________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર છે. ૧ પુણ્યાનુબંધી પુણ્ય. ૨ પુણ્યાનુબંધી પાપ, ૩ પાપાનુબંધી પુણ્ય. ૪ પાપાનુબંધી પાપ.
૧, પુણ્યાનુબંધી પુણ્ય–જે પુણ્યનાં દળીયાં ભોગવતાં તે પુણ્યના યોગે શુભ મનવચન ને કાયાના યોગે કરી આત્મા પાછું પુણ્ય ઉપાર્જન કરે છે, તેને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે. જેમ કુમારપાળરાજા, ધન્ના શાલીભદ્ર, સીતા સતી, સંપ્રતિરાજા, વગેરેનાં દતે જાણવાં. તેમ હાલ પણ જે મેટા ગૃહસ્થ, ખાનદાન, નગરશેઠના ગૃહસ્થ પુત્ર વિગેરે પૂર્વજન્મ પુણ્યાગે શાતા ભગવે છે, અને જે શુદ્ધ ધર્મની શ્રદ્ધા પામી પાછા શુભ કાર્ય કરે છે, તેઓ પુણ્ય બાંધે છે. માટે તે પુણ્યાનુબંધી પુણ્ય જાણવું. જેઓ દીક્ષા અંગીકાર કરે છે તેમને પણ પુણ્યાનુબંધી પુણ્ય શુભયોગે બંધાય છે. અને શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-મહાપુણ્યની સામગ્રીએ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ મહા પુણ્યવંત હોય તે સત્યધર્મ શ્રવણ કરી શકે છે, અને તેમાં પણ મહાપુણ્ય હોય તે સત્ય ધર્મની શ્રદ્ધા થાય છે, અને તેના કરતાં પણ મહાપુણ્ય જેને હેય તે વિરતિપણું અંગીકાર કરે છે અને સર્વ કરતાં અનંતિ પુણ્યની રાશિ ભેગી થઈ હોય તો ચારિત્ર ગ્રહણ કરવું
www.kobatirth.org
For Private And Personal Use Only