________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતથી આત્માનું અનેકાંતપણે સ્વરૂપ સમજવામાં આવે છે પણ અનુભવજ્ઞાનમાં નય પ્રસરી શકતા નથી, તેમ નિક્ષેપ ચાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ પણ દરેક વસ્તુના જ્ઞાનમાં ઉપયોગી છે, પણ તેમાં પ્રસરતા નથી, એટલે પ્રમાણુથી તેના સ્વરૂપને નિર્ધાર થાય છે, પણ તે આત્મધર્મમાં પ્રમાણ પણ પ્રવેશ કરી શકતું નથી, એટલે પ્રમાણુ તે આત્મજ્ઞાન થવામાં પ્રથમ ઉપયોગી છે, પણ અનુભવજ્ઞાનમાં પ્રમાણ પ્રસરતું નથી. પ્રમાણુના ભેદ બે છે, એક પ્રત્યક્ષ પ્રમાણ અને બીજું પરાક્ષ પ્રમાણ. આત્મા, પોતે નિરાવરણ શુદ્ધ ક્ષાવિકભાવે થયેલો જે ઉપગ, તેથકી સર્વ દ્રવ્યને જાણે છે તે પ્રત્યક્ષ પ્રમાણુ જાણવું. જેમ કેવલજ્ઞાની, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિ કાય, પુદ્ગલાસ્તિકાય. જીવ અને કાળ એ છ દ્રવ્યને પ્રત્યક્ષપણે જાણે છે, તથા દેખે છે, તથા અવધિજ્ઞાની પુગલદ્રવ્યને પ્રત્યક્ષ જાણે છે, તથા દર્શનથી દેખે છે, અને મન:પર્યવજ્ઞાની અન્યજીવોની મને વર્ગણને પ્રત્યક્ષ જાણે છે, માટે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બે જ્ઞાન દેશપ્રત્યક્ષ છે, માટે પ્રમાણમાં પણ તે દેશ પ્રત્યક્ષ પ્રમાણુ સમજવાં, અને કેવલનાન સર્વ પ્રત્યક્ષ પ્રમાણ સમજવું.
19
www.kobatirth.org
For Private And Personal Use Only