન્યને વાંક નથી. તમારે આત્મા તેમ કર્યાથી પ્રકાશ ન આપે તેમાં તમે જ કારણભૂત છે, તમારી મેળેજ તમે પગઉપર કુવાડી મારી છે. તમારી મેળેજ તમે ઠાંસી ઠાંસીને ગળા સુધી ભરી અજીર્ણ ઉત્પન્ન કર્યું છે. તમારી મેળેજ બળતા અગ્નિમાં કુદકે મારી પડયા છે. તમારી મેળેજ તમે સપના મુખમાં હાથ ઘાલી જીવવાનું ધાર્યું છે. તમારી મેળેજ તાલપુટ વિષ ભક્ષણ કર્યું છે. શું તેને હવે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાય નથી? શું તે મૂળ સ્વરૂપ અમારું પ્રાપ્ત કરી શકીશું નહિ; ઉત્તરમાં કે તમે જે આવી તમારા આત્માની સાથે સુરતા લગાડે તે અપસમયમાં આત્મ પ્રભુને પ્રસન્ન કરશે. આમાં નિર્માણ થયે તો અનંત ઋદ્ધિ આપશે. એ ઋદ્ધિ સદાકાળ અખંડપણે રહેશે અને તમો તેથી પરમ આનંદના ભટકતા બનશે માટે આત્મ પ્રભુની સાથે એવી સુરતા લગાડે. નક્કી તમે ક૯યાણમય બનશે, નાણું મળશે પણ ટાણું નહીં મળે. મનુષ્યભવના આાયુ ષ્યની એક ક્ષણ પણ અમૂલ્ય છે તેને નકામી ગાળશો નહીં. પુનઃ પુનઃ આ સમય મળવાનો નથી. નહીં ચેતો તો યાદશી મતિ તાદશી ગતિઃ જેવી મતિ તેવી ગતી સમજી લેજે, કેાઇ આકાશમાંથી ઉતરીને તમને કોઈ કહેવા આવવાનું નથી, ખરા બપેરે શું દેખી શકાય તેમ નથી; છતાં ચૂક બાલ દેખે નહીં તેમાં સૂર્યનો શે દોષ ? કંઈ નહિ. સમુદ્ર પામવા છતાં કાણે ઘડે ભરાય નહિ, તેમાં સમુદ્રને શે દેષ; કંઈ નહિ. ઘડાને જ દોષ ગણાય. વળી કહ્યું છે કે --
It पत्ते वसंतमासे, पत्ताइ पावंति सयलवणराइं॥ . जे न करीरे पत्तं, ता किं दासो. वसंतस्त ॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
વસંત ઋતુ પ્રાપ્ત થયે તે સકલ વિનરાજી પાંદડાં પામે છે, અને કેરડા ઉપર પાંદડું નહિ. તેમાં વસંત ઋતુને શા દોષ; કંઈ નહીં. તેમ અત્ર પણ આ પ્રમાણે આત્માનું સ્વરૂપ સાંભળી મેક્ષનું સ્વરૂપ સાંભળી આપણે સર્વે સુખના નિધાન એવા આત્મામાં ક્ષણે ક્ષણે સુરતા ન રાખીએ અને આત્મ સ્વરૂપને ભૂલી જઈએ તેમાં આપણે જ દે છે. માટે તે દેશને દૂર કરવા આત્મસ્વરૂપને પામવાની ઉત્કટ ઇચ્છાવાળા બને, અને સારમાં સાર, ધનમાં ધન, મિત્રમાં મિત્ર, સ્વામીમાં સ્વામી, સત્યમાં સત્ય, આધારમાં આધાર, શરણમાં શરણ આત્માને ગણી તેમાં તમારા પ્રેમ ભાવથી સુરતા લગાડો. નકી તમારા જન્મની સાર્થકતા થશે. કીડીને કુંજર થવા માટે આ અમૂલ્ય સમય છે. વળી આનંદઘનજી મહારાજ સુરતાના ઉપર દષ્ટાંત આપે છે. જેમ કે-નટ ચેકમાં નાચે છે, દર ઉપર ચઢો છે. હેઠળ હજારો લોકો શેર બકાર કરી રહ્યા છે. તો પણ વાંસના ઉપર દોર ઉપર ચાલતાં પોતાની સુરતા ત્યાંને ત્યાં લગાવે છે. તેનું ચિત્ત જરા માત્ર અન્યત્ર જતું નથી અને પિતાનું કાર્ય બજાવે છે તેમ જે પુરૂષ આતમજીનના ધ્યાનમાં અંતથી સુરતા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
સાંધે છે. વ્યવહાર કાના અનેક પ્રસંગને પામીને પણ અંતથી આત્માની સાથે સુરતા એકધારાએ ચલાવે છે, તે ભવ્ય, મને નાશ કરી અત્ર વિજય વરમાળો પ્રાપ્ત કરે છે. વળી જેમ જુગારીના મનમાં જુગારની ધૂન લાગી રહેલી હોય છે. જુગારી જ્યાં જાય ત્યાં જુગાર રમવાને દાવ શૈય્યા કરે છે, જુગાર રમતાં ખાવાની પણ સરત ચુકી જાય છૅ, જુગાર વિના તેને ચેન પડે નહીં. જુગાર રમવાનું મળ્યું કે જાણે મેાટું રાજ મળ્યું એવી વૃત્તિવાળા હાય છે. તેની સુરતા જુગારની સાથે અંતર્થ બંધાયેલી હોય છે. તેમ જે પુરૂષની સુરતા આત્મારૂપ પરમાત્માની સાથે લાગી રહેલી છે, અને જ્યાં જાય ત્યાં આત્માનાસ્વરૂપની ધૂન અંતર્થી લાગી રહેલી હેાય છે. પાવતી રમણતા વિશ્વાના ઝાઝરાતી પેઠે ખીલકુલ નીરસ લાગે અને આત્માના સ્વરૂપના ધ્યાનમાં ખાવાનું પણ જેને નીરસ લાગે, અલબત્તક્ષુધાવેદનીયના ઉદયે ખાય તેમ પીવે પણ અંતર્થી તેની સુરતા આત્માની સાથે જ લાગી રહેલી હેાય. આત્માનું મનન સ્મરણ તેની ભિકત તેમાં તન્મયતા કરે, તેના વિના અન્યત્ર ચેન પડે નહીં. એવી રીતે આત્માની સાથે નટવત સુરતા સાધી આત્મશકિત પ્રગટાવા, અને નિરંજન નિરાકાર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખંડાનંદના ભકતા બને. એમ શ્રી આનંદઘનજીની હિત શિક્ષા છે. વળી તેઓશ્રી જણાવે છે કે –
જેમ કામી પુરૂષ, જુવાન સ્ત્રીને દેખી કામી બને છે. તેને વારંવાર યાદ કરે છે. વારંવાર કામના અર્થે તેને મળવા ઈચ્છે છે. તેના વિના તે સર્વત્ર શૂન્ય દેખે છે. તેના મનમાં ધારેલી સ્ત્રીના જ વિચારો રમ્યા કરે છે. સારમાં સાર તે સ્ત્રીને ગણે છે. તેના માટે તનમનધન કુરબાન કરે છે. ગમે તે ઠેકાણે હેય, ખાતે પીતે હોય, વાત કરતો હોય, કોઈ પણ કામકાજ કરતો હોય તે પણ તે પુરૂષની સુરતા કામના વિષયમાં કામીનીના ઉપર જ લાગી રહી હોય છે. તેમ તમે પણ સારમાં સાર આત્માને ગણી, પ્રાયમાં પ્રાપ્ય ગણી, આદેયમાં આદેય ગણી તે આત્મામાં સુરતા લગાડે. વળી વારંવાર આત્મધર્મને સમય કરે, વળી આત્માથી પુરૂષોને હિત શિક્ષા કે આ જગતમાં સર્વ પ્રકારની પલિક વસ્તુઓને ક્ષણિક અસત્ય ગણું સત્ય પણું આત્મામાં ધારણ કરે. તન ધન મનને પણ આભધર્મની પ્રાપ્તિ અર્થે કુરબાન કરે. વારંવાર આત્મધર્મના ધ્યાનમાં પ્રવર્યા કરે. જેમ તે કામ પુરૂષની સુરતા કામની ઉપર અંદરથી લાગી રહેલી હોય છે. તેમ તમે પણ આમ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧ સ્વરૂપ ઉપર ફરતાં હરતાં સુરતા રાખ્યા કરે, કામી પુરૂષની સ્ત્રીના ઉપર જે સુરતા છે તે સુરતાથી તેને વાસ્તવિક સુખ લાભ મળતો નથી, અને સાત ધાતુથી ભરપૂર વિકાની કોથળી એવી અપવિત્ર સ્ત્રીના ઉપર રાગ કરવો તેથી કર્મ બંધન થાય છે અને તે કર્મ બંધનથી જન્મ જરા મરણનાં દુખ પ્રાપ્ત થાય છે. આત્માના ઉપર સુરતા લગાડવાથી કર્મને નાશ થાય છે. સંતોષની પ્રાપ્તિ થાય છે. અને જન્મજ રામરણનાં દુઃખ ટળે છે, અને શાશ્વત સત્ય આનંદ મળે છે. માટે સર્વોત્તમ વાત આત્માની સાથે સુરતા સાંધવી તે છે. શ્રી આનંદધન પ્રભુ એમ કહે છે કે તમે તેવી રીતે આમપ્રભુ વા તીર્થંકરપ્રભુની સાથે સુરતા અવિચિછન ધારણાથી લગાડી પ્રભુનું નામ લે. એટલે પ્રભુનું સ્મરણ કરે. ચોથા ગુણ ઠાણાથી આવા પ્રકારની સુરતા ભેદજ્ઞાન, પ્રાપ્ત થતાં થાય છે. પુદગલનો ધર્મ અને આત્મધર્મનું જ્ઞાન જ્યારે થાય છે, અને હંસ જેમ દુધ અને પાણીને ચંચુથી જુદાં કરી નાંખે છે તેમ જે જીવ, ભેદજ્ઞાન યોગે આત્મા અને પુલની ભિન્નતા વિવેકદૃષ્ટિથી કરે છે, તે ભવ્યજીવ, પૂર્વોકત પ્રકારની સુરતાનો અધિકારી થાય છે. એવી સુરતા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
C
શું તમે પ્રાપ્ત કરી શકવાના નથી; કેમ નથી કરવાના? પ્રયત્તથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. પ્રયત્ન કરો!! પ્રયત્ન કરા. ચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે. સતત ઉત્સાહ. રાખા, ટીપે ટીપે સરોવર ભરાય, અને કાંકરે કાંકરે પાળ અધાય. તમે પણ તેવા પ્રકારની સુરતા આત્માની સાથે સાંધી શકશે, આજથી વા આવતી કાલથી તમે ખંતપૂ કિ મહાવરા પાડે, અને દરરેાજ સુરતાને અભ્યાસ વધારતા રહેજો. તેને માટે અમુકકાળના નિયમ કરો. પ્રથમ તે કંટાળા આવશે, વાત ચિત્તમાં ગભરામણ થશે, પણ તમે ઉત્સાહ અને ખંતથી સતત પ્રયત્ન કરજે, અને વિશ્વાસથી સુરતાના અભ્યાસમાં જોડાજો. નક્કી તમા અમુક માસમાં ચડતી સ્થિતિવાળી અને પવિત્ર સ્થિતિ તમારા આત્માની જોશે. આવી રીતે સુરતા સાધ્યા વિના કલ્યાણ થવાનું નથી. શુકલધ્યાનના પાયામાં સુરતાને અંતર્ભાવ થાય છે. ધર્મધ્યાનમાં પણ સુરતાના અંતર્ભાવ થાય છે. સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત કરતાં સુરતાના, ગુઠાણાની અપેક્ષાએ અનેક જીવ આશ્રયી અસ ંખ્યાત ભેદ પડે છે. સર્વમાં આત્મસ્વરૂપની સુરતા સુખને અવધિ છે. આત્મસ્વરૂપમાં સુરતા સાધવાને એક દ્રષ્ટાંત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
કહે છે. જેમ એક સોની દુકાનમાં બેઠો બેઠે ઝીણી સોનાની વસ્તુઓમાં કેરણી કરતો હતો. તેની સુરતા એવી છે ત્યાં પરેવાઈ કે ત્યાંથી રાજનું સૈન્ય ગયું તો પણ તેણે જાણ્યું નહિ. શું ત્યારે અમે ગૃહસ્થાવાસમાં આવું ચિત્ત રાખીએ તો સંસારનાં કાર્યો શી રીતે થાય ? તેના ઉત્તરમાં હું તમને જણાવું છું કે સંસારનાં કાર્યો કરતાં પણ તમારી સુરતા આત્મામાં સાંધ્યા કરે. ટેવ પાડશે કે તમને આ કાર્યા સહેલું લાગશે. તેમ વળી સાંજ સવાર રાત્રીમાં આ મહા કાર્ય માટે કેટલીક વખત નિયમિત કરે, અને તમારું કાર્ય સિદ્ધ થાય તેવા ઉપાયો પ્રતિદિન આચારમાં મૂકતા રહે !! એટલે તમે આ ધર્મધુરાને સુખેથી વહન કરી શકશો. પ્રયત્નમાં ખરા પ્રેમથી જોડાઓ. પ્રયત્નને સેવ્યા વિના જીવન્મુક્તિ વા સિદ્ધપણું મળતું હોય તે સર્વજી મુક્ત થાત. શ્રી ગુરૂનું સાહા સાંનિધ્ય અથવા કૃપા પણ સાધકને ફળની પ્રાપ્તિ કરાવવામાં તેના પિતાના પ્રયત્નની અપેક્ષા રાખે છે. ઉપદેશનું દાન પુનઃ પુન: વિવિધ વચનથી શિષ્યમાં ઉત્સાહ ભાવ જાગ્રત કરવો. પ્રયનની અતિવિક્રતાથી હારી જતા હૃદયને ધૈર્ય તથા શૈર્યનું અર્પણ કરવું. વિગેરે કાર્ય કરવા એજ સદગુરૂની કૃપા છે, અને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
આપેલા ઉપદેશાનુસાર વર્તન કરવું એજ શિષ્યનું કા છે. સ` ઉપર પ્રેમભાવ દર્શાવતા રહેા. કીડાથી તે ઈંદ્રપર્યંત સ` ઉપર પ્રેમ ભાતૃભાવ રાખેા, તમે ત્યાં સુધી બીજા પ્રાણીઓમાં રહેલી આત્મશક્તિની અવગણના કરી તેના ઉપર દ્વેષ કરેા છે, તથા તેમના ઉપર ક્રેાધ તથા તેમનું ભૂરું છે। છે! અને તથા કરેા છે, ત્યાં સુધી તમારે તમારા શરીરમાં રહેલા આત્મપ્રભુ ઉપર પ્રેમ થયા નથી. જો પેાતાના આત્મપ્રભુ ઉપર પ્રેમ થયેા હાય તે! ખીજાના શરીરમાં રહેલા આત્માએ પણ પેાતાના આત્મા સમાન છે તે તેનું ભૂંડું કેમ ઇચ્છાય ?? કેમ કરાય. હજી તમારા આત્મપ્રભુ ઉપર તમારી ખરી ભક્તિ પ્રકટી નથી. ઉપરઉપરથી સ્નાન કરી એ ટપકાં ટપકુ કપાળમાં કર્યું. વા છાપ લગાવી. વા ગળામાં કુંડી ઘાલી. વા પ્રભુના ભકતા ગણાવવા અનેક જાતનાં ખાનાં ધારણ કર્યા, પરંતુ જ્યાંસુધી આત્મપ્રભુ સમાન બીજા પ્રાણીએના આત્મા ગણી તેમના ઉપર પ્રેમ ભાતૃભાવ દા રાખી નથી, ત્યાં સુધી ઉપરના ખાનાથી તમારા શરીરમાં રહેલા આત્માને પરમાત્મારૂપ બનાવી શકવાના નથી. માટે સાધકા !! સર્વ જીવા ઉપર પ્રેમ ધરે.! પ્રેમધરા! સર્વજીવાના કલ્યાણમાં રાજી થાએ !! તમારામાં રહેલી આત્મસત્તા કાનું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકલ્યાણ ઈચ્છતી નથી. તેમ તમે જ્યારે કોઈનું પણ અહિત ઈચ્છતા નથી, ત્યારે આત્મસામર્થ્ય અનુભવવાને ગ્ય અધિકારી થાઓ છે. પ્રત્યેક પ્રાણુનું ખરા અંતઃકરણથી નિરતર હિતઇચ્છવું એજ આત્મધર્મની યથાર્થભક્તિને સૂચવનાર લક્ષણ છે. જે પ્રાણી અપકાર કરે છે તેના પ્રતિ પણ જેઓ પરમ પ્રેમ દર્શાવતા નથી, પરંતુ તેનું ખરાબ કરવા તત્પર થાય છે તેઓ, આત્મધર્મના અદ્ભુત સામર્થ્યને કદી પણ પ્રાપ્ત કરતા નથી.
