________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
આત્મતત્વની પ્રાપ્તિથી ત્રણ ભુવનનું રાજ્ય પામ્યાના કરતાં તમો અલૈકિક રાજ્ય પામ્યા એમ તમે જાણશે.
તમારા મનુષ્ય અવતારને ધન્ય છે કે તમે આ પ્રમાણે સમજવાને શક્તિમાન થયા છે. તમારું શરીર, મન, વચન એ ત્રણ, આ સંસારરૂપસમુદ્રને તરવા વહાણ સમાન છે, માટે વહાણને સારા માર્ગ દરે, સદગુરૂ રૂપ ખલાસી તમને સંસાર સમુદ્રની પેલી પાર પહોંચાડશે અને સામું મુક્ત નગર દેખાડશે.
ઉપર લખેલું વાંચ્યું, સાંભળ્યું, ધાર્યું તેટલાથીજ હવે અમે તત્ત્વ પામ્યા, એમ સમજી સલ્લુરૂનું શરણ અને સદગુરૂની સંગતિ છોડી દેશે નહીં, અને સ્વેચ્છાચારી થશો નહીં. મોક્ષ માર્ગની ખરી કુંચીએ તે ગુરૂની પાસે રહે છે. આથી હવે તે વધારે શું? જાણતા હશે, એમ નિશ્ચય કરી બેસશો નહીં. જેમ વૈદ્ય રોગીને રેગની પરીક્ષા કરી ઔષધ આપે છે, દરદીના રોગની પરીક્ષા કરી જુદી જુદી દવા આપે છે, તેમ સદગુરૂ તે વૈદ્ય સમાન છે. તે તમારી અંતરની નાડી તપાસીને તમને આપવા લાયક ઉપદેશ રૂપ ઔષધ આપશે. તમારા સારાને માટે આપશે. માટે તમે તેમની વિશેષ વિશેષ ભક્તિ કરજે, અને તેમની સેવામાં રહેશે, તેમની આજ્ઞા પ્રમાણે ચાલજો. વૈદ્યનું નામ ધરાવી જેમ ફેગટીયા
www.kobatirth.org
For Private And Personal Use Only