________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજે કે જ્ઞાનની સાર્થકતા આચારમાં મૂકવાવડેજ છે. કંઈ મગજમાં ભરી મૂકવાથી નથી. એમ તે પુસ્તકાલયોમાં જ્ઞાન ભરી મૂકયું છે, ત્યાં કામમાં તે ભરી મૂકયું છે. પુસ્તક પિતાનામાં ભરેલા જ્ઞાનને ઉપયોગ કરી પિતાનું હિત સાધી શકતું નથી, અને તમે પણ તમારા મગજમાં ભરેલા જ્ઞાનને ઉપયોગ કરી તમારૂ હિત સાધી શક્તા નથી, તેથી તમે જીવ છતાં પણ જડપુસ્તક જેવા થઈ રહ્યા છે.. આત્મશ્રદ્ધા વિના તમારા દિલમાં સહસ્ત્ર સંશય પ્રગટે છે. ભણેલું આચારમાં ઉતાર્યા વિના મહાસાગરના જળ જેવું અમર્યાદ હોય તો પણ તે નકામું છે. દાળ ભાત લાડુ કેમ બનાવવા તેને વિધિપાક શાસ્ત્રમાંથી ગોખીને મુખે રાખનારનું પેટ ભરાતુ નથી. પરંતુ જાણેલા વિધિને આચારમાં મૂકવાથીજ પેટ ભરાય છે. જેમ આત્મશ્રદ્ધા અધિક તેમ અધિક વિજય અને અધિક અનુભવજ્ઞાન પ્રાપ્ત થતું જાય છે.
હે સર્વ કરવાને સમર્થ છું. એ પ્રકારની આત્મશ્રદ્ધાને પ્રત્યેક ક્ષણે જાગ્રત રાખીને તમે તમારા કાર્યમાં પ્રવૃત્તિ કરે. તમે તમારા અભ્યાસમાં ખંતથી ઉદ્યમ કરે. ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આપણે મનુષ્યને અવતાર પામ્યા છીએ તે પણ શુભ ઉદ્યમથી પામ્યા
www.kobatirth.org
For Private And Personal Use Only