પ્રિય સાધકે ! ચરમજીનેશ્વર શ્રી વીપ્રભુએ ચંડ કેશી નાગ જે પિતાને કરો તેના ઉપર કેવી કરૂણા દર્શાવી હતી ?? સંગમદેવતા ઉપરપણ તેમણે કેવી કરૂણું દર્શાવી હતી. તેમનું અંશમાત્ર પણ અહિત મનથી ચિંતવ્યું નહોતું.અહે તેમની કેવી કૃપા! કેવા ભાનુભાવ! એવી દશાથી તેઓશ્રીએ કેવયજ્ઞાન પ્રાપ્ત કર્યું એવી કૈવલ્યજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવાને આપણે પણ તેમના પગલે ચાલવું જોઈએ. વીરપ્રભુનાં પ્રત્યેક આચરણ જે સમજાય તો તે આપણું આત્મોન્નતિમાં હેતુભૂત છે. તથા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ કે જેઓ કમજોગી પાસે ગયા, ત્યાં, સમભાવ રાખી સર્પ બળતો હતો, તેને મહામંત્ર નવ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
કાર, સ્વસેવક પાસે સંભળાવ્યા અને ધરણેદ્ર બનાવ્યેા. વળી તેઓ શ્રી જ્યારે દીક્ષા અંગીકાર કરી વગડામાં વ હેઠળ કાઉસગ્ગધ્યાને રહ્યા હતા. તે સમયમાં કમાયેાગીને જીવ મરીને મેઘમાલીઢવતા તરીકે થયા હતા. તેણે અવધિજ્ઞાનથી પાર્શ્વપ્રભુને કાઉસગ્ગધ્યાને જાણી વૈરભાવથી ઉપદ્રવ કરવા લાગ્યા. પ્રભુની નાસિકા સુધી જળ આવ્યું, તેટલું મેચનું જળ વર્ષાવ્યું. તે પણ પાપ્રભુ, સમભાવે રહ્યા. જરા માત્ર મનથકી પણ મેઘમાલીનું અહિત ઈચ્છયું નહીં, તેઓ ધારે તે મેઘમાળી દેવતાને શિક્ષા આપવા સમ હતા. પરંતુ જાણો છો કે મેટા મહાત્માએની દયા કરૂણા પ્રેમ પણ મેટાં હેાય છે. તેથી તેએશ્રી ધ્યાનમાંજ આર્ટ થઇ આત્મસ્વરૂપમાં તલ્લીન થયા. તે વખતે નવકાર સંભળાવેલા નાગના જીવ ધણેકે આ ઉત્પાત જાણ્યા, અને તે ત્યાં આવ્યા અને મેઘમાલીને સમજાવ્યા ને કહ્યું કે શ્રીપાર્શ્વપ્રભુ દયા કરૂણાની મૂર્તિ છે. તેમના પ્રતિ આવું આચરણ આચરવાથી આપણે! આત્મા ઉચ્ચ સ્થિતિને પામે નહીં એમ સમજણ પડવાથી મૈધમાલી દેવતાએ પણ પાર્શ્વપ્રભુને ખમાવ્યા, અને કરેલા અપકૃતના ખરા અંતઃકરણથી પશ્ચાત્તાપ કર્યો. અા શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાશ્વપ્રભુની કવી કરૂણા, કેવો ભાતૃભાવ, આપણે પણ તેમના પગલે ચાલી તેવા થવા પ્રયત્ન કરીએ તે અવશ્ય તેવા પરમાત્મદશાવાળા થઈ શકીએ. તેમાં કશે સંશય નથી. પવિત્ર સજજનો તમે પણ આત્મોન્નતિના માર્ગમાં જોડાતાં પ્રથમ અન્યનું અકલ્યાણ ઈચ્છવું, એવો મનમાં પણ કદી સંકલ્પ કરવા ઈચ્છો નહીં. હું ધારું છું કે આ કથન પ્રમાણે વર્તન ધારતાં તમે ખચકાશે પણ તમે ગમે તેટલાં દુખ પડે પણ હું તે પ્રમાણે વર્તીશ એવા દઢ વિશ્વાસથી, પ્રવૃત્તિ કરશે તો પ્રથમ પ્રયાસમાં વિઘે પણ જણાશે, પણ અંતે
જ્યારે આ માર્ગને કદી મૂકવાના નથી એ દઢ વિશ્વાસ જણાયાથી તમારે આત્મા પ્રભુરૂપ છે, તે પોતાના સામઠેથી સાધ્ય કરશે, શાંતિ ફેલાવશે અને તમારા આભાજ શાક્તમાન થઈ સર્વ વાંછિતને સિદ્ધ કરશે. મોટા મોટા મહાત્માએને પણ આ માર્ગમાં પ્રવર્તતાં દુઃખ પડયાં છે પણ તે અશાંતિનાં વાદળ અંતે દૂર થયાં છે અને તેમના આત્માએ સદાકાળની શાંતિ વરી છે, માટે તમારા ઉપર પૂર્ણ વૈરભાવ રાખતો હેય તેનું પણ બુરું ઇચ્છશે નહીં, તેનાથી સાવચેતીથી ચાલવું એ તો નીતિને માર્ગ છે, સર્વનું હિત ઈચ્છ, સર્વ સુખી થાઓ, એજ ભાવના અંતઃકરણમાં છુરાવ્યા કરશે. પ્રાણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ માત્ર ઉપર પ્રેમ કરવાથી અને તેમનું યથાશકિત હિત કરવાથી તેમને સદુપદેશદ્વારા સમ્યગમાર્ગ ચડાવવાથી તેમનું જેટલું હિત આપણે કરવા તત્પર થઈએ છીએ, તેના કરતાં તેમ કરવાથી અનંતગણું આપણું હિત ક૯યાણ કરીએ છીએ, તે લક્ષ્યમાં રાખજો. કારણ કે જે પ્રમાણમાં તમે અન્ય પ્રાણીઓનું હિત કરવા ઇચ્છે છે. તેના કરતાં વિશેષ પ્રમાણમાં નિર્મળ તમારો આત્મા પરમાત્મા રૂપ થયે હોય તે જ તમારી તેવા પ્રકારની પ્રવૃત્તિ થાય. તે વિના થઈ શકે નહીં તે ધ્યાનમાં રાખજો. તેથી સર્વ પ્રાણી માત્ર ઉપર પ્રેમ, દયા, કરૂણુ, સદુપદેશ કરવાથી પિતે પિતાનો જ મહા સ્વાર્થ સાધીએ છીએ. આમાનું જ ઉત્કૃષ્ટપદ આપણે મેળવવા સન્મુખ થયા છીએ, એમ તમને જરૂર જણાશે. આ વચનને અનુભવી જેશે, એટલે ખાતરી થશે. આત્મ ધર્મના સ્વભાવથી વિરૂદ્ધ સ્વભાવને અનુસરવાથી આપણે આત્મ ધર્મથી વધારે દૂર થઈ જઈએ છીએ. આમ હોવાથી પ્રાણી માત્ર ઉપર પ્રેમ કરે અને તેમનું યથાશક્તિ પ્રતિદિન હિત સાધવા પ્રયત્ન કરો. એજ પિતાને મહાવાર્થ છે અને એજ પરમકલયાણને માર્ગ છે. બાળક યુવાન અને વૃદ્ધ, જેગી, ભેગી, સંન્યાસી, સ્ત્રી પુરૂષ, રંક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા રાજા, ધનવાન વા નિર્ધન, પંડિત અગર મૂર્ખ, મિત્ર વા શ, સગું વા અસગું, ગુણ વા અવગુણ સર્વના ઉપર પ્રેમની અખંડધારા ચલાવો અથોત તેઓનું સારું ઈચ્છે, તેઓ પતિ અનિષ્ટ સંકલ્પ લેશ માત્ર પણ કરશે નહીં. વળી સંગ્રહનયની સત્તાએ જતાં સિદ્ધના અને સંસારીજીવે છે પણ સરખા છે. માટે શકિતભાવે રહેલો આત્મધર્મ, વ્યકિતભાવે કરવો હોય તે સમભાવથી આત્મભાવથી તમારું વર્તન શુદ્ધ રાખે. સર્વ પ્રાણીઓ ઉપર આપણે સમભાવ રાખીએ છીએ, ત્યારે સર્વ આપણને પોતાના આત્મારૂપ ગણે છે, અને ભાતૃભાવથી સર્વની આપણું પ્રતિની વૈરબુદ્ધિ છૂટી જાય છે. દેવ અને રાક્ષસ પણ આપણને સાહાય કરે છે, અને પિતાના આત્મા સમાન લેખે છે.
સર્વ પ્રાણીઓના હિતમાં પ્રીતિવાળા થવાથી જે જે અગણ્ય લાભ સંપ્રાપ્ત થાય છે, તે જે મનુષ્યો યથાર્થ અને વધતા હોય, અને અનેક પ્રાણુઓ પર વિષ તથા તેમને દુઃખ આપવાથી કેવાં કેવાં દુખની પ્રાપ્તિ થાય છે તે તેમની સમજણમાં સ્પષ્ટ જણાતું હોય તે જગતમાંથી હિંસા અસત્ય, ચેરી, જારી, વિશ્વાસઘાત, નિંદા, કલંક, દગા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફટકા, પ્રપંચ, છળ, અન્યાય, વગેરે દુર્ગુણોનો સરવર નાશ થઈ જાય, અને આ મૃત્યુલોક સ્વર્ગસમાન થાય.
અધ્યાત્મબળને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓને પુનઃ પુનઃ ભલામણ કરવામાં આવે છે કે તમે સર્વ પ્રાણી ઉપર પ્રેમ, દયાને, ભાતૃભાવ રાખો, જ્યાં સુધી આ ત્રણ ગુ
ને તમોએ અમલમાં મૂક્યા નથી ત્યાં સુધી તમે અધ્યાત્મબળની પ્રથમ ભૂમિકાના અધિકારી થયા નથી, પ્રાણિ માત્રમાં પ્રેમ દયા ને ભાતૃભાવ નહિ સાધે, ત્યાં સુધી અધ્યાત્મવિદ્યાને એકડો કાઢતાં પણ તમને નથી - વડા, એ નક્કી અવધારજે. આ ત્રણ વસ્તુઓ સાધવી ગણી સરળ છે. આવા વિશુદ્ધપ્રેમ, દયા ને ભાતૃભાવથી ત્રણ ભુવન પણ આધીન થાય છે. જ્યાં જાય ત્યાં તેના પ્રતિ સર્વ સાનુકૂળપણે વર્તે છે. સિંહ પ્રમુખ હિંસક પશુઓ પણ મહાગી પુરૂષોના નિવાસપ્રદેશમાં પિતાને હિંસક સ્વભાવ છેડી દે છે, એ લેખ શાસ્ત્રમાં છે, અને તે ગી મહાત્માઓને જોતાં માલુમ પડે છે. મન, વચન, અને કાયા એ ત્રિગથી ભૂત માત્રનું હિત ઇચ્છનાર પ્રતિ અને કેઈનું પણુ અહિત ન સાધનાર પ્રતિ પ્રાણી માત્રની વૈર બુદ્ધિ છૂટી જાય છે. નિર્દોષ શુદ્ધપ્રેમથી વર્તન કરે. એવું જ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧.
