________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭.
મારો. બહાર સુખ શોધ્યા કરે. ચિન્તામણિ રત્નની ઉપેક્ષા કર્યા કરે, અને ધૂમાડાના બાચકા ભરી ભરીને બહુ કમાણી કરી . આખરે તમારી પેટી ખાલી ખં થયે છત અને દરિદ્રતાનું દુઃખ જાયે છતે મન મન્દિરમાં આત્માનાં દર્શન કરવા પધારજો.
દેહ દેવળમાં અસંખ્ય પ્રદેશી દેવ વસે છે, એવું તમે શ્રદ્ધાપૂર્વક માને છે તેની ખાતરી શી ? જો તમે માનતાજ હો કે શરીરમાં પરમાત્મા છે તે ત્યાં તમે તેને શે. પણ તમે ત્યાં નથી શોધતા એ શું દર્શાવે છે ? એ જ કે તમને શરીરમાં વ્યાપી રહેલા અસંખ્યપ્રદેશથી પરમાત્મા સત્તાએ છે તેની ખાતરી નથી, ખાતરી થઈ હોય તો પણ તમને અગત્ય જણાઈ નથી. કૂવામાં જળ છે એવું જાણતાં છતાં તાતુર મનુષ્ય કૂવામાંથી જળ કાઢવાનો પ્રયત્ન ન કરે તે શું સમજવું? એજ કે તેને હજી તરસ બરાબર લાગી નથી. અથવા આળસુને ઍદી છે. તેમ તમે પણ શરીરમાં પરમેશ્વર છતાં તેની ખાતરી કરી તમે તેનું સ્મરણ કરતા નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે તમારે તેની જરૂર નથી. અથવા તમે આળસુના એંદી છો. આત્મા એ શું છે ? સર્વસુખનું નિધાન છે, સમગ્ર
www.kobatirth.org
For Private And Personal Use Only