________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
v शाब्दिक ताकि कपंडित छाके, ते पण त्यां जइ थाके; शब्दतीर पण ज्यां नहीं पहोंचे, शब्दवेधीनां ताके. भ याअनुभव रंग मजीठारे, उसकी बात न वचनेथाती॥
વળી આત્મા, આકાશની પેઠે અસંગી છે. વ્યવહાર જોતાં આત્મા ક્ષીરનીરની પેઠે પુદ્ગલની સાથે પરિણમી રહ્યા છે, તો પણ નિશ્ચયનયથી જોતાં પોતાના સ્વરૂપે સત્તાથી અસંગી છે. અને સિદ્ધના છો તો સદાકાળ પિતાના સ્વરૂપે શક્તિ તથા વ્યક્તિભાવે અસંગી છે, પિતાને સ્વરૂપે આત્મા શુદ્ધ છે. વળી આત્મા અનંત રત્નત્રથીનો ભોક્તા છે માટે ભાગી પણ સ્વગુણથી જાણો. ત્રણે કાલમાં આત્માનો વિનાશ નથી માટે તેને અવિનાશી કહે છે. કદાપિ કાળે આત્મા ઉત્પન્ન થયો નથી માટે આત્માને અજ કહે છે. ત્રણે કાલમાં પોતાના સ્વરૂપેકરી એક રૂપ છે માટે આત્માને દ્રવ્યર્થક નયની અપેક્ષાએ નિત્ય કહે છે. વળી આત્માને કદાપિ કાળે ક્ષય થતો નથી માટે તે અક્ષય જાણ. આત્મા પોતાના સ્વરૂપથી કદાપિ કાળે ચલાયમાન થતો નથી, માટે અચલ જાણો. આત્માનું સ્વરૂપ કળી શકાતું નથી માટે તેને અકલ કહે છે. આત્મા
www.kobatirth.org
For Private And Personal Use Only