________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમણ કરાવજે. એ સર્વ પ્રકારના સમર્થ પ્રયાસથી અને ભ્યાસ પાડજે, અને આ પ્રમાણે શરીરના કોઈ પણ આંતર પ્રદેશમાં એકજ અગ્ર ઉપર તમારી વૃત્તિને ત્રણ કલાક સ્થિર રહેવાને અભ્યાસ સિદ્ધ થતાં આગળ શું કરવું તે તમને યોગ્યતા પ્રમાણે મુખેમુખ કહેવામાં આવશે. કારણે કે તે ઉપરને અભ્યાસ બીજી ભૂમિકાને છે. તેના લાયક જીવને તે ભૂમિકામાં પ્રવેશ કરાવવામાં આવે છે, એગ્યતા થયા વિના દ્વિતીય ભૂમિકામાં પ્રવેશ કરાવવામાં આવતો નથી. કારણ કે અયોગ્ય ને પરીક્ષા કર્યા વિના તત્ત્વ આપવાથી ગુરૂને બહુ જોખમ વેઠવું પડે છે અને શિષ્યને વિદ્યા સંકુલ થતી નથી. પુસ્તકો તો એક દિશિ દેખાડનાર છે પણ તવજ્ઞાનનાં ખરાં રહસ્યો તે ગુરૂગમતાથી જ પ્રાપ્ત કરી શકાય છે. .
આ પ્રમાણે તત્ત્વ સાધકે ! તમે ત્રણ કલાક આન્તર ત્રાટક સિદ્ધ કરે. એટલે તમે મહાશક્તિ સંપાદન કરી છે એમ સમજજે. તમે આ અભ્યાસ કરતાં આત્મશ્રદ્ધા રાખજે. ગમે તેવા નાસ્તિકના પ્રસંગમાં આવો તો પણ તમારું સાધ્ય બિંદુ ચૂકશે નહીં, તમેને આ બાબતનું જ્ઞાન આપ્યું. બીજાં પણ આત્મજ્ઞાનનાં પુસ્તકો વાંચ્યાં પણ
www.kobatirth.org
For Private And Personal Use Only