________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
વાહન ધઃ પુનામ: સ્થાવર તીર્થ તે કાલાંતરે ફળે છે, એટલે તેમનું પૂજન ભક્તિ અન્ય ભવમાં સુખનું આપનાર થાય છે, અને સદ્ગરરુપ તીર્થ તે તુરત તેમનાં દર્શન કરતાં જ ફળ આપે છે, તેમને સંગમ થતાં અનેક પ્રકારની શંકાઓનું નિરાકરણ થાય છે. અજ્ઞાન ટળે છે. સત્યજ્ઞાન મળે છે. કર્મ અને આત્માનું સ્વરૂપ સમજાય છે. વળી કહ્યું છે કે ગુદ ગુરુદેવતા ગુરુવિણ ઘોર અંધાર, શ્રી સદ્ગુરૂ અંતમાં અનાદિ કાળથી વ્યાપી રહેલું અજ્ઞાનપ અંધકાર ટાળવાને માટે દીપક સરખા છે, અને સદ્ગુરૂ તેજ દેવ છે. તમને ગુરૂ દેવ વિના આકાશમાંથી ઉતરીને કયો દેવા આત્મજ્ઞાન અર્પવા આવશે. શું ગુરૂનું શરીર પણ તમારા જેવું ઔદારિક દેખીને તેમાં દેવબુદ્ધિ નથી સ્થપાતી? એ ગુરૂબુદ્ધિ નથી, તથાપિ તેમાં તમારે જ દોષ છે. સમજે કે દેવના કરતાં પણુ ગુરૂ ઉપદેશ દાનમાં મેટા છે. તેમાં ગુરૂમહારાજે સમકિત દાન આપ્યું તેથી તે મેટામાં મેટા છે. વળી તીર્થંકર દેવને ગુરૂની બાબતમાં પણ તમને આગળ જણાવ્યું છે. સમકિત દાયક ગુરુ તેજ દેવ સમજવા. તેમને ઉપકાર કદી વળી શકાતું નથી. કહ્યું છે કે
समकितदायकगुरू तणो, पच्चुवयार न थाय; भषकोडाकोडी करे, करतां कोटि उपाय.
www.kobatirth.org
For Private And Personal Use Only