વર્તન અધ્યાત્મબળની પુષ્ટિપ્રદ છે. તમે પ્રેમથી સતત શુદ્ધાચરણનું અવલંબન કરે. શુદ્ધ વિચારને અખંડપણે હૃદયમાં જાગ્રત રાખે. પ્રાણી માત્ર ઉપર વિશુદ્ધ પ્રેમ તેમ પોતાના શરીરમાં રહેલા જ્ઞાનદર્શનચારિત્રના ધારક આ મા પ્રભુ ઉપર શુદ્ધ પ્રેમ રાખવાને અભ્યાસ કરશે તે એક પણ દોષ થવાનો સંભવ આવશે નહિ.–
આત્મપ્રેમી, અસત્ય બેલી કાઈને ઠગ નથી. વળી આત્મપ્રભુને પ્રેમ અન્યથી અપરાધ થતાં છતાં પણ તેના ઉપર ક્રોધ કરતો નથી તેમ ઉશ્કેરાતો નથી. આત્માનો પ્રેમી અન્યના દોષ દેખતાં તેઓની નિંદા કરવા જરા માત્ર હેઠ હલાવતો નથી. તેમ નિંદાના એક નાના વિચારને પણ હૃદયમાં પ્રવેશવા સ્થાન આપતા નથી. જો તમારે આત્મપ્રેમી બનવું હોય તો નિદાનો ત્યાગ કરે. ત્યાગ કરે. નિકા એ મહાપાપ છે. જ્યાં સુધી ગુણીની વા નિર્ગુણીની, સાધુ સંતની, શત્રુની, મૂર્ખની પંડિતની નિંદા કરવા તમારી જીભ લબકારા મારે છે અને, જીભમાં ચળ આવે છે, ત્યાં સુધી તમે આત્માના પ્રેમી બનવાના અધિકારી થયા જ નથી અને ત્યાં સુધી તમે એક દારૂડીયાના જેવા છે. સ્વમમાં પણ અદેખાઈથી કોઈની નિંદા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન થાય તેટલા સુધી તમારે આગળ વધવાનું છે. નિંદા એ વિકાના સમાન છે. પ્રભુના પ્રેમી સંત પુરૂષો પાપીની પણ નિંદા કરે નહિ. આ વાત લક્ષ્યમાં રાખજે. સુણી સુણુને કુટયા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન, આત્મપ્રેમીએ કેની નિંદા ન કરવી, ન કરવી. એમ તમે લાવાર વાંચ્યું. વાંચતાં વાંચતાં તમારાં વીશ, પચ્ચી, ત્રીસ, ચાલીશ વર્ષ ચાલ્યાં ગયાં, અને નિંદા કરવી નહીં, કરવી નહીં. એમ સાંભળતાં સાંભળતાં તમારી ઉમ્મર પૂરી થવા આવી પણ હજી ર્નિદારૂપ અગ્નિની વાલા હદયમાં એવીને એવી બળતી રહી છે, તેના સામું જુઓ ! ! સામું જુઓ! જે તમને નિંદા કરવી નહીં એવી અંતઃકરણથી નિશ્ચયતા થતી હોય તો આજથી નિંદા કરવાનું ત્યાગ કરો, ત્યાગ કરે. કોઈની પણ નિંદા કરવાનો મનમાં વિચાર આવે કે તુરત તેને દાબી દો, અને તેના પ્રતિ કલયાણને વિચાર ચલાવો. આ વાત વારંવાર યાદ રાખી, નિંદાના શબ્દો મુખમાંથી કાઢશે નહીં. સારા અગર ખેટા શબ્દ સારા અને ખાટા ફળને આપે છે. શું તમે અન્ય દેવીઓની નિંદા કરવાથી દોષરહિત કદી થવાના છે ? ના, પણ ઉલટા દેશના સ્થાનરૂપ બનો છો. અન્યના દોષ જેવાથી તમારામાં દોષની
આપે છે. અગર પર રાજ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ભાવનાના સંસ્કારા ઉત્પન્ન થાય છે. જેમ સૂકર પેાતાનું મુખ કાદવ, વિષ્ઠામાં રાખે છે, અને ચિત્ ઉંચુ જુએ છે. તેમ દુનિયામાં અનેક અજ્ઞાન મનુષ્યને અન્યાના દેછે! દેખવાની તથા અન્યનાં ખેાતરાં કાઢવાની કુટેવ પડી ગઇ હોય છે. તેવા મનુષ્યા નિર'તર કાળી બાજુને જ જુએ છે, પણ ઉજળી બાજુ એટલે ગુણેને કદી દેખતા નથી. પરંતુ આમ કરવાથી તેમને પેાતાને જ હાનિ થાય છે. દા અને ખેાતરણું એજ તેમના ચિંતનને વિષય થઈ પડતાં ધ્યાનને વિષય થઇ પડતાં મનુષ્ય જેનું ધ્યાન-ચિ'તન કરે છે તેવેજ તે થાય છે. એ નિયમાનુસારે પૂર્વોક્ત દેજે તેનામાં જ કેટલાક વખત પછી પ્રગટ થાય છે. ગમે તેવા સદ્ગુણી મનુષ્ય હોય તે! પણ તે અન્યના ઢાષાને દેખે છે. અને નિદ્રામાં તત્પર થાય છે. તે! તેના સદ્ગુણા એક પછી એક એમ સર્વ નષ્ટ થઈ જાય છે. તેથી ઉલટું ગમે તેવે દેવાન મનુષ્ય હાય અને અને ખીજાના ગુણો તરફ દ્રષ્ટિ દે છે, અને કદી કાષ્ટની નિંદા કરતા નથી અને પરમાં પરમાણુ જેવડે ગુણ હોય તે પણ પતના સમાન લેખી તેની સ્તુતિ કરે છે. તેા તેવા પુરૂષ સદ્ગુણી અને છે. માટે દોષ દેખી તમે કાઇની જરા પણ નિંદાને ત્રિયેાગથી કરશે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
નહીં. અને એ પ્રમાણે નિદ્યાના સર્વથા ત્યાગ કરવાથી તમે! અધ્યાત્મજ્ઞાનના અધિકારી થશે, અને તમે સુખેથી આત્મસન્મુખગમન કરશે.
ધનવડેજ ખીજાએનું હિત થાય છે એમ તમે કદી મારો નિહ. ધનથી ધણા પ્રસંગે અન્યનું હિત સાધવાને બદલે અહિત સાધવાના સ`ભવ રહે છે. તેથી અન્યનાં દુ: ટાળવા તમારી પાસે પુરતું ધન ન હેાય અથવા હાય પણ તે બચવા દાનાંતરાયને લીધે તમારા વ ચાલતા ન હેાય તે ચિંતા કરશે. નહિ. વિચારરૂપ મહાધન તમને તમારી જીંદગીમાં પ્રાપ્ત છે. તે રાત્રી દીવસ વાપરીએ તે પણ ખૂટે એવું નથી. વળી તે વિચારરૂપધન જ્યારે વાપરવાની કળા હસ્તગત થાય છે ત્યારે તે વિચારધન એટલું બધું સામર્થ્ય વાળું જણાય છે કે આ લૈાકિકધન જે સેાનું રૂપું હીરા રત્નરૂપ ધનનું બળ તેના આગળ તુચ્છ જણાય છે. જ્યારે લાફિકધન ક્ષણિકહિતને સાધે છે. ત્યારે તમારામાં રહેલું વિચારપત્રન તેનું દાન ચિરવખતના હિતને સાથે છે. માટે તમારી પાસે લાકિકધન ન છતાં પણ પ્રાણીમાત્રના હિતના સંકલ્પા જે તમે પ્રગટાવશા તે તમે અન્યાના પરમ ઉપકારી બનશેા. સુખના ઉપાય તમારી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટપ
પાસે છે, તમારા હૃદયમાં છે, સુખને ઉપાય હન્તરો કે લાખા ગાઉ દૂર નથી, સ્વર્ગ'માં કે પાતાળમાં નથી. સાધ વલાકમાં કે ર્સ્થા સિદ્ધિવિમાનમાં નથી. હિમાલય :વતની ગુહામાં કે દંડકારણ્યની ઝાડીમાં સુખના ઉપાય નથી. શામાટે અરહાપરા અથાઓ છે. શામાટે વિચારનાં કાકડાં ગુંથે છે અને શામાટે તમે દુ:ખી થાઓ છે ?? શા માટે જીવન નિષ્ફળ વ્યતીત કરે છે? અસંખ્યપ્રદેશી જે આત્મા છે તે શરીર કે જે આ પ્રત્યક્ષ દેખાય છે તેમાં પગથી તે મસ્તક સુધી વ્યાપીને રહ્યા છે, તે આત્માના એકેક હેશે અનંત સુખ અનાદિઅનંતમે ભાગે રહ્યું છે તેના પ્રતિ ષ્ટિ દે! તે આત્માનું ધ્યાન કરે, તે આત્માની પ્રાપ્તિ માટે શુદ્ધ વ્યવહારનાં આચરણ સેવે. આત્માને અનુભવ કરે. કૈવલ્યજ્ઞાન સખા અનુભવ તમને પરમાત્માનાં દર્શન કરાવશે. નિશ્ચય કરાવશે. વળી તમને અનુભવ મિત્ર, પરમાનંદની વાનગી ચખાડશે માટે આ માના શુદ્ધ વિચારરૂપ ધર્મધ્યાન શુકલધ્યાનને સેવે. ખાત્રીથી સમન્ત્ર કે તમે અનંત સુખના મહેાદધિ થઇ રહેશે.
તમને શુદ્ધ વિચાર કે જે ધર્મધ્યાન અને શુકલધ્યાન રૂપ છે. તે સેવવા કહીન લાગે છે? અને શુદ્દાચરણ આચરવું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુષ્કર લાગે છે ? શા માટે ફેકટ બીઓ છે? જે સરલ માર્ગ છે તેને બ્રાંતિથી કઠિન શા માટે સમજે છે ? આત્મારૂપ સિંહ બનીને અષ્ટકમ્મરૂપ સલાથી બીતાં તમને શરમ નથી આવતી ? લજા પામે. કેમ છેક નિર્બલ મનના બની જાઓ છે. સ્થિર થાઓ ! ! બૈર્ય અવલંબે!! પિતાનું શુદ્ધ સ્વરૂપ વિચારો. પિતાના આત્મસ્વરૂપના વિચાર તરફ વળવું એ તે સ્વાભાવિક સરલ માર્ગ છે. આત્માના વિના પરભાવ સંબંધી અશુદ્ધવિચાર કરવા એ તે અસ્વાભાવિક છે. જેમ અગ્નિમાં ઉષ્ણતાને સ્વાભાવિક ગુણ છે. જળમાં શીતતાનો સ્વાભાવિક ગુણ છે. તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર વીર્યમય પિતાના આત્માના સ્વરૂપનું ધ્યાન કરવું. પિતાના આત્માના અસંખ્યાત પ્રદેશમાં સ્થિર દૃષ્ટિથી લયલીન થવું તે તમારે સ્વાભાવિક શુદ્ધ ધર્મ છે. તેના સંબંધી જે ચિંતવન, મનન, તે સર્વ શુદ્ધ વિચારોથી તમે આત્માની જે અનંતિઋદ્ધિ જે સામર્થ્ય તિરે ભાવે હતી તેને છતિ ભાવે કરે છે, અને એ શુદ્ધવિચાર સ્વરૂપ આત્મધ્યાનથી અનંત કર્મની વર્ગણાઓ તમારાથી દૂર થાય છે, અને તમારી રૂદ્ધિ જે સ્વભાવિક છે, તે પ્રગટ થાય છે.
અધ્યાત્મસારમાં તે ધ્યાનની ઉત્તમતા વિષે કહ્યું છે કે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ો – यत्र गच्छति परं परिपाक, पाकशासनपदं
। तृणकल्पम्; स्वप्रकाशसुख बोधमयं, तध्यानमेष भवनाशि
આત્માના સ્વરૂપના શુદ્ધ વિચારરૂપ ઉત્કૃષ્ટ ધ્યાન પરિપકવતાને પામે છે તે મુનિમહારાજ યોગી ઈદ્રની પદવીને પણ તણું સમાન ગણે છે. માટે ભવ્યજીએ પોતાના આત્મધર્મને પ્રકાશ કરે એવું આત્મજ્ઞાનમય જે ધ્યાન કે જે ભવને નાશ કરે છે તેનું સેવન કરવું. વળી ધ્યાનની ઉત્તમતા જણાવતા છતાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે,
કોલ– यत्र नार्कविधुतारकदीपज्योतिषां प्रसरतामवकाश; ध्यानभिन्नतमसामुदितात्मज्योतिषां तदपि भाति
જે ધ્યાનના પ્રકાશની આગળ–સુર્ય-ચંદ્રમા અને તારકાનું તેજ અને દીવાના તેજનો પ્રકાશ પણ અલ્પ છે, એવું જે આત્મિક શુદ્ધ ધ્યાન કે જેનાથી અજ્ઞાનરૂપ અંધકાર ભેદાય છે, એવી ધ્યાનરૂપ જ્યોતિ જેને પ્રગટ થઈ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એવો શરીરને વિષે રહેલો વ્યાનીનો આત્મા, શોભી રહ્યા છે. વળી ધ્યાનની વિચિત્ર દશા બતાવે છે.
या निशा सकलभतगणानां ध्यानिनो दिन
महोत्सव स एषः यत्र जाग्रति च तेऽभिनिविष्ठा ध्यानिनो भवति
તા સુપુતિઃ - ૨ - સકલ પ્રાણુ સમૂહને જે રાત્રી છે, તેજ ધ્યાનીઓને દિવસનો મહોત્સવ છે, અને સંસારી જીવો જે વેળાએ પરભાવ પરિણતિમાં જાગે છે, તે જ વેળાએ પરભાવ પરિણ તિમાં ધ્યાની મુનિરાજો ઉઘે છે. કામાતુર પ્રાણી વિષયની પ્રાપ્તિ અર્થે અશુદ્ધ વિચાર સેવતો જ્યારે કદર્થના પામી ખિન્ન થાય છે. ત્યારે આત્મધ્યાની પરમાત્મદર્શનની ઈચ્છા વાળે થયો હતો આત્મધ્યાનમાં વૃદ્ધિ માનીને તેમાં જ સુખી થયો છતો રાગ દ્વેષના વિચારોનું સેવન કરતો નથી. આત્મસ્વરૂપનું ધ્યાન કરનાર, કર્મથી બંધાતું નથી. આત્મધ્યાની મુનીને ઇંદ્ર, ચંદ્ર, નાગેંદ્ર અને રાજાની શ્રેણિ, નમસ્કાર કરે તે પણ આત્મધ્યાની તેથી ખુશી થતો નથી, અને કઈ તેને તિરસ્કાર કરે છે તે પણ તેથી તે નાખુશ થતો નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
કઈ કહે છે કે ચંદ્રમાં અમૃત રહ્યું છે, કોઈ નાગ લેકમાં અમૃત રહ્યું છે એમ કહે છે, કોઈ દુધમાં અમૃત રહ્યું છે એમ માને છે, પણ આત્મજ્ઞાની પુરૂષ કહે છે કે તે સ્થાને અમૃત નથી-ખરૂ અમૃત કે જેની પ્રાપ્તિથી જન્મ જરા અને મરણના રોગ ટળે એવું અમૃતતા આત્મધ્યાનમાં રહ્યું છે, એમ નકકી સમજજે. અનંતતીર્થંકર મહારાજાએ આ પ્રમાણે કથે છે, અને તેઓએ શુકલધ્યાન ધ્યાયીને અમૃત પ્રાપ્ત કર્યું છે, અને તેથી આપણે પણ પ્રભુના માર્ગે ચાલી ધ્યાન દ્વારા આત્મામાં રહેલું અમૃતત્વ પ્રાપ્ત કરવું જોઈએ.
