________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
પ્રકારના પ્રયત્નમાં શ્રેષ્ઠ પ્રયત્ન છે. એ સિદ્ધાંત સત્ય ભાસતો હોય તો એ સિદ્ધાંત સ્વીકારે. અન્ધશ્રદ્ધાથી સ્વીકારતા નહીં. પરંતુ ન્યાયપુર સર વિચાર કરીને તે સિદ્ધાંત સ્વીકારે. યથાર્થ સ્વીકારવાની તથા યથાર્થ શ્રદ્ધાની જ પ્રથમ આવશ્યકતા છે. તમે સંકલ્પ વિકલ્પ દૂર કરે. વિચાર ઓછા કરે તો આ આત્મપ્રતિ અભિમુખતા. સાધે. આર્તધ્યાન અને રદ્રિધ્યાનના સંકલ્પ વિકલ્પથીજ અનેક પ્રકારના શરીરની રચના થાય છે. પરભાવસંકલ્પ વિકલ્પ એજ ગતિ આગતિને હેતુ છે. કીડીયારાની પેઠે તમારા મનમાં ખરાબ વિચાર ઉભરાવા દે નહિ. કોઈ પણ વસ્તુ સંબંધી ચિન્તાના વિચારે કરો નહિ. ચિંતાના વિચાર એ ઉધેહી સમાન છે. જેમ ઉધેહિ જેને વળગી તેને નાશ કરે છે તેમ ચિન્તાના વિચારે જેને લાગ્યા તેને નાશ કરે છે. માટે તમે ખરાબ વિચારને મનમાં રહેવાની જગા આપે નહીં. જે તે મનમન્દિરમાં ખરાબ વિચારેએ પ્રવેશ કર્યો તે આખા મનમંદિરને ખરાબ કરી નાંખવાના, અને તેથી મનમંદિરમાં આત્મરૂપી પરમેશ્વર બીરાજમાન થશે નહીં. એ ખરાબ વિચારેથી મનમન્દિર અપવિત્ર થઈ જશે. નક્કી આ વાત ખરી સમજજે હે.
www.kobatirth.org
For Private And Personal Use Only