હે પ્રિય સુખસાધકે ! તમો એ પ્રમાણે આત્માને પરમાત્મા લેખી તેના ધ્યાનમાં નિમગ્ન થશે એટલે તમને અધ્યાત્મસુખની ખુમારી અનુભવાશે, કસ્તુરીની સમીપમાં જતાં તેની ગંધ પ્રાપ્ત થાય છે, લસણની સમીપમાં જતાં તેની ગંધ પ્રાપ્ત થાય છે, ચંપાની સમીપમાં જતાં તેની ગંધ પ્રાપ્ત થાય છે, તમે જે વસ્તુની સમીપમાં જશે. તે વસ્તુમાં જેવા ગુણ હશે તેવા તમને સંપ્રાપ્ત થશે. જો તમે રાગદેશની સમીપમાં જશો તો તેનું ફળ પ્રાપ્ત કરશો. શુદ્ધ વિચારની સમીપમાં એટલે શુદ્ધ વિચારને સેવન કરશો તે તેનું ફળ સંપ્રાપ્ત કરશે. તમે અનંત ચેતન્યશક્તિધારક આ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
ભાની સન્મુખ જશે, અર્થાત્, તન્મયપણે આત્મધ્યાનમાં પ્રવશે. તે પરમાત્મસ્વરૂપ બની અનંતસુખના ભેક્તા બનશે, કારણ કે, તમારામાં પરમાત્મસ્વરૂપ બનવાની શક્તિ રહી છે, અને તમારામાંજ પરમાત્મસ્વરૂપ બનવાને સ્વભાવ રહ્યા છે-અને તમનેજ પરમાત્મસ્વરૂપ બનવાનું નિશ્ચયસતિ પ્રાપ્ત થાય છે, અને તમેજ પરમાત્મપદનું આ સન્નકારણીભૂત એવું ચેાગ્ય કર્મી સંપ્રાપ્ત કરી શકેા છે. અને તમેજ આત્મા પરમાત્મસ્વરૂપ અનેલાના યાગ ધર્મ ધ્યાન શુકલધ્યાન રૂપ ક્રિયા, પ્રયત્ન, ઉદ્યમ કરી શકે! છે, માટે હવે સુજ્ઞા !! સવાલાખ ટકાની ક્ષણ જાય છે, એક ધડી જેનું મૂલ્ય થાય નહીં, એવી એક ઘડી પણ મનુષ્યાવતારની દુર્લોભ છે, માટે તે લેખે લગાડે!! ક્યાં બાહિરમાં તમે સુખની ભ્રાન્તિથી ભમેા છે ? નક્કી જાણે કે સત્યસુખ જડ ખાદ્યપદાર્થોમાં નથી. અનેક જીવે. ભ્રાન્તિથી બાહ્ય વસ્તુમાં સુખની આશાએ ભૂલ્યા, ભવમાં ઝૂલ્યા, અને માનુષ્યભવ હાર્યાં, જેમ ઝાંઝવાના દેખાતા જીથી તા ભાગતી નથી, ખારા જળથી જેમ તૃષા ભાગતી નથી તેમ બાવસ્તુએ કે જે સ્ત્રી પુત્ર ધન ધર હાટ હવેલાં ગાડીવાડી લાડી તાડી વિગેરે છે તેમાં સુખની આશાથી જીવ પ્રયત્ન કરે છે, પણ અંતે જ્યારે તે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુઓથી સુખ થતું નથી, અને તે વસ્તુઓ પિતાની સાથે પરભવમાં આવતી નથી એમ જાણે છે ત્યારે પિતાની ભૂલ સમજે છે. પ્રિયસાધકે ! સાંસારિક પદાર્થોને અનુભવ કરતાં હવે તમને ખરી ખાતરી થઈ હશે કે બાહ્ય વસ્તુઓમાં સુખ નથી. સુખ તો આત્મામાં છે. માટે હવે તમે સુખ, આત્મામાં શે. ધ્યાનધારા આત્મામાં સુખ શોધતાં તમને સત્ય સુખ સંપ્રાપ્ત થશે. આ વચન ધ્રુવના તારાની પેઠે હદયમાં સ્થિર કરજો અને આત્માની સન્મુખ વળજે, પ્રિયભાઈ!! તમને આત્માના સ્વરૂપની વાટે વળતાં અને આત્મધ્યાનના રસ્તામાં ચાલતાં મિત્રોની મુલાકાત થશે. શું મિત્રાની; હા મિત્રોની મુલાકાત, ત્યારે તે મિત્રોનાં નામ શો છે ! સાંભળો. ક્રોધ, માન, માયા, અને લોભ, એ ચારની ચેકડી કહેવાય છે, તે તમારી પાસે આવી તમને રસ્તામાંથી પાછા વાળશે. પણ તમે તેને ખરા મિત્રો ધારશો નહી હો !!! એ ચાર, ચંડાળ ચેકડી જેવા મિત્રો છે-એ ચારમિત્રોએ તમને આડા માર્ગ વાળી ચારાશી લાખછવાયોનિમાં અનંતિવાર પરિભ્રમણ કરાવ્યું છે. હજી એ ચંડાળ ચોકડી તમને છેતરી આડામાર્ગ લેઈ જશે. માટે વારંવાર કહેવામાં આવે છે કે એ ચાર કપાયરૂપ ચંડાળાકડીના સામું પણ જોશે નહિ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમને તો દેટ ગાઉથી નમસ્કાર કરજે. તમને અનાદિકાકાળથી એ ચાર ચંડાળાકડી સાથે મિત્રાચારી છે, તેથી તમે લલચાશો નહીં એ તમારા મિત્ર નથી પણ તે તમારા શત્રુ છે, માટે આ હિતવચન એક ક્ષણવાર પણ ભૂલશો નહીં. રાગદ્વેષ રૂ૫ બે મહારાજાના યોદ્ધા આત્મમાર્ગપ્રતિ ગમન કરતાં વચમાં અટકાવવા આવશે પણ તમે આત્મસ્વરૂપમાં જ ઉપયોગ રાખશે. સ્થિર દૃષ્ટિથી તમારા આત્માના અસંખપ્રદેશ તરફ દષ્ટ લગાવીને ચાલ્યા કરશે, એટલે તે પિતાની મેળે પાછા વળશે. ભાઈ!! આત્માના અપૂર્વ માર્ગમાં તમે કદી પ્રવેશ કર્યો નથી, તેથી તમને પ્રથમતો ઉદાસી તથા અણગમા થાય એ સ્વાભાવિક છે. પણ તમે ધૈર્ય તથા સાહસ ધારણ કરી આગળ ચાલજે ! ! રસ્તામાં જતાં શાંત પ્રદેશની વિવેક ટેકરી ઉપર બેઠેલો અનુભવ મિત્ર તમને દેખાશે. એ અનુભવમિત્ર તમને ભેટી આત્માના સન્મુખ લઈ જશે, એ અનુભવમિત્રનું સામર્થ્ય સર્વ કરતાં અલૈકિક છે, અનુભવમિત્ર જેને મળ્યો તેનું તે કલ્યાણ થઈ ગયું. તેનું દારિદ્રવ્ય દૂર થઈ ગયું સમજવું. તે પરમાત્માસ્વરૂપ થઈ ગયો સમજ, આત્મસ્વરૂપની સન્મુખ ગમન કરતા એવા મહા યોગીંદ્ર પુરૂષને અનુભવમિત્રની
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થાય છે, તે અનુભવમિત્રનું સામર્થ્ય શ્રી આનંદઘનજી મહારાજ વર્ણન કરતા હતા કહે છે કે
स्तवन. वीरजिनेश्वर परमेश्वर जयो; जगजोवन जिनभपा, अनुभवमित्ते चित्ते हितकरी, दाख्या जास सरुप.
वारजिनेश्वर० (१) जेह अगोचर माणस वचनने, जेह अतीन्द्रियरूप; अनुभवमित्ते विगते शक्तिशु, भाख्यो तास स्वरूप.
वीरजिनेश्वर० (२) नयनिक्षेपे जेह न जाणीए, नवि जिहां प्रसरे प्रमाण; शुद्धस्वरूपे ब्रह्म ते दाखवे, केवल अनुभवभाण.
__वीरनिनेश्वर० (३) अलख अगोचर अनुपम अर्थनो, कुण कही जाणेरे भेद; सहज विशुद्धशु अनुभववयणजे,शाख ते सघळांरेखेद,
वीरजिनेश्वर० (४) दीसी देखाडी शास्त्र सर्व रहे, न लहे अगोचर वात; कारज साधक बाधक रहितए, अनुभव मित्तविख्यात.
वीरजिनेश्वर० (4) अहोचतुराइ अनुभवमित्तनी, अहो तस मित्तप्रतीत;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
अंतरजामी स्वामी समीप ते, राखी मित्तशुं रोत, वीरजिनेश्वर० (६)
अनुभवसंगे रंगे प्रभु मोल्या, सफल फल्यां सवी काज; निजपद संपद जे ते अनुभवे, आनंदघन महाराज, વૌત્તિનેશ્વર૦ (૭)
ભાવાર્થ—પ્રથમ સાલઅન ધ્યાને શ્રી વીરપ્રભુને ઉર્દૂશીને પ્રથમ પક્ષે સ્તવના કરે છે. રાગ દ્વેષરહિત તમે હે પ્રભુ ! ! જગજીવન છે. તમારૂ સ્વરૂપ હે પ્રભુ મને અનુભવ મિત્રે હિત આણી કહ્યું છે, તે સ્વરૂપ જુદાજ પ્રકારનું છે, બીજા પક્ષમાં રાગદ્વેષને જીતનાર હું વીર મહાયાધ હૈ આત્મા !! તું મોટામાં મેટા ઇશ્વર છે; જ્ઞાનદર્શનચારિત્રરૂપ લક્ષ્મી તારામાં છે. માટે તું પરમેશ્વર છે. રાગદ્વેષને જીતવા નું મહાવીર છે. એવું તારૂ અલખસ્વરૂપ મને અનુભવમંત્રે ! હિતથી કહ્યું તે બતાવું છું.
શ્રી વીરપ્રભુ પરમેશ્વર જયવંતા વ! હે પ્રભુ! તમે જગતના જીવન છે..
જે માણસના વચનને અગેાચર એટલે વચનથી પણ જેનું સ્વરૂપ વન પૂર્ણપણે કથી શકાતું નથી, એવું જેનું સ્વરૂપ છે, અને જે સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી શકાય નહીં, રસ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
નેંદ્રિયથી જેનો આનંદરસ ગ્રહણ કરી શકાય નહીં, કારણકે રસોંદિય, રૂપી પદાર્થમાં રહેલા પાંચ પ્રકારના રસને જાણી શકે છે, અને આત્માને અરૂપી છે. માટે તે આત્મામાં રહેલા અનંત આનંદરૂપ રસને જીભ ગ્રહણ કરી શકતી નથી. ધ્રાણેદિયથી જેનું સ્વરૂપ ગ્રહણ કરી શકાતું નથી. ચક્ષુકિયથી જેનું સ્વરૂપ દેખી શકાતું નથી. ચક્ષુથકી તે રૂપી પદાર્થ અને તેમાં રહેલા, નીલ, પીત, વેત, કૃષ્ણ, રક્ત દેખી શકાય છે અને આત્મા રૂપી નથી. રૂપરહિત છે. કાલે, નીલે, પીત, શ્વેત, રાતો નથી. પુગલના સ્વરૂપથી ન્યારે છે. તે આંખથી દેખી શકાય નહીં. વળી કાનથી પણ જે સાંભળી શકાય નહીં. કારણકે તેંદ્રિયને વિષય શબ્દગ્રહણ કરવાનો છે. શબ્દ છે તે પુદ્ગલ પરમાણુઓનો બનેલો સ્કંધરૂપ પર્યાય છે. તે શબ્દ ત્રણ પ્રકારને છે, સચિત્તશ, અચિતશબ્દ, સચિત્ત અચિત્તમિશ્રશબ્દ, એ શબ્દના બીજા પણ ભેદે થાય છે. તે રૂપી શબ્દને શ્રવણેકિય ગ્રહણ કરે છે, અને આત્મા તે પુગલદ્રવ્યથી ન્યારો છે, તેથી કાનથી પણ આત્મા ગ્રાહ્ય થઈ શકે નહીં. અને ઇન્દ્રિયથી પણ જે ગ્રાહ્ય થાય નહીં એવા અતીંદિયઆત્માને કોણ દેખાડી શકે ?? કોની મદદથી તે દેખાય? ત્યારે આનંદઘનજી મહારાજ કહે છે કે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
અનુભવમિત્તે વિગતે શક્તિથ્યું ભાંખ્યા તાસસ્વરૂપ, મતિજ્ઞાન, અને સભ્યશ્રુતજ્ઞાન તે થકી અખંડ ઉપયાગપણે કરેલું જે આત્મધ્યાન તે થકી થયેલા જે આત્માને નિશ્ચય નિર્ધાર-પ્રતીત તેને અનુભવજ્ઞાન કહે છે. તે અનુભવજ્ઞાનરૂપ મિત્ર પરમાત્માની વાટે વળતાં વચ્ચે વક્ત મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના ઉપયોગથી ધ્યાન કરતાં રસ્તામાં મળ્યું. તેણે વિગતે કરી એટલે હેતુ લક્ષણ પ્રમાણ ગુણપર્યાયથી જેવું જેવું આત્મસ્વરૂપ હતું તેવું ભાખ્યું અને તેથી હું પાત્તેજ પરમાત્મા છું, મારી અંદર અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતદર્શન, અનંતચારિત્ર અનંતવીય ગુણ, આદિઅનંત ગુણભર્યાં છે. એવા મને તે અનુભવમત્રે નિશ્ચય કરાવ્યો. તે નિશ્ચય સામાન્ય નહીં પણ ચેાલમના રંગ જેવે કરાવ્યા, સાક્ષાત્ પરમાત્મારૂપ મારા આત્માને મેં જાણ્યા, એળખ્યા, અહા કેટલો આનંદ, મારાં સર્વ કાર્ય ફળ્યાં, અહે। અનુભવ મિત્ર!! તે' તે અપૃ મિત્રતાને હક્ક બજાવ્યો. તે સર્વથી અલૈકિક છે, કેમકે જેના ધર્માંમાં નયને! પણ પ્રવેશ નથી, એટલે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજૂત્ર, શબ્દ, સભિત અને એવંભૂત એ સાતનયથી દરેક વસ્તુનું યથા પક્ષપાત રહિત સ્વરૂપ સમજી શકાય છે. તેમ એ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતથી આત્માનું અનેકાંતપણે સ્વરૂપ સમજવામાં આવે છે પણ અનુભવજ્ઞાનમાં નય પ્રસરી શકતા નથી, તેમ નિક્ષેપ ચાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ પણ દરેક વસ્તુના જ્ઞાનમાં ઉપયોગી છે, પણ તેમાં પ્રસરતા નથી, એટલે પ્રમાણુથી તેના સ્વરૂપને નિર્ધાર થાય છે, પણ તે આત્મધર્મમાં પ્રમાણ પણ પ્રવેશ કરી શકતું નથી, એટલે પ્રમાણુ તે આત્મજ્ઞાન થવામાં પ્રથમ ઉપયોગી છે, પણ અનુભવજ્ઞાનમાં પ્રમાણ પ્રસરતું નથી. પ્રમાણુના ભેદ બે છે, એક પ્રત્યક્ષ પ્રમાણ અને બીજું પરાક્ષ પ્રમાણ. આત્મા, પોતે નિરાવરણ શુદ્ધ ક્ષાવિકભાવે થયેલો જે ઉપગ, તેથકી સર્વ દ્રવ્યને જાણે છે તે પ્રત્યક્ષ પ્રમાણુ જાણવું. જેમ કેવલજ્ઞાની, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિ કાય, પુદ્ગલાસ્તિકાય. જીવ અને કાળ એ છ દ્રવ્યને પ્રત્યક્ષપણે જાણે છે, તથા દેખે છે, તથા અવધિજ્ઞાની પુગલદ્રવ્યને પ્રત્યક્ષ જાણે છે, તથા દર્શનથી દેખે છે, અને મન:પર્યવજ્ઞાની અન્યજીવોની મને વર્ગણને પ્રત્યક્ષ જાણે છે, માટે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બે જ્ઞાન દેશપ્રત્યક્ષ છે, માટે પ્રમાણમાં પણ તે દેશ પ્રત્યક્ષ પ્રમાણુ સમજવાં, અને કેવલનાન સર્વ પ્રત્યક્ષ પ્રમાણ સમજવું.
19
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૯૮
પરેક્ષ પ્રમાણના ત્રણ ભેદ છે. અનુમાન પ્રમાણુ, આ
ગમ પ્રમાણ, અને ઉપમાન પ્રમાણ.
ઇંદ્રિય દ્વારા કાઇ પણ ચિન્હ, નિશાન શ્રૃંખીને - જ્ઞાન થાય તે અનુમાન જાણવું. જેમ ધૂમાડા દેખાને અનુમાન થાય કે અમુક ધરમાં અગ્નિ છે, તથા પેાતે નદીના કાંઠે વસે છે. પેાતાના દેશમાં વર્ષો થઇ નથી, અને એવામાં ધમધોકાર નદીમાં પાણીનું પૂર આવ્યું દેખીને અનુમાન થાય કે અમુક દેશમાં મેધવૃષ્ટિ થઇ છે. જો તે દેશમાં મેધ ષ્ટિ થઇ ના હોય તે નદીમાં પાણીનું પૂર આવે નહીં. પ્રત્યક્ષ આંખથી પાણીનું પૂર દેખાય છે. માટે અવશ્ય તે દેશમાં ભ્રષ્ટ થઇ છે એવું જે જ્ઞાન થાય છે, તે અનુમાન પ્રમાણથી સમજવું. તેમ દરેક શરીરમાં આત્માએ રહેલા છે, તે અનુમાનથી જણાય છે. જેમ યેિથી સુખ દુ:ખની ચેષ્ટા કરનાર આત્મા શરીરમાં છે. જ્યાં સુધી આત્માં શરીરમાં છે ત્યાં સુધી ક્રિયાદારા સુખ દુઃખની ચેષ્ટા થાય છે. મૃતક શરીરમાં પિયાવા શરીર દ્વારા સુખ દુઃખતી ચેષ્ટા થતી નથી. વા મૃતક શરીરમાં પ્રત્યેક ઇંદ્રિયા પોતપેાતાના કામથી રહિત થાય છે, તેથી તેમાં આત્મા નથી. જે શરીરમાં આત્મા છે, ત્યાં ઇંદ્રિયા દ્વારા તથા શરીરારા
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
સુખ દુઃખની ચેષ્ટા થાય છે. માટે પિયા તથા શરીરની સુખ દુઃખાદિ ચેષ્ટાથી શરીરમાં આત્માને સિદ્ધ કર્યાં, માટે તે અનુમાન પ્રમાણ સમજવું. તથા દેવલાક, નરક, નિગેદ વગેરેના વિચારેને સૂત્ર સિદ્ધાંતથી બણીએ છીએ. તે આગમ પ્રમાણ જાણવું. તેમ કાષ્ઠ વસ્તુની ઉપમા આપીને વસ્તુને એળખાવવી તે ઉપમાન પ્રમાણ જાણવું.
એ. વોંકત પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, - ગમ પ્રમાણ, ઉપમા પ્રમાણુ, એ ચાર પ્રમાણુથી આત્માને ાણે એટલે મતિ નાની, અને શ્રુત જ્ઞાની એવા ભવ્ય આત્મા જીવ, પોતે આત્માને લણવાની ઇચ્છાવાળા થયે છતા વિચારે કે હું શી રીતે આત્માને જાણું ? તથા તેને! નિર્ધાર કરૂં ? પ્રથમ એમ વિચાર તે વિચારે કે શરીરમાં ૨હેલા અરૂપી આત્માને કાએ પ્રત્યક્ષપણે દેખ્યા છે? તે કહે હા, દેવળી ભગવંતે પ્રત્યક્ષપણે આત્માને જાણ્યું છે તથા દેખ્યા છે. હાલ મને કૈવલજ્ઞાન નથી. તે પણ કે વળાએ આત્માને પ્રત્યક્ષ ધ્યેા, દી। . માટે આત્માની સિદ્ધિમાં પ્રત્યક્ષપ્રમાણ અને રેક્ષપણે જાણવા તથા શ્રદ્ધા ફરવામાટે કારણીભૂત થયું. તેમ મને અનુમાન પ્રમાણ પણ પરીક્ષપણે આત્માની અસ્તિતા સ્વીકારવામાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા જાણવામાં કારણીભૂત થયું, તેમ સુત્ર સિદ્ધાંતમાં પણ આત્માનું વર્ણન કર્યું છે, આત્મા અરૂપી છે, જ્ઞાની છે, અનંત ગુણુ ધારક છે. એમ પરાક્ષપણે આત્માની અસ્તિતાની સિદ્ધિ કરાવી આપનાર. તથા તેનું જ્ઞાન કરાવનાર મને આગમપ્રમાણ કારણીભૂત થયું. તેમ વળી જેમ આકાશ નિરાકાર છે, તેમ આત્મા પણ નિરાકાર છે. જેમ આકાશ નિર્લેપી છે, તેમ આત્મા પણ નિલે પી વસ્તુત: તેની સત્તાથી જોતાં છે, એમ ઉપમાન પ્રમાણથી પણ પરેશ ક્ષપણે આત્માનું જાણપણું થયું, તેમ શ્રદ્ધા પણ થ, એમ સાધક અવસ્થામાં વર્તાતા જીવને મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનાલખીપણે પૂર્વ કહ્યાં એવાં પ્રમાણે પણ પરેાક્ષપણે આત્મા ને જણાવે છે, તથા તેની અદા કરાવે છે. પ્રત્યક્ષ પ્રમાણ તા હાલના વખતમાં નથી. કેવળજ્ઞાન તથા વળદન પ્રત્યક્ષ પ્રમાણ જાણવાં. અવધિજ્ઞાન અને મન:પર્યાવજ્ઞાન દેશ પ્રત્યક્ષ છે. હાલ તે અનુમાન, આગમ. ઉપમાન, એ ત્રણ પ્રમાણ આ ક્ષેત્રમાં વતા વેને પ્રવત છે. આત્માનું સ્વરૂપ સાક્ષાત જાણવામાં કેવળજ્ઞાન રૂપ પ્રત્યક્ષ પ્રમાણ તે નથી. બાકીનાં ત્રણ પ્રમાણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનાલ બીપણે વર્તે છે. અને તિ અને શ્રુતજ્ઞાન તા પક્ષ પ્રમાણ છે.
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
માટે તેનાથી આત્માનું સ્વરૂપ સાક્ષાત્ અનુભવાતું નથી, પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જન્ય અને કેવળ જ્ઞાનનું હેતુ એવું અનુભવ જ્ઞાન છે, તેથી શુદ્ધ આત્મસ્વરૂપ ભાસે છે, એવું અનુભવજ્ઞાન જાણવું, નૈયાયિકાએ ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન શું છે. પણ તે તે પરાક્ષ જ્ઞાન છે. ઈંદ્રિય જન્ય જ્ઞાનનો મિત્ર જ્ઞાનમાં તથા શ્રુત જ્ઞાનમાં સમાવેશ થાય છે. મતિ અને શ્રુતથી આત્માનું સ્વરૂપ કંઇક જાણી શકાય છે પણ તે પરાક્ષપણે છે. આત્માર્થી જીવને સાધક અવસ્થામાં પણ પ્રત્યક્ષપણે જ જેમ તેમ આત્મજ્ઞાન કરાવનાર તથા નિશ્ચય કરાવનાર વળજ્ઞાનના સરખું અનુભવજ્ઞાન છે. એવે અનુભવ જ્ઞાનના મહા અદ્ભૂત પ્રભાવ છે, તે અનુભવ જ્ઞાન ક્ષણે વળ જ્ઞાનરૂપી સૂ, હૃદયમાં ઉગ્યે હેય એવું ગેાલી રહ્યું છે.
નય તથા નિક્ષેપા પણ આત્માનું પરાક્ષપણે નાન તથા શ્રદ્ધા કરાવી આપનાર છે, માટે તે પ્રત્યક્ષપણે જ જેમ તેમ ભાસન તથા નિધાર કરાવી આપનારી નય, નિક્ષેપા, તથા પ્રમાણ નથી. માટે આનંદઘેનજી મહારાજ કહે છે કે નય, નિક્ષેપા અને પ્રમાણ પણ સાધકવરે આત્મજ્ઞાનમાં તથા તેની શ્રદ્ધામાં પરાક્ષપણે પ્રસરે છે. એટલે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
પ્રકાશ કરે છે, વિકાસ કરે છે, કારણ ભૂત થાય છે, પણ પ્રત્યક્ષપણે જાણવામાં પૂર્વોક્ત એ ત્રણનો પ્રસાર નથી, એટલે કારણભૂત નથી. આત્મસ્વરૂપનું પ્રત્યક્ષ જાણપણું એ ત્રણથી થતું નથી. પણ પ્રત્યક્ષપણે એવા શુદ્ધ સચ્ચિદાનંદમય આત્મ સ્વરૂપને અનુભવ જ્ઞાન જણાવે છે, દેખાડે છે. અહે તેને અપૂર્વ મહિમા શી રીતે વર્ણન કરી શકાય ! ! ખરેખર અનુભવજ્ઞાન તે કેવળ જ્ઞાનને નાના ભાઇ છે.
વળી તે અનુભવ જ્ઞાનનો મહિમા દર્શાવતા છતા કહે છે કે અલખ એટલે જેનું સ્વરૂપ લક્ષ્યમાં આવે નહીં એવું અને ઇન્દ્રિયોથી અગોચર એવું જે આત્મસ્વરૂપ તેના સત્ય રહસ્યને ભેદ કાણુ કહી– ન શકે. અર્થાત્ અનુભવ જ્ઞાનવિના આત્મસ્વરૂપનું યથાર્થ રહસ્ય જાણવા તથા કહેવા કાઈ સમર્થ નથી. સમ્યગ અનુભવ જ્ઞાન વિના ઉપરથી આત્મરવરૂપ જાણવું તથા તેનું કથન કરવું કંઈ હિસાબમાં નથી. સહજ સ્વભાવે વિશેષશુદ્ધ જે અનુભવજ્ઞાન આમા પ્રગટયું, અને એવા શુદ્ધ અનુભવજ્ઞાનથી અનુભવજ્ઞાની, સહજ વિશુદ્ધ આત્મસ્વરૂપને યથાર્થ જાણું તથા કહી શકે છે. માટે તે યથાર્થ શુદ્ધ અનુભવજ્ઞાન પ્રગટવાને વાતે સુત્ર શાનું ભણવું ગણવું છે, તે થકી એટલે શાથકી શુદ્ધ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ અનુભવજ્ઞાન જે ન પ્રગટ થયું તે સઘળાં શાસ્ત્રો ખેદ તુલ્ય સમજવાં. કારણ કે સઘળાં શાસ્ત્રો આત્માનો અનુભવ થવામાં કારણ છે, અને શુદ્ધઅનુભવજ્ઞાન કાર્ય છે, કારણ રૂપ શા વાંચ્યાં પણ આત્માનું શુદ્ધ અનુભવજ્ઞાન રૂપ કાર્ય પ્રગટયું નહીં તે તે ખેદરૂપ જાણવાં. જેમ ગાયને ઘાસ ખવરાવવામાં આવે છે, તે દૂધની આશાએ પણ ઘાસથી દૂધ રૂપ કાર્ય સફળ ન થયું તે ઘાસ ખવરાવવું તે ખેદને પ્રગટાવે છે, તેમ અત્ર સમજવું. માટે અનુભવજ્ઞાન છે, તે ઘત સમાન છે. જેને શુદ્ધ અનુભવજ્ઞાન પ્રગટયું છે. તે સિદ્ધાત્માની પેઠે પ્રત્યક્ષ સુખ ભોગવે છે
વળી અનુભવજ્ઞાનની સ્તુતિ કરતા કહે છે કે
“દિસિ દેખાડી શાસ સર્વે રહે સર્વ શાસ્ત્ર, આત્મરૂપને રસ્તે દેખાડે છે. ભવ્ય પ્રાણીઓ જે તમારે આત્માનો ખપ હોય તો અમુક રસ્તે જાએ એમ દિગદર્શન કરાવી આધાં રહે છે, પણ તે અગેચર વાતને પામી શકતાં નથી. એટલે સર્વ શાસ્ત્ર પ્રત્યક્ષપણે આત્મસ્વરૂપ જણાવવા તથા દેખાડવા સમર્થ નથી, પણ કાર્યને એટલે ક્ષાયિકભાવે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યને ઉતપાદક અને કોઈ પણ પ્રકારની બાધા રહિત અનુભવજ્ઞાન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
રૂપમિત્ર જે તે પ્રત્યક્ષપણે જ જેમ તેમ આત્મસ્વરૂપ જણાવવા તથા દેખાડવા સમર્થ છે, અને જગમાં પ્રસિદ્ધ એવે અનુભવજ્ઞાન મિત્ર છે. અહો તેની કેવી દક્ષતા ? અહો અનુભવજ્ઞાન રૂપમિત્રની કેવી ચતુરાઈ ? કેવું ડહાપણુ? અને તેની કેવી પ્રતીતિ ? અંતરજામી જે શરીરમાં રહેલા અસંખ્યપ્રદેશી આત્મા તેની સમીપમાં એટલે ભાવિકભાવે તેની પ્રાપ્તિમાં મિત્રતાની ખરી રીતે સાચવી. એવા અનંત મહિને માને ધારક અનુભવજ્ઞાનરૂપ મિત્રની સંગે ક્ષણે ક્ષણે રહેતાં તેને ક્ષણ માત્ર પણ સદાકાળ અળગે ન મૂકતાં, અને તેમાં એટલે અનુભવ જ્ઞાનમાં રંગાતા એકમેક થઈ જતાં, અથાન તન્મય સ્વરૂપપણે સદાકાળ રહેતાં, આવિર્ભાવે આભાર ! પ્રભુ મળ્યા. અસંખ્યપ્રદેશથી એકમેક થઈ અભેદપણે પરમાત્માને ભેટયા. દર્શન કર્યા, ત્યારે સર્વ આત્મગુણના આવિર્ભાવતારુપ કાર્ય સફલ પણ થયું.
એવી દશામાં પિતાનું જે પરમાત્મપદ તેની અનતસંપદા તેનો અનુભવ કરે. અને આનંદને સમૂહ તેનો સ્વામી પોતે બની રહે. એમ આનંદઘનજી મહારાજ પોતે કહે છે કે અનુભવ જ્ઞાનયોગે ક્ષાયિક ભાવે ભવ્યજીવ આત્મગુણ સંપદા પામી પરમાત્મા સ્વરૂપ બની અનંત -
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫ નંદનો ભકતા થાય છે. તથા વળી ક્ષાયિક ભાવે સર્વ આત્મગુણ સંપદા પ્રગટ થવાની પૂર્વે પણ અનુભવજ્ઞાન યોગે ઘટમાં નિજગુણ ભોકતા આમા થઈ ક્ષણે ક્ષણે અનંત સુખનો અનુભવ કરે છે. ઈતિ વિશેષપરમાર્થસ્તુ જ્ઞાનિગમ્યું એવું અનુભવ મિત્રનું માહાભ્ય છે. જેનું શ્રવણ કરતાં પણ અનેક પ્રકારની ઉપાધિ અને દુઓ નાશ પામે છે, અને આત્મા શાંતિ ભોગવે છે. શ્રી આનંદધનજી ગી કરેલું અનુભવ મિત્રનું વર્ણન સાંભળી હે પ્રિયસાધક તું આત્મસ્વરૂપના માર્ગે ચાલી દુઃખ વેઠીને સતપુરૂષોની સંગત કરીને પણ અનુભવ મિત્રને ઓળખજે, અને તેને પ્રેમથી ભટજે, અને તેને આગળ કરી આત્મસ્વરૂપના માર્ગો પતાના નિર્ભય દેશમાં ચાલજે. ચાલતાં ચાલતાં નીચે લખેલી હિતશિક્ષાનું સ્મરણ કરજે. स्वस्थ चित्ते चालवु त्यां, मोह घाटी भेदवी; घाट अवघट उतरीने, आत्मसत्ता वेदवी. जीवडा,१ चित्तनिज उपयोगमांही, रात्री दिवस चालजे; पामीप्रेभे देश तारा, निजस्वरूपे म्हालजे जीवडा.२
સ્વસ્થ ચિત્તથી એટલે જેટલી પરવસ્તુ છે તેનાથી ચિન ખેંચીને એક આત્માની શુદસ્વરૂપમાં જ ચિત્ત સ્થાપીને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
અપ્રમાદદશાએ ઉપયોગ રાખી સ્વસ્વરૂપ પ્રતિ ક્ષણે ક્ષણે સાધકદશાએ જવાનું છે. અને હે ભવ્યાત્મા ! ચાલતા મે રાજાના લશ્કરની અવટવાટીભેદીને જવાનું છે. માટે પેાતાના સ્વરૂપમાં લક્ષ્ય રાખી મન વચન અને કાયાના યોગને વેપાર રૂંધી નિવિકલ્પદાને ગ્રહી ચાલજે, એટલે મેઘાટી ભેદાઇ જશે, હવે એવા મેહને અવઘટ ઘાટ - તરીને એટલે તેને પારપામીને શુદ્ધ આત્મસત્તા પેાતાની જેવી છે તેવી તારે વૈદવી, એમ વળી શિક્ષા આપતાં કહે છે કે પેાતાના આત્માના ઉપયોગમાં તું ચિત્ત રાખજે, કારણ કે ચિત્ત મર્કટ સમાન છે. ધડીમાં પાતાળમાં તે ઘડીમાં આકાશમાં એવી તેની 'ચળ સ્થિતિ છે, અગ્નિ કરતાં વાયુની તીવ્ર ગતિ છે અને વાયુ કરતાં વિજળીની અતિવેગવાળી ગતિ છે, અને વીજળી કરતાં પણ મનની ઘણીજ વેગવાળી ગતિ છે. ત્યારે એવા મનને શી રીતે વશ કરવું? શી રીતે યુક્તિ કરવાથી પેાતાના વશમાં રહે તે તેને ઉપાય કહે છે કે તીવ્રવરાગ્ય તથા અભ્યાસથી મન વશ થાય છૅ. ત્યારે હવે પ્રશ્ન થાય છે કે તીવ્રવૈરાગ્યની શીરીતે પ્રાપ્તિ થાય ? ઉત્તરમાં સમજવાનું કે સદ્ગુરૂ સંગતિ અને શાસ્ત્રાનું પુનઃ પુનઃ વાચન કરવાથી વૈરાગ્ય પ્રગટે છે, અને સસા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
રના અસાર પદાર્થોના અનુભવ થતાં વૈરાગ્ય પ્રગટે છે. વળી વૈરાગ્યના ત્રણ પ્રકાર છે. દુ:ખલિત વૈરાગ્ય, મેાહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગભિ ત વૈરાગ્ય, પ્રથમ દુઃખલિત વૈરાગ્યનું સ્વરૂપ કહે છે. સંસારમાં છવેને અનેક પ્રકારનાં દુ:ખ ભગવવાં પડે છે, તથા પેાતાને એટલે જે મનન કરે છે તેને પણ લાગે છે કે મને જે જે દુ:ખેા પડે છે, તે પૂર્વકના ઉદયથી છે માટે ધર્મ છે. તેજ સાર છે, ધર્માં કરવાથી દુઃખ નાશ પામે છે, એવા જે દુ:ખથી ઉત્પન્ન થયેલે સામાન્ય વૈરાગ્ય તેને દુ:ખગર્ભિત વૈરાગ્ય કહે છે. તેમ વળી સંસાના અનેક પ્રકારના મેાહના પદાર્થોને સયેાગ પણ દુ:ખનું કારણ છે એમ અનુભવ કરતાં માલુમ પડે છે. આ સંસાર્ અસાર છે, સ`સારમાં મારૂં કાષ્ટ નથી, એવા જે વૈરાગ્ય છે તેમાં મેહની હયાતી છે, સમ્યગ્ જ્ઞાન તેમાં નથી, તથા તે મેહગર્ભિત વૈરાગ્ય નવા. તેમ પદ્ધવ્યના ગુણુપર્યાંયનું સ્વરૂપ ગુરૂગમારાસમજી પેાતાનું જે આત્મદ્રવ્ય, અનાદિ અનત છે. એટલે આત્માની આદિનથી એટલે આત્મા કાદ વખત ઉત્પન્ન થયા નથી. કાએ આત્માને ઉત્પન્ન કર્યો નથી. કાએ આત્માને ઉત્પન્ન કર્યાં એમ કહીયે તે આત્મા છે. તે ઘટપટની પેઠે કારૂપ થાય છૅ, અને જે જે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
કાર્યરૂપ વસ્તુ છે, તે ઘટપટની પડે અનિત્ય વસ્તુ સદાકાળ એક સ્વરૂપ હોય નહીં. આત્માને કાર્યરૂપ માનતાં અનિત્ય થાય, નાશવંત થાય અને ત્રિકાલમાં એક સ્વરૂપ રહે નહીં માટે આત્મા અનાદિ કાળથી છે એમ સ્વીકારતાં કોઈ જાતને દોષ આવતો નથી. આત્મા અનંત છે. એટલે આત્માને કદિ અંત નથી, નાશ નથી. માટે આ ભા અનાદિ અનંત કહેવાય છે. આત્મા પોતાના અસંખ્યપ્રદેશેકરી ત્રણે કાળમાં એક સ્વરૂપ છે. અનંતકાળ ગયો તો પણ આત્માના અસંખ્યપ્રદેશમાંથી એક પ્રદેશ પણ ખર્યો નથી, વર્તમાન કાળ ખરતો નથી, અને ભવિષ્યકાળે એક પ્રદેશ પણ ખરશે નહીં. તેમ આત્માના અનંત ગુણ છે, તેમાંથી એક ગુણ ભૂતકાળે ખર્યો નથી અને ભવિષ્યકાળે એક ગુણ પણ આત્માને ખરશે નહીં. માટે આત્મા અક્ષર કહેવાય છે. વળી આત્મામાં કોઈ પણ જાતની રૂપી અક્ષર નથી માટે અનેક્ષર કહેવાય છે. અક્ષરપ જે જ્ઞાન તેથી આત્માની ઓળખાણ થાય છે પણ તે રૂપી અક્ષર અરૂપી એવા આમસ્વરુપમાં પ્રવેશ કરી શકતા નથી. માટે કહ્યું છે કે –
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
v शाब्दिक ताकि कपंडित छाके, ते पण त्यां जइ थाके; शब्दतीर पण ज्यां नहीं पहोंचे, शब्दवेधीनां ताके. भ याअनुभव रंग मजीठारे, उसकी बात न वचनेथाती॥
વળી આત્મા, આકાશની પેઠે અસંગી છે. વ્યવહાર જોતાં આત્મા ક્ષીરનીરની પેઠે પુદ્ગલની સાથે પરિણમી રહ્યા છે, તો પણ નિશ્ચયનયથી જોતાં પોતાના સ્વરૂપે સત્તાથી અસંગી છે. અને સિદ્ધના છો તો સદાકાળ પિતાના સ્વરૂપે શક્તિ તથા વ્યક્તિભાવે અસંગી છે, પિતાને સ્વરૂપે આત્મા શુદ્ધ છે. વળી આત્મા અનંત રત્નત્રથીનો ભોક્તા છે માટે ભાગી પણ સ્વગુણથી જાણો. ત્રણે કાલમાં આત્માનો વિનાશ નથી માટે તેને અવિનાશી કહે છે. કદાપિ કાળે આત્મા ઉત્પન્ન થયો નથી માટે આત્માને અજ કહે છે. ત્રણે કાલમાં પોતાના સ્વરૂપેકરી એક રૂપ છે માટે આત્માને દ્રવ્યર્થક નયની અપેક્ષાએ નિત્ય કહે છે. વળી આત્માને કદાપિ કાળે ક્ષય થતો નથી માટે તે અક્ષય જાણ. આત્મા પોતાના સ્વરૂપથી કદાપિ કાળે ચલાયમાન થતો નથી, માટે અચલ જાણો. આત્માનું સ્વરૂપ કળી શકાતું નથી માટે તેને અકલ કહે છે. આત્મા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ પિતાના શુદ્ધસ્વરૂપે નિશ્ચય નયથી જોતાં મલ રહિત છે. માટે તેને અમલ કહે છે. વળી આત્મા અગમ્ય છે. વળી આત્માનું નામ નથી માટે તેને અનામી કહે છે. વળી આત્મા વર્ણગંધાદિકથી રહિત છે માટે અરૂપી છે, અને પિતાના અસંખ્યપ્રદેશ આદિ સ્વરૂપે રૂપી છે. વળી નિશ્ચય નથી જોતાં આત્મા કર્મથી રહિત અકર્મ છે, આબંધક છે, અનુદયિક છે. વળી આત્મા પોતે મન વચન અને કાયાના
ગથી ભિન્ન છે. માટે તે અગી જાણ, વળી શુભાશુભ વર્ણગંધરસ અને સ્પર્શમય જે પુગળો છે, તેના ભાગને વસ્તુતઃ નિશ્ચય નથી જોતાં આત્મા ભગવતો નથી, માટે તે અભાગી જાણો. આત્માના ગુણોને ભેદ થતા નથી એટલે આત્માથી આત્માના ગુણ ભિન્ન કદાપિ કાળે પડતા નથી, માટે આત્માને અભેદી કહે છે. પુરૂષ વેદ એટલે સ્ત્રી ભોગવવાની ઈચ્છા જેનાથી થાય છે. સ્ત્રી વેદ એટલે પુરુષ ભેગવવાની ઈચ્છા જેનાથી થાય છે. નપુંસક વેદ એટલે સ્ત્રીપુરૂષ ઉભય ભોગવવાની ઈચ્છા જેનાથી થાય છે. એ ત્રણ પ્રકારના વેદથી પણ રહિત, નિશ્ચયનયથી જોતાં આત્મા છે. માટે આત્મા અવેદી જાણો. વળી સત્તાથી જોતાં અરોગી, છેદી, અખેદી, અકપાઈ, અસખાઈ, અલેસી, અશરીરી, અણાહારી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
અવ્યાબાધ, અનવગાહી, અગુરૂલપરિણામી, અતી દ્રિય, અપ્રાણી, અયોનિ, અસંસારી, અમર, અવ્યાપી, અનાશ્રિત, અકંપ, અવિદ્ધ, અનાસ્ત્રવ, ચિદ્ધન, આનંદધન, અશોક, લોકાયાકનાયક, સત્સ્વરૂપ, એવે. આત્મા તવે. પણ પણ સસાર અવસ્થામાં કર્મોના યોગે સર્વ ઋદ્ધિ તિાભાવે રહી છે. તેથી આવિાવે પોતાની શિતના ઉપયોગ કરી શકતા નથી. વળી જેમ.તલમાં તેલ વ્યાપીને રહ્યું છે. પુલમાં સુગધ જેમ વ્યાપીને રહી છે. શેલડીમાં જેમ રસ વ્યાપીને રહ્યા છે. તેમ આત્મા આ દેખાતી એ કાયામાં અસખ્યપ્રદેશરૂપવ્યકિતથી વ્યાપી રહ્યા છે. વળી તે આત્માને ચાર પ્રમાણથી તથા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી નગે એવી રીતે ષડ્ દ્રવ્યમાંથી પેાતાના આત્માને ઉપાય જાણે, અનાદિકાળથી પુદ્ગળ દ્રવ્યના પર્યાયરૂપ અષ્ટકમ આત્માને લાગ્યાં છે, અને તેથી પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે, અને તેથા આત્મા રાગ દ્વેષના યોગે પરભાવ રંગી તથા પરભાવ સગી થયા છે, તેથી પેાતાનું સ્વરૂપ ભૂલી ગયા છે. પણ કાળલિયોગે સદ્ગુરૂ દ્વારા જ્યારે જ્ઞાન પ્રર્યું ત્યારે જાણ્યું કે હું આત્મા એક છું, અને સર્વ સંસારભાવથી ત્યારે છું. હું આજ સુધી અજ્ઞાનથી પરવસ્તુમાં રાચ્યા . માચ્યા થકે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
રહ્યા. હવે હું દુ:ખના કારણેાને પેાતાનાં માની રાગ દ્વેષમાં ભળી કેમ સંસારમાં બધા; મારા આત્માના સ્વરૂપમાં મારે રમવુ ચેાગ્ય છે, એમ ભેદજ્ઞાનથી સ્વસ્વરૂપને વિવેકથી જુદા પાડતા આત્મા વાદિક નવતત્ત્વની શ્રદ્ધા કરે, અને સંસારથી ત્યારે અતી રહે, તેવા જે વૈરાગ્ય તેને જ્ઞાનભિત વૈરાગ્ય કહે છે.
એવા જ્ઞાનગર્ભિતવૈરાગ્યથી આત્મા, અલ્પકાળમાં સકળ કર્મીને ક્ષય કરે છે, અને પૂર્વોક્તકથિત જ્ઞાન અને વૈરાગ્યથી આયિકભાવે પૂર્વકને ભાગવતે પણ આત્મા કુને ખાંધી શકતે નથી. ज्ञानस्यैवहि सामर्थ्य, वैराग्यस्यैव वा किल । ચાપિ ર્મમિ: મ, મુલ્લાનેવિન વષ્યતે ॥॥
ભાવાર્થ ઉપર કહેવાયા છે. સાધકવે વૈરાગ્ય અને અભ્યાસથી મનને વશ કરવું. ત્રણ પ્રકારના વૈરાગ્ય પણ પ્રસંગે આવ્યા તેથી તેનું વર્ણન કર્યુ. હવે એ મનને એકદમ વશ કરવાનું સાહસ કરીએ તા કિંદ તે પોતાના વશમાં આવે નહીં, પણ જેમ વક્રતાથી તથા અશ્વને ધીમે ધીમે યુક્તિકળાથી વશ કરી શકાય છે, તેમ મનપી હાથીને પણ હળવે હળવે કળાયુક્તિ ઉપાયથી વરા કરી શકાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
સશુરૂ સંગતિ તથા સશાસ્ત્ર શ્રવણુ મનન, વાચન, એ મનને વશ કરવાનો રાજમાર્ગ છે. પણ તે બાહ્ય ઉપાય છે. આત્માના સ્વરૂપમાં મનને પ્રવર્તાવવું, તે મનને વશ કરવાનો અંતર ઉપાય છે. હવે તે એક જ આત્મસ્વરૂપમાં સ્થાપન કરેલું મન કેવું થાય છે તે જણાવે છે. आलंब्यैकपदार्थ यदा न किंचिद्विचिंतयेदन्यम् । अनुपनतेधनवन्हिवदुपशांतं स्यात्तदाचेत: ॥१॥ शोकमदमदनमत्सरकलहकदाग्रहविषादवैराणि । क्षीयंते शांतहदामनुभत्र एवात्र साक्षात्तः ॥२॥
ભાવાર્થ –આત્માના ગુણ પર્યાયનું અવલંબન કરીને આત્મા રૂપ એક પદાર્થમાં સ્થિર થએલું મન જ્યારે અન્ય પદાર્થોનું ચિંતવન નથી કરતું, ત્યારે તે પિતાની મેળે શાંત થઈ જાય છે. જેમ કાઈ વિનાની અગ્નિ પોતાની મેળેજ ઓલવાઈ જાય છે તેમ અત્ર સમજવું.
વળી એવી રીતે શાંત મન થતાં શોક, અહંકાર, કામ, મત્સર, કલેશ, કદાગ્રહ, વિષાદ અને વૈર તે પોતાની મેળે ક્ષય પામે છે. જે મહાત્માઓએ આત્મામાંજ મનને લગાવી ઘણી મહેનતે મનને શાંત કર્યું છે, તેમને સાક્ષાત તેને અનુભવ વર્તે છે, એમ નક્કી જાણવું. વળી તે મન શાંત થઈ જતાં આત્માની કેવી સ્થિતિ થાય છે તે બતાવે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
હો :
शान्ते मनसिज्योतिः प्रकाशते शांतमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वांतं विलयमेति.
॥ ર્ ॥
એવી રીતે મન શાંત થયે તે આત્માની અનંત આનંદ સુખ દાયક શાંત જ્યેાતિ સહેજે પ્રકાશે છે, અને અવિદ્યા બળીને ભસ્મીભૂત થાય છે. અને મેાહરૂપ અંધકાર નાશ પામે છે, અને અંતરમાં જ્ઞાનરૂપ ઝગમગે છે. સતાષની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારની ચિતાને તે સમૂળગેા નાશ થાય છે. માયા અને મમતા રૂપ દેખે તે સદાકાળ દૂર રહે છે. એવી રીતે મનને વશ કરી પેાતાના આત્માના સ્વરૂપમાં સુરતા રાખી હૈ સુખસાધક ભવ્યાત્મા ! તું રાત્રી દિવસ તારા દેશ ભણી ચાલજે અને પ્રેમે અસંખ્યપ્રદેશમય તારે જે ખરા દેશ છે, તેને પામીને પેાતાના પરમાત્મસ્વરૂપે સદાકાળ મહાલજે, સમયે સમયે સ્વસ્વરૂપી થઈને અનંતિ ઋદ્દિ ભાગવત્તે.
www.kobatirth.org
う
ભવ્ય સર્વસુખસાધકે, તે માની પ્રાપ્તિ વિના કૈટી પ્રયત્ને પણ નક્કી વજ્ર લેખની પેઠે ધારી રાખો કે ભવાંત નથી. જેમ પાણીમાં નાંખેલા સાકરના કકડા જલમાં એગળી જાય છે. તેમ તમે આ માર્ગોમાં જોડાશે તે તમારૂં અંતરાત્મસ્વરૂપ પરમાત્મસ્વરૂપમાં મળી જવાનું,
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
આત્મતત્વની પ્રાપ્તિથી ત્રણ ભુવનનું રાજ્ય પામ્યાના કરતાં તમો અલૈકિક રાજ્ય પામ્યા એમ તમે જાણશે.
તમારા મનુષ્ય અવતારને ધન્ય છે કે તમે આ પ્રમાણે સમજવાને શક્તિમાન થયા છે. તમારું શરીર, મન, વચન એ ત્રણ, આ સંસારરૂપસમુદ્રને તરવા વહાણ સમાન છે, માટે વહાણને સારા માર્ગ દરે, સદગુરૂ રૂપ ખલાસી તમને સંસાર સમુદ્રની પેલી પાર પહોંચાડશે અને સામું મુક્ત નગર દેખાડશે.
ઉપર લખેલું વાંચ્યું, સાંભળ્યું, ધાર્યું તેટલાથીજ હવે અમે તત્ત્વ પામ્યા, એમ સમજી સલ્લુરૂનું શરણ અને સદગુરૂની સંગતિ છોડી દેશે નહીં, અને સ્વેચ્છાચારી થશો નહીં. મોક્ષ માર્ગની ખરી કુંચીએ તે ગુરૂની પાસે રહે છે. આથી હવે તે વધારે શું? જાણતા હશે, એમ નિશ્ચય કરી બેસશો નહીં. જેમ વૈદ્ય રોગીને રેગની પરીક્ષા કરી ઔષધ આપે છે, દરદીના રોગની પરીક્ષા કરી જુદી જુદી દવા આપે છે, તેમ સદગુરૂ તે વૈદ્ય સમાન છે. તે તમારી અંતરની નાડી તપાસીને તમને આપવા લાયક ઉપદેશ રૂપ ઔષધ આપશે. તમારા સારાને માટે આપશે. માટે તમે તેમની વિશેષ વિશેષ ભક્તિ કરજે, અને તેમની સેવામાં રહેશે, તેમની આજ્ઞા પ્રમાણે ચાલજો. વૈદ્યનું નામ ધરાવી જેમ ફેગટીયા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
વૈદ્ય, ઉંટ વૈદુ કરી લેકેને ઠગે છે. તેમ તમે પણ તે બાબતની સાવચેતી રાખજે. માથે એક જ્ઞાની ગુરૂની આજ્ઞા ધારજો. તમને જેમ જેમ યોગ્યતા પ્રાપ્ત થશે તેમ તેમ તમને અધ્યાત્મમાર્ગની કુંચીઓ અર્ચા કરશે. યોગ્યતાની ઘણી જરૂર છે. તમે સદગુરૂને દેખી તુરત બેઠા હોત ઉભા થઈ વંદન કરજે. ખાતાં પણ જે સગુરૂ મહારાજ પધારે તે ઉભા થઈ હાથ જોડી યથાયોગ્ય વિનય સાચવજે, પિતાનાજ ગામમાંજ સદ્ગર પધાર્યા હોય તે તેમનાં દર્શન કરી, તેમને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા દેઈ ખમાસમણાં તથા અમુઠ્ઠિઓ અભિતર પૂર્વક વંદન કરજે.
જ્યારે ગુરૂ મહારાજ પાસે જાઓ ત્યારે વંદનની વિધિ સાચવજો. (ધર્મસ્ય મૂલંવિનય) ધર્મનું મૂળ વિનય છે, જેમ તમારામાં વિશેષ વિનય તેમ તમે યોગ્યતાના વિશેષ અધિકારી થશે, તમે સરૂ મહારાજ પાસે આવી અકડને અક્કડ રહી ઉભા ઉભા બે હાથ જોડી પરાણે લટક સલામીયા જેવું વંદન કરે છે, તે શું ગુમહારાજ નથી સમજી શકતા ? તમારી ગ્યતાને શું તે વિચાર નથી જાણતા ? તમે ગુરૂને વંદન કરવામાં જેટલું મનમાં ઓછું લાવે છે તેટલું જ તમારું કમનસીબપણું સમજવું. જેવી દેવમાં બુદ્ધિ છે. તેવી બુદ્ધિ તમેએ ગુરૂમાં સ્થાપન નથી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
કરી ત્યાં સુધી તમે ખરું રહસ્ય પામવાના નથી, અને તમારો આત્મા ઉન્નતિનું શિખર પ્રાપ્ત કરી શકવાનો નથી. શું તમે દેવના કરતાં ગુરૂને એાછા માને છે ? શા માટે એાછા માને છે ? એાછાપણું માનવું કે તમારું અજ્ઞાન છે, પ્રત્યક્ષ ઉપકારી તે તમને સશુરૂ મહારાજ છે. સદુગુરૂજ, દેવ ધર્મને ઓળખાવનાર છે. દેવ જેવી બુદ્ધિ તમે ગુરૂમાં ધારશે તે તમારૂ કલ્યાણ થશે, અને તે સંબંધમાં એક ટુંક કહે છે કે –
देवगुरू देार्नु खडे, किसकु लागुं पाय। बलिहारी गुरूराजकी, जेणे दिया देव बताय॥१॥
ધર્મના દાતા, ધર્મનો બેધક, સશુરૂજ શરણ્ય શરણ્ય સેવ્ય છે, તેમની શ્રદ્ધા તેમની ભક્તિ જ પરમ કલ્યાણકારક છે.
તમે સંસારની બાબતમાં તમારે અર્થ સાધવાને હજારે મનુષ્યની ખુશામત કરે છે. હજારેની આગળ દીનતા કરે છે. તમારા મુરબી શેઠ તથા અમુક રાજા વા પેલા સાહેબની આગળ તમે તેના પગે પડી ગરીબ ગાય જેવું મુખ કરી તમારા તુચ્છ સ્વાર્થને માટે કરગરે છે. તેના મુખ સામું હાજી હાજી કરીને વા હૈ સાહેબ ! ! હે સાહેબ ! ! કરીને ટગર ટગર જોયા કરે છે, અને તેની મરજી -સાચવતા રહે છે. અને કહે છે કે, શેઠ સાહેબ! અમારા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
ઉપર મહેરબાની રાખતા રહેજો. અમે તમારાથીજ જીવનારા છીએ. નોકરી જે તમે કરતા હો છો તે તમારે ઉપરી તમારા ઉપર પ્રસન્ન રહે, તે માટે તમે કેટલું બધું લક્ષ રાખો છો ? વળી તમારો સાહેબ અને બારદાન છતાં ગમાર અને ઢોલામારૂ જેવો મનમાં જાણતાં છતાં તેને નમી નમીને સલામ કરો છો, આપ સાહેબ મુરબ્બી સાહેબ નેકનામદાર વિગેરે શબ્દો વદી તેને સંબંધે છે. પ્રસંગ આવતાં પગાર વધારવા તેને પગે લાગીને વિન છે, તમે પલે લાટ સાહેબ આવનાર હોય છે તે હે હે લાટ સાહેબ આવવાના છે એમ જાણી તેને જેવા કેવા દેડે છે, અને તમારી સલામ તે લે અગર ના લે તે પણ તમે કેવા સલામ કરવા મુકી પડે છે. આવા સામાન્ય પુરૂની આવી ગુલામી કરતાં તમે અચકાતા નથી, અને જે જ્ઞાનના મહોદધિ છે, સર્વ પ્રકારની યોગ્યતાવાળા છે, અને જે આપણા અપરાધ છતાં નિરંતર ક્ષમાદષ્ટિથી જુએ છે, અને જે સંસાર સમુદ્રના તારક છે, અને જે આપણા માતાપિતા કરતાં પણ અવધિ ઉપકારના કર્તા છે, અને જે ભાવમ ના દાતાર છે. તેવા ગુરૂ મહારાજની ધર્મના માટે આજીજી કરતાં શરમ આવે, તેવા સદ્ગરૂ મહારાજને પગે લાગી વિનવતાં શરમ આવે, આ શું તમે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓછું કરે છે ? શું તમને આવી રીતે વર્તતાં આત્મકલ્યાણની પ્રાપ્તિ થઈ શકશે વારૂ ! કદી થશે નહીં, એમ નક્કી સમજજે. લેડના લોડ, રાજાના રાજા, સાહેબના સાહેબ, તમે ગુરૂ મહારાજને માનજે, અને તેમની ભકિત કરજે. તેમની કૃપા મેળવજે. તેમની અંતર્ન આશિષથી તમે અનવધિ સુખના ભોક્તા બનશે. તમે સર્વ પ્રાપ્ત કરી શકવાને સમર્થ છે. માટે ગુરૂઆજ્ઞાએ વતી આત્મસ્વપની પ્રાપ્તિ માટે જોડાજો. શ્રી સશુરૂનો તમે વિનય કરશે, તથા તેમની ભક્તિ કરશો. તેમાં તમારે સ્વાર્થ સમાયો છે, ગુરૂમહારાજ તે પરમાર્થ કાર્યમાંજ સદાકાળ પરાયણ રહેનારા હોય છે. તમારા કરતાં એમ સમજજો કે તેઓ મહાજ્ઞાની છે. તમારા કલ્યાણને માટે જે આજ્ઞા, આચાર, ફરમાવે તે તહત્તિ કરી અંગીકાર કરજે, તેવા
ગુરૂ પાસે દીન થાઓ. તેમની ખરા અંતઃકરણથી ચાકરી ઉઠાવે, તમને તેથી વ્યવહારમાં પણ સુખનાં સાધને સાસુકુળ થવાનાં. તેમને જી, પૂજ્ય, એવા શબ્દોથી સભ્ય પ્રકારે છે. તેમની આજ્ઞારૂપ ભલામણથી તમે અનંતિ ઋદ્ધિ પામવાના જ. તમે તીર્થની યાત્રા કરવા જાઓ છો, તો હજાર સંકટો વેઠે છે. તેવા સ્થાવર તીર્થ કરતાં ગુરૂ રૂપ તીર્થ એઠું સમજશે નહીં. કારણ કે તોથઃ વ્રતિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
વાહન ધઃ પુનામ: સ્થાવર તીર્થ તે કાલાંતરે ફળે છે, એટલે તેમનું પૂજન ભક્તિ અન્ય ભવમાં સુખનું આપનાર થાય છે, અને સદ્ગરરુપ તીર્થ તે તુરત તેમનાં દર્શન કરતાં જ ફળ આપે છે, તેમને સંગમ થતાં અનેક પ્રકારની શંકાઓનું નિરાકરણ થાય છે. અજ્ઞાન ટળે છે. સત્યજ્ઞાન મળે છે. કર્મ અને આત્માનું સ્વરૂપ સમજાય છે. વળી કહ્યું છે કે ગુદ ગુરુદેવતા ગુરુવિણ ઘોર અંધાર, શ્રી સદ્ગુરૂ અંતમાં અનાદિ કાળથી વ્યાપી રહેલું અજ્ઞાનપ અંધકાર ટાળવાને માટે દીપક સરખા છે, અને સદ્ગુરૂ તેજ દેવ છે. તમને ગુરૂ દેવ વિના આકાશમાંથી ઉતરીને કયો દેવા આત્મજ્ઞાન અર્પવા આવશે. શું ગુરૂનું શરીર પણ તમારા જેવું ઔદારિક દેખીને તેમાં દેવબુદ્ધિ નથી સ્થપાતી? એ ગુરૂબુદ્ધિ નથી, તથાપિ તેમાં તમારે જ દોષ છે. સમજે કે દેવના કરતાં પણુ ગુરૂ ઉપદેશ દાનમાં મેટા છે. તેમાં ગુરૂમહારાજે સમકિત દાન આપ્યું તેથી તે મેટામાં મેટા છે. વળી તીર્થંકર દેવને ગુરૂની બાબતમાં પણ તમને આગળ જણાવ્યું છે. સમકિત દાયક ગુરુ તેજ દેવ સમજવા. તેમને ઉપકાર કદી વળી શકાતું નથી. કહ્યું છે કે
समकितदायकगुरू तणो, पच्चुवयार न थाय; भषकोडाकोडी करे, करतां कोटि उपाय.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
આમ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય જણાવે છે. પુનઃ પુન: તે વાયનું મનન કરે. સત્ય માર્ગને જે બતાવી મે - ક્ષપુરીમાં પહોચાડે એવા ગુરૂને ઉપકાર કેઈ જીવ કોઈ પણ ઉપાયે વાળી શકનાર નથી. શ્રી સદગુરૂ મહારાજ પાર્શ્વમણિ સમાન છે. સાગરની, સૂર્યની, ચંદ્રની, કલ્પવૃક્ષની ઉપમા શ્રી ગુરૂ મહારાજને આપી છે. માટે સદ્ગુરૂની શ્રદ્ધાવડે તમે તમારા આત્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરજે. શાંત ચિત્તથી પ્રવર્તજે. અપૂર્વ મહદયનું કારણ આ કાર્ય છે, એમ સમજી તમે પ્રવર્તે છે. તમારા આત્મોન્નતિના કાર્યમાં શનૈઃ શનૈઃ કમવાર પ્રવૃત્તિ કરજો. તમને પ્રથમ તે આ કાર્યમાં પ્રવર્તવું અઘરું લાગશે, પણ દરરોજ પ્રયત્નમાં જોડાતાં તમારા કાર્યમાં તમને પ્રેમ થશે, અને જેમ જેમ તમને આત્મસ્વસ્પમાં પ્રેમ વધે તેમ તેમ તમે જાણજો કે હું હવે સંસારથી દૂર થતો જાઉં છું, અને આત્મસ્વરૂપ તરફ દેરા જાઉં છું. તમને આત્માની પૂર્ણપણે પ્રતીતિ થતાં અનેક પ્રકારનાં બાહ્ય સંકટ પ્રાપ્ત થતાં તેનાથી તમો પિતાના સ્વભાવે અચલ રહી શકશે.
તમે જેમ બને તેમ પુરૂષોને સંગ કરશે. સત પુરૂષની સંગતિથી તમે આભેદય ઉન્નતિમાં વિશેષ ચઢી શકશે, તમારૂ કાર્ય તમે સાવધાનતાથી સાધશો, તમારા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કા માં દૈવયેગથી વિક્ષેપ નડે તેપણ તમે। સામાપુરે ચાલો, આ કાર્યમાં પ્રવર્તતાં અસત્ પુરૂષે! તમારી હાંસી કરશે, વા કહેશે કે તેને તે એક જાતની ભ્રમણા થઇ છે. એમ કહેશે તે પણ તમે! શ'કાશીલ થશે નહીં. તમારૂં આત્મસ્વરુપ ધ્રુવના તારાની પેઠે અચલ છે, સત્ય છે, એક સ્વરૂપ છે, એમ શ્રદ્દા કરો. અન ંત તીર્થંકર જે થયા, થાય છે, અને થશે તે પણ આત્મસ્વરૂપના ધ્યાનથીજ પરમાત્મ પદ પામ્યા–પામે છે અને પામશે, માટે એનું પુન:પુનઃ પ્રેમથી ધ્યાન કરો.
શાંત સાનુકુળ સમયમાં રાત્રીએ તથા પ્રભાતે ઉપર કહ્યા પ્રમાણે આત્મતત્ત્વનું ધ્યાન કરો, પદ્માસન વા સિંદ્ધાસન વાળીને કાઇને શબ્દ આવે નહીં એવી જગ્યામાં બેસો, અને આત્મદ્રવ્યના ગુણ પર્યાયનું સ્મરણ કરો. સ્મરણ કરતાં તુરત એક દિવસ વા એ દિવસમાં તમને આત્માનુભવ ન થાય તે નિરાશ થશે! નહીં. તેમ ઉદ્યોગ ત્યાગશે નહિ, કરીને ગેટલે જમીનમાં વાવ્યા કે તુરત કંઈ કરી આવતી નથી, તેમ મહેલમાટે પાયા ખાઘે! કે તુરત કંઇ મહેલ ખની જતેા નથી. શાળામાં નિશાળગરણું કરીને અભ્યાસ કરવા બેઠા કે તુરત તમે એમ, એ, ની પરીક્ષા પસાર કરવાના નથી. ખી વાવ્યું કે તુરત કંઈ અંકુરા ઉગી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ નીકળતા નથી, હળવે હળવે પ્રયત્ન કરતાં અનુક્રમે કાર્યની સિદ્ધિ થાય છે. આત્મવિદ્યાના નિયમને નિરંતર યાદ કરે કે આત્મસ્વરૂપને વિચાર કરતાં તેનું યથાર્થ સ્વરૂપ તમારા લક્ષ્યમાં ન આવે, તે પણ તેનેજ વિચાર કરવાથી આત્મસ્વરૂપ સમજવાનું બળ અંતઃકરણમાં પ્રગટે છે, અને એને એ પ્રમાણે ધ્યાનનો પ્રયત્ન ચાલુ રહેતાં જે અગમ્ય હેય છે, તેનું કંઈક સ્વરૂપ ગમ્ય થાય છે, અને અંતે પ્રયત્ન સફળતાને જ પામે છે, અને અંત:કરણથી દૃઢપ્રત્યયપૂવક ભાવના કરજો કે આ દેખાતે દેશ તે મારે નથી. જે આ દેશ બાહ્મિચક્ષુથી દેખાય છે તેથી આત્માને દેશ ન્યારે છે. આત્માને દેશ તે લક્ષ્યમાં આવે એવું નથી, એટલે તે અલખ છે. અનુભવજ્ઞાનથી તે અસંખ્યપ્રદેશરૂપ વ્યક્તિવાળો આત્મતત્ત્વ દેશ છે તેને પ્રત્યય ઉપજે છે. તમારા દેશમાં સાત ભયમાં કોઈ પણ ભય નથી. માટે તે દેશનું પુનઃ પુનઃ મરણ કરજો. તે સંબંધી નીચેનું પદ સ્મરી જજે.
૯.
(મmir=ારે સુતા ચાર-છ રાજ.) अलखदेशमे वास हमारा, मायासे हम है न्यारा; निर्मलज्योति निराकार हम, हरदम हम ध्रुवका तारा॥१॥ सुरतासंगे क्षण क्षण रहेना, दुनियादारी दरकरणी;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪ सोऽहंजापका ध्यान लगाना, मोक्षमहेलको निस्सरणी. पढना गणना सबहि जूठा, जब नहि आतम पीछाना; वर विना क्या जान तमासा, लणबिन भोजनकुं खाना. आतमज्ञान विना जग जाणो, मायामोहका अंधियारा; सदगुरुसंगे आतमध्याने, घटा तरमे उजियारा; सबसे न्यारा सब हममांहि, ज्ञाता शेयपणा धारे, बुद्धिसागर धन धन जगमें, आप तरे परकुं तारे.
એમ અધ્યાત્મ સ્વરૂપની ભાવનામાં લીન થવાથી તમને અત્યાનંદ પ્રાપ્ત થશે. અધ્યાત્મજ્ઞાન અને તેની રમણતાથી અલોકિકસુખની પ્રાપ્તિ થાય છે, અધ્યાત્મશાસ્ત્રના મનનથી તેના સ્મરણથી અને તેના અનુભવથી જે સુખ થાય છે તે સુખની બરાબર દુનિયાનું કોઈ પણ સુખ નથી, અને અધ્યાત્મજ્ઞાનીઓ છે તે શાશ્વત સુખ ભોગવે છે. કહ્યું છે કે,
अध्यात्मशास्त्रसंभूत, सन्तोषसुखशालिनः गणयन्ति न राजानं, न श्रीदं नाऽपि वासवम् ॥१॥
ભાવાર્થ—અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલો છે સંતોષ સુખ તેને ભોગવનારા મહાત્માઓ, રાજાઓ, ધનદને અને ઇદ્રને પણ હીસાબમાં ગણતા નથી.
વળી અધ્યાત્મજ્ઞાનભાવના તથા અધ્યાત્મશાસ્ત્રનું સર્વે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
લુપણું બતાવવા શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે –
ઝા , वेदान्यशास्त्रवित् क्लेशं, रसमध्यात्मशास्त्रवित्; भाग्यभृद् भोगमाप्नोति, बहते चन्दनं खर: ॥१॥
વેદ શાસ્ત્ર, વ્યાકરણ, ન્યાય વગેરે શાસ્ત્રના જાણનારા પંડિતો સામાસામી શાસ્ત્રાર્થ કરી અરસ્પસ અહંતા અને મમતાના ગે એક બીજાનું ખંડન કરતા તથા આત્મસ્વરૂપના અજ્ઞાન એવા કલેશને પામે છે, અને અધ્યાત્મજ્ઞાન થકી ઉત્પન્ન થયેલા વિવેકવડે; જેણે સ્વપરની વહેંચણું કરી આત્મસ્વરૂપનું જ્ઞાન મેળવ્યું છે, અર્થાત યથાર્થપણે અધ્યાત્મ શાસ્ત્રનું અનુભવપૂર્વકજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા અધ્યાત્મ શાસ્ત્રવેત્તા, ખરેખર સત્યસુખના ભક્તા બને છે. જેમ ચંદનના ભારને રાસભ ઉપાડી ફ્લેશ પામે છે પણ ચંદનનો ભંગ તે ભાગ્યવંત પામે છે, એમ અધ્યાત્મ શાસ્ત્રની તથા અધ્યાત્મ જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવી; વળી શ્રી યશોવિજયજી ઉપાધ્યાય અધ્યાત્મશાસ્ત્રનો વિશેષ મહિમા સ્તવતા કહે છે કે --
સ્ત્રો धनिनां पुत्रदारादि, यथा संसारवृद्धये; તથા પવિત્યદાન, રામદયારમયદ્વિત. ૨ अध्येतव्यं तदध्यात्म,-शास्त्रं भाव्यं पुनः पुन: अनुष्ठेय स्तदर्थश्च, देयो योग्यस्य कस्यचित्. ॥२॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
ભાવા --ધનવંત ગૃહસ્થાને જેમ પુત્ર સ્ત્રી પરિવારાદિક સંસારની વૃદ્ધિમાટે થાય છે. તેમ અધ્યાત્મશાસ્ત્ર જ્ઞાન વત અભિમાની પતેને વ્યાકરણ, ન્યાયાદિક શાસ્ત્રાભ્યાસ પણ સંસારની વૃદ્ધિ અર્થ છે. તે માટે તમારે અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ કરવેશ, વારંવાર અધ્યાત્મ શાસ્ત્રાના રહસ્યની હૃદયમાં ભાવના કરવી. અધ્યાત્મશાસ્ત્રના અનું તમારે વારંવાર ચિંતવન કરવું અને અધ્યાત્મજ્ઞાન ચેાગ્ય જે પુરૂષ હોય, તેને જ્ઞાનીઓએ આત્મજ્ઞાન આપવું, જે કાઇ યોગ્ય સદ્ગુણી ઉત્તમ જીવ હોય, તેને અધ્યાત્મ શાસ્ત્રને અથ દેવે!, શિખવવા, અયેાગ્યને અધ્યાત્મશાસ્ત્ર શિખવવું નહિ, અને અયેાગ્યને આત્મજ્ઞાનની પુત્રીએ આપવી નહીં. શ્રી મહાનિશીથસત્રમાં યેાગ્યને ઉપદેશ ન આપવૅ તે માટે કહ્યું છે કે યથા. મદાનિશીથેઃ
ગાથા.
आमे घडे निहित्तं, जहा जलं तं घडं विणासेइ; एवं सिद्धंतरहस्सं, अप्पाहारं विणा सेइ ॥ १ ॥
કાચા ઘડામાં નાંખેલું પાણી જેમ ઘાના નાશ કરે છે. એમ અધ્યાત્મ તત્ત્વસિદ્ધાંતરહસ્ય પણ અયેાગ્ય જીવને દેતાં તેના આત્માને નાશ કરે છે. જં અજોગસ મુતથ્થ નદાય યાગ્યને સૂત્ર અને સ્ત્રાર્થ દાન ન આપવું; કાર
“
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
કે તે જીવની યોગ્યતા વિના તે ઉંધો અર્થ પ્રહે છે, પ્રરૂપે છે, અને ઉલટું વર્તન કરી દુર્ગતિ જાય છે, માટે આભાર્થી પુરૂષને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન દેવું, તેના રહસ્યને ઉપદેશ આપ, આત્મપદના અર્થી ભવ્ય પુરૂ, તહેતુ અને અમૃતક્રિયાનું સેવન કરવું, તેતુ અને અમૃતક્રિયાથી આત્મસ્વભાવ શુદ્ધ નિર્મળ પ્રકાશે છે.
- કતા, લોભ, રતિ, દીનતા, મત્સરીપણું, ભય, શહતા, અજ્ઞાનતા, એ દોષાના સંગથકી જે ક્રિયા કરવામાં આવે છે, તે ક્રિયાને આરંભ નિષ્ફળ જાય છે. એ દેથી - ભગુણની વૃદ્ધિ થતી નથી, પણ ઉપરના દેને પરિહાર કરી જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયા સફળ થાય છે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ જેનાથી થાય તે જ ક્રિયા આદેય - ણવી. મોક્ષમાર્ગને અનુસરનારી ક્રિયાનો ઉચ્છેદ કરવું નહીં. જેમ તેમ ધમાધમમાં પ્રવર્તવું નહીં. આત્મધર્મસાધ્ય જાણી પુદગળમમતાને પરિહરવી, આત્મધર્મમાં રૂચિ થયા વિના પુગળ ઉપર થતી મમતા ત્યાગી શકાતી નથી. તમે શુદ્ધબુદ્ધિથી વિચારશે તે માલુમ પડશે કે જે વસ્તુ પ્રિય લાગે છે, તેની રૂાચ થાય છે. આત્મજ્ઞાન થવાથી આત્મા જ પ્રિય લાગે છે, અને તેનું જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી જડવસ્તુ પ્રિય લાગે છે. સર્વ જડવસ્તુઓ ક્ષણિક છે, એમ જ્યારે ખરેખર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
અંત:કરણમાં બ્રહ્મા થાય છે, ત્યારે તે વસ્તુઓના તરફ થતી પ્રવૃત્તિ દૂર થાય છે, અને આત્મધર્મ પ્રગટ કરવા પ્રવૃત્તિ થાય છે, અને પેાતાનાં શુદ્ધ આત્મધર્મમાં પ્રવૃત્તિ થવાથી સમતાભાવ પ્રગટે છે, અને અનુક્રમે આત્મા. પરમાત્મપદ સાધ્ય કરે છે. શરીરમનવાણીથી ભિન્નપણે વર્તતે આત્મા, ક્ષણે ક્ષણે અનંતસુખ ભાગવે છે, અને સર્વ પ્રકારના કર્મથી રહિત થઈ મેાક્ષપદ પ્રાપ્ત કરે છે, હે ભવ્યઆત્મન્ !! મનુષ્યજન્મને અમૂલ્ય એક સમય પૂછુ માયામાં સી ફોગટ ગુમાવીશ નહિ.
આત્મશક્તિ પ્રકાશ ગ્રંથ અંત્ય મોંગલમ્. श्लोक
पेथापुरे शुभे ग्रामे, विहितं मासकल्पकम् । આમામિશારાય,-સમારમ્મ: ધૃતઃ સુમઃ ॥ડ્ડી नेत्ररसनवेलाब्दे, वैशाखे शुक्लपक्ष के
तृतीयायां समाप्तोऽयं, बुद्ध्यब्धिमुनिना कृतः ॥२॥ आत्मशक्तिप्रकाशग्रन्थः समाप्तः ॥ ગુમસૂયાત ॥
રચના વિ. સ. ૧૯૬૨ વૈશાખ સુદિ ત્રીજ - પેથાપુર